Mithapur, તા.20
ઘણા લોકો જમીન સ્વાહા કરવા માટે કે પચાવી પાડવા માટે કે જમીનમાં ફેરફાર કરવા માટે અનેક તરકીબો કરતા હોય છે પરંતુ પરીણીત પુરૂષને અપરીણીત બતાવીને વારસાઈ એન્ટ્રી પડાવવામાં આવે તેવુ લગભગ પ્રથમ વખત સાંભળવા મળેલ છે. દેવભૂમી દ્વારકા જીલ્લાના બેટ દ્વારકામાં એક જમીન વિવાદે ચડી છે જેમાં પરીવારના એક વ્યકિત પરીણીત હતા તેને અપરીણીત બતાવીને વારસાઈ એન્ટ્રી કાચી નોંધ કરાવ્યાનુ સાંભળવા મળેલ છે.
આ પ્રકરણની તપાસ થાય તો સતાસત બહાર આવે અને અનેકના ધોતીયા ઢીલા થઈ જાય તે નિશ્ચિત માનવામાં આવે છે. ઘણા સમય પૂર્વે આ વ્યકિતના લગ્ન થયા હતા અને પ્રેમલગ્ન કરીને બીજી પત્ની સાથે રહેતા હોવાનુ પણ કાનોકાન સાંભળવા મળેલ છે. બાદમાં આ વ્યકિતનુ મરણ થતા અને પ્રેમલગ્ન કર્યાને મહિલા હયાત હોય જેને આ વારસાઈ કાચી નોંધની ખબર પડતા મામલો બીચકયાનુ બહાર આવેલ છે. આગામી સમયમાં નવીન ફણગા ફૂટે તો નવાઈ નહીં.