Ahmedabad,તા.૨૫
ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી ૨૬ અને ૨૭ મે, બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી ચાર શહેરોમાં મોટા રોડ શો યોજવાના છે. જે અંતર્ગત વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પહેલો રોડ શો ૨૬ મેના વડોદરા ખાતે યોજાશે. જેમાં વડોદરા ખાતે પણ અંદાજે બે કિલોમીટરનો રોડ શો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા યોજશે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુજ ખાતેના અંદાજે બે કિલોમીટરનો રોડ શો યોજવાના છે. ત્યારબાદ સાંજના છ વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમદાવાદ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીના ચારથી પાંચ કિલોમીટરનો રોડ શો પીએમ મોદીનો યોજાશે. જેમાં ઠેર ઠેર ઓપરેશન સિંદૂર અંતર્ગતના બોર્ડ લગાવવામાં આવ્યા છે. આખા રોડની બંને તરફ તિરંગાથી કોર્ડન કરવામાં આવ્યો છે. અને ઠેર ઠેર અસંખ્ય રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યા છે. આ રૂટ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. જેમાં અંદાજે ૫૦,૦૦૦ થી પણ વધારે નાગરિકો ઉપસ્થિત રહેવાના છે.
આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૬ મેના રોજ વડોદરા, ભુજ અને અમદાવાદમાં એમ ત્રણ રોડ શો યોજશે. આ ઉપરાંત ૨૭મી તારીખે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વધુ એક રોડ શો ગાંધીનગર ખાતે કરશે. જેને લઈને પોલીસ વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવનથી નીકળશે ત્યારે રાજભવન સર્કલથી લઈને મહાત્મા મંદિર સુધીના રૂટનો રોડ શો અંદાજે બે કિલોમીટરનો રોડ શો યોજાશે. જેમાં ગાંધીનગરના ૫૦,૦૦૦ થી પણ વધારે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે.
આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ત્રણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીના પ્રત્યેક રોડ શોમાં ૫૦,૦૦૦થી પણ વધારે નાગરિકો ઉપસ્થિત રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનને જડબાતોડ આપેલા જવાબમાં દેશવાસીઓ રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપે તે આશ્રયથી આ રોડ શો યોજાઇ રહ્યા છે.