Rajkot,તા.11
શહેરની ભાગોળે આવેલા કોઠારીયા રેલ્વે સ્ટેશન નજીક કિસાન પેટ્રોલ પંપ પાસે રેલવે ફાટક પાસે પુઠાના કારખાનામાં સાથે કામ કરતા બે મિત્રો ના ટ્રેન ની ઠોકરે મોત મોત નીપજીયા હતા. આજીડેમ પોલીસે આપઘાત કે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રોડ કોઠારીયા રેલવે સ્ટેશન નજીક કિસાન પેટ્રોલ પંપ ની સામે ના રેલ્વે ફાટક નજીકથી આજે વહેલી સવારે મુળ સાજડીયાળી અને હાલ રાજકોટ રહેતા સુનીલ ભાઈ જેન્તીભાઈ મકવાણા ૩૫ અને તેની સાથે કામ કરી રહેલા મૂળ બિહારના મોડ ગામના સૌરવ વામસી ગઈકાલે રાત્રે પૂઠા ના કારખાનામાંથી છૂટીને ઘેર આવતા હતા ત્યારે રસ્તામાં આવતા કોઠારીયા રેલવે સ્ટેશન નજીકના કિસાન પેટ્રોલ પંપ નજીક ના ફાટક પાસેથી બંને મિત્રોના ઇજાગ્રસત હાલતમાં વહેલી સવારે મૃતદેહ મળ્યા હતા,આ બનાવ અંગે સુનિલ ભાઈ મકવાણાના પિતરાઈ ભાઈ રાહુલ એ જણાવ્યું હતું કે વહેલી સવારે સુનિલના ભાઈનો અકસ્માતની જાણ અંગે ફોન આવ્યો હતો ઘટના સ્થળે જઈને જોયું તો સુનિલ અને સૌરવ ના મોટરસાયકલ અને ટિફિન સલામત રીતે ફાટક પાસેથી મળી આવ્યા હતા ,બંને મિત્રો ચાલીને રેલવે ટ્રેક પસાર કરતા હશે ત્યારે ટ્રેનની ઠોકરે આવી ગયા હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે
બંને મિત્રોના મૃતદેહ ફુલ સ્પીડમાં પસાર થયેલી ટ્રેનનીઠોકરે કડી જતા ફાટક બહાર ફંગોળાયગયા હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે ,અકસ્માતનો ભોગ બનેલ સુનિલ સગા ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હોય માતા-પિતા ની હયાતી માં તમામ સાથે રહેતા હોય અને સુનીલ અપરણિત હોવાનું જાણવા માટે જ્યારે તેની સાથે અકસ્માત માં મૂળ બિહાર નો યુવાન હોવાનું જાણવા મળ્યું છે અને એક સંતાનનો પિતા છે આજીડેમ પોલીસે ઘટના સ્થળે દોડી જાય આપઘાત કે અકસ્માત તે અંગે તપાસ હાથ ધરી છે.