New Delhi,તા.17
રાષ્ટ્રીય ગીત વંદેમાતરમનું અપમાન કરવા કે તેના ગાયકમાં વિધિ નાખનારાઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આગામી 20 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદ સત્રમાં રાષ્ટ્રીય સન્માનતા અપમાનની રોકથામ (સંશોધન) વિધેષા લોકસભામાં રજુ કરવાની તૈયારીમાં છે.
આ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર દિશા નિર્દેશો બાદ આવ્યું છે કે જેમાં આધિકારિક કાર્યક્રમોમાં જયાં રાષ્ટ્રગાન `જન ગણ મન’ વગાડવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રગાન વગાડવું, ગાવવું ફરજિયાત કરાયું છે.
રાષ્ટ્રીય સન્માનના અપમાનની રોકથામ (સંશોધન) વિધેયકને કેન્દ્રીય મંત્રીમંડળે અગાઉ જ મંજુરી આપી દીધી છે. આ કાયદો રાષ્ટ્રીય ગીતનું અપમાન કરવાનું દંડનીય અપરાધ બનાવી દેશે, જેથી આ લોકશાહીના અન્ય ઉચ્ચ પ્રતીકો, જેમકે રાષ્ટ્રીય ગાન, રાષ્ટ્રીય ધ્વજ અને બંધારણની શ્રેણીમાં આવી જશે, જેનું અપમાન કરવા પર કડક કાર્યવાહી કરાશે.

