દસક્રોઈ તાલુકાના બડોદરામાં રહેતા ધીરુભાઈ ચતુરભાઈ ઠાકોરને ખેતીની જમીન વેચાણ રાખવી હોવાથી દેવકી વણસોલમાં રહેતા જમીન દલાલ અર્જુનસિંહ રામસિંહ ચૌહાણ તેમજ વિજયભાઈ છોટાભાઈ ચૌહાણને વાત કરી હતી. જેથી તેઓએ ગામની સીમમાં આવેલી કુલસીંગ ચંદુભાઈ ચૌહાણ તેમજ રમીલાબેન તે ચંદુભાઈ ચૌહાણની દીકરીએ પોતાની માલિકીની જમીન બતાવી હતી. જમીન પસંદ પડતા ઉચ્ચક રૂ.૨૫ લાખમાં વેચાણ રાખવાનું નક્કી કર્યું હતું. મહેમદાવાદ સબ રજીસ્ટાર કચેરીમાં તા.૧૦/૮/૨૦૨૦ના રોજ રૂ. પાંચ લાખનો રજિસ્ટર્ડ બાનાખત કરાર કરી આપ્યો હતો. છ માસમાં જમીનનું વિભાજન કરી ટાઈટલ ક્લિયર કરી જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ ધીરુભાઈ ઠાકોર અવારનવાર જમીનનો દસ્તાવેજ કરી આપવાનું જણાવતા જમીન માલીકે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. એટલું જ નહીં જમીનના ભાવ વધારે મળે તેવા બદ ઇરાદાથી પ્રવીણભાઈ પરસોત્તમભાઈ વડોદરીયા રહે. સીટીએમ અમદાવાદને તા.૫/૫/૨૦૨૨ના રોજ પાવર ઓફ એટર્ની લખી આપ્યો હતો. પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી પ્રવિણભાઈ વડોદરિયાએ તા.૧/૨/૨૦૨૩ના રોજ રૂ.૪૫ લાખનો પોતાના નામે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો.
Trending
- 28 એપ્રિલનું પંચાંગ
- 28 એપ્રિલનું રાશિફળ
- શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો
- ઝેપ્ટોનો પ્રસ્તાવિત આઈપીઓ ફક્ત નાણાકીય ઘટના નથી; તે ભારતના આર્થિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.
- પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાની ચૂંટણી 2026 એ ફક્ત રાજ્યની ચૂંટણી નથી
- ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!
- Jaishankar દક્ષિણ આફ્રિકાના દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી
- Supreme Court ગુરુગ્રામ ડિમોલિશન કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો, અરજદારોને હાઇકોર્ટનો સંપર્ક કરવા કહ્યું

