દસક્રોઈ તાલુકાના બડોદરામાં રહેતા ધીરુભાઈ ચતુરભાઈ ઠાકોરને ખેતીની જમીન વેચાણ રાખવી હોવાથી દેવકી વણસોલમાં રહેતા જમીન દલાલ અર્જુનસિંહ રામસિંહ ચૌહાણ તેમજ વિજયભાઈ છોટાભાઈ ચૌહાણને વાત કરી હતી. જેથી તેઓએ ગામની સીમમાં આવેલી કુલસીંગ ચંદુભાઈ ચૌહાણ તેમજ રમીલાબેન તે ચંદુભાઈ ચૌહાણની દીકરીએ પોતાની માલિકીની જમીન બતાવી હતી. જમીન પસંદ પડતા ઉચ્ચક રૂ.૨૫ લાખમાં વેચાણ રાખવાનું નક્કી કર્યું હતું. મહેમદાવાદ સબ રજીસ્ટાર કચેરીમાં તા.૧૦/૮/૨૦૨૦ના રોજ રૂ. પાંચ લાખનો રજિસ્ટર્ડ બાનાખત કરાર કરી આપ્યો હતો. છ માસમાં જમીનનું વિભાજન કરી ટાઈટલ ક્લિયર કરી જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ ધીરુભાઈ ઠાકોર અવારનવાર જમીનનો દસ્તાવેજ કરી આપવાનું જણાવતા જમીન માલીકે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. એટલું જ નહીં જમીનના ભાવ વધારે મળે તેવા બદ ઇરાદાથી પ્રવીણભાઈ પરસોત્તમભાઈ વડોદરીયા રહે. સીટીએમ અમદાવાદને તા.૫/૫/૨૦૨૨ના રોજ પાવર ઓફ એટર્ની લખી આપ્યો હતો. પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી પ્રવિણભાઈ વડોદરિયાએ તા.૧/૨/૨૦૨૩ના રોજ રૂ.૪૫ લાખનો પોતાના નામે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો.
Trending
- 06 સપ્ટેમ્બર નું પંચાંગ
- 06 સપ્ટેમ્બર નું રાશિફળ
- Gondal: દેવચડી ગામેરિલ્સ બનાવવાની ઘેલછાની ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પીધી
- Rajkot: ‘હેલમેટ અમને મંજુર નથી : યુવા એડવોકેટની ટીમ મેદાને
- Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Teachers’ Day and Eid-e-Milad નો અનોખો સંગમ ૫ સપ્ટેમ્બર ૨૦૨૫
- નવીન દ્રષ્ટિકોણથી શિક્ષક: ભૂમિકા અને જવાબદારીઓ