દસક્રોઈ તાલુકાના બડોદરામાં રહેતા ધીરુભાઈ ચતુરભાઈ ઠાકોરને ખેતીની જમીન વેચાણ રાખવી હોવાથી દેવકી વણસોલમાં રહેતા જમીન દલાલ અર્જુનસિંહ રામસિંહ ચૌહાણ તેમજ વિજયભાઈ છોટાભાઈ ચૌહાણને વાત કરી હતી. જેથી તેઓએ ગામની સીમમાં આવેલી કુલસીંગ ચંદુભાઈ ચૌહાણ તેમજ રમીલાબેન તે ચંદુભાઈ ચૌહાણની દીકરીએ પોતાની માલિકીની જમીન બતાવી હતી. જમીન પસંદ પડતા ઉચ્ચક રૂ.૨૫ લાખમાં વેચાણ રાખવાનું નક્કી કર્યું હતું. મહેમદાવાદ સબ રજીસ્ટાર કચેરીમાં તા.૧૦/૮/૨૦૨૦ના રોજ રૂ. પાંચ લાખનો રજિસ્ટર્ડ બાનાખત કરાર કરી આપ્યો હતો. છ માસમાં જમીનનું વિભાજન કરી ટાઈટલ ક્લિયર કરી જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ ધીરુભાઈ ઠાકોર અવારનવાર જમીનનો દસ્તાવેજ કરી આપવાનું જણાવતા જમીન માલીકે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. એટલું જ નહીં જમીનના ભાવ વધારે મળે તેવા બદ ઇરાદાથી પ્રવીણભાઈ પરસોત્તમભાઈ વડોદરીયા રહે. સીટીએમ અમદાવાદને તા.૫/૫/૨૦૨૨ના રોજ પાવર ઓફ એટર્ની લખી આપ્યો હતો. પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી પ્રવિણભાઈ વડોદરિયાએ તા.૧/૨/૨૦૨૩ના રોજ રૂ.૪૫ લાખનો પોતાના નામે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો.
Trending
- Rajkot; કોકોનેટ પાર્ટી પ્લોટ નજીક જુગાર રમતા ત્રણ શખ્સની ઘરપકડ
- Jamnagar: 181 અભયમ ટીમે રિસામણે બેઠેલી મહિલાનું સાસરી પક્ષ સાથે સુ:ખદ સમાધાન કરાવ્યુ
- Jamnagar: કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં વેરાડ ગામનું ખેડૂત દંપત્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ
- Jamnagar: એક સ્કૂલ બસ નો એકાએક પાછલો જોટો નીકળી જતાં વિદ્યાર્થીઓમાં ભારે અફડાતફડી
- Jamnagar: ખીમલીયા ગામમાં રહેતા આશાસ્પદ યુવાનને પોતાના ઘેર વીજ આંચકો લાગતાં અપમૃત્યુ
- Jamnagar: ૨૪ વર્ષનો યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો: ઝેરી દવા પી લેતાં બેશુદ્ધ અસ્થામાં સારવાર હેઠળ
- Jamnagar: વાલ્મિકી નગર વિસ્તારમાં રહેતી પરણીતાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
- Jamnagar: સ્વામિનારાયણ નગર વિસ્તારમાં સાયબર ક્રાઈમ પોલિસ વિભાગ ની ટિમ દ્વારા લોક જાગૃતિ નો કાર્યક્રમ યોજાયો