નડિયાદના પારસ સર્કલ પાસે આજે વહેલી સવારે જ મહાનગરપાલિકાના ત્રણ વિભાગોની ટીમો પહોંચી હતી. જ્યાં દબાણ વિભાગે પારસ સર્કલ નજીક ગેરકાયદે ગલ્લાં અને ઓટલાં સહિતના દબાણો દૂર કર્યા હતા. દબાણો હટાવ્યા બાદ સેનેટરી વિભાગની ટીમ દ્વારા સ્થળ પરથી કાદવ અને ગંદકીનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. લગભગ બે ટ્રેક્ટર જેટલો કચરો દૂર કરાયો હતો. સમગ્ર કામગીરી બાદ વરસાદી લાઈનનો મુખ્ય પોઈન્ટ ખુલ્લો કરીને ચોકઅપ થયેલી વરસાદી લાઈનની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. હાલ તો, નડિયાદમાં વરસાદી કાંસની ૮૦ ટકા જેટલી સફાઈ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ચાલુ વરસાદ દરમિયાન પણ પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત વરસાદી કાંસોની સફાઈ શરૂ કરાઈ છે. ભવિષ્યમાં આ સ્થળે પુનઃ ગંદકી અને દબાણ જેવી સમસ્યા ન સર્જાય તે માટે મહાનગરપાલિકાએ વિશેષ આયોજન કર્યંં છે. ચેમ્બર ઉપર પ્લેટફોર્મ બનાવીને સિમેન્ટનું ઢાંકણું નાખીને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનરે સેનેટરી વિભાગને આ સ્થળે ગંદકી ન થાય તે માટે પણ તાકીદ કરી હતી. સ્થળ પર આવેલા બે વૃક્ષોની ડાળીઓ વાયરોની વચ્ચે આવેલી છે.
Trending
- 28 એપ્રિલનું પંચાંગ
- 28 એપ્રિલનું રાશિફળ
- શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો
- ઝેપ્ટોનો પ્રસ્તાવિત આઈપીઓ ફક્ત નાણાકીય ઘટના નથી; તે ભારતના આર્થિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.
- પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાની ચૂંટણી 2026 એ ફક્ત રાજ્યની ચૂંટણી નથી
- ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!
- Jaishankar દક્ષિણ આફ્રિકાના દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી
- Supreme Court ગુરુગ્રામ ડિમોલિશન કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો, અરજદારોને હાઇકોર્ટનો સંપર્ક કરવા કહ્યું

