Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ વર્ષે Gujarat માં કાતિલ ઠંડી પડવાના એંધાણ, ડિસેમ્બરના અંતમાં ઠંડી ભુક્કા બોલાવશે!

    October 29, 2025

    Gandhinagar: ૧૭ હજાર કરોડનો એમઓયુ, પીપાવાવ પોર્ટ વિસ્તરણથી ૨૫ હજાર રોજગારી

    October 29, 2025

    AMC માં મોટો ફેરફારઃ ૬ કમિશ્નરોની બદલી, આરોગ્ય વિભાગમાં નવા ઇન્ચાર્જ

    October 29, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ વર્ષે Gujarat માં કાતિલ ઠંડી પડવાના એંધાણ, ડિસેમ્બરના અંતમાં ઠંડી ભુક્કા બોલાવશે!
    • Gandhinagar: ૧૭ હજાર કરોડનો એમઓયુ, પીપાવાવ પોર્ટ વિસ્તરણથી ૨૫ હજાર રોજગારી
    • AMC માં મોટો ફેરફારઃ ૬ કમિશ્નરોની બદલી, આરોગ્ય વિભાગમાં નવા ઇન્ચાર્જ
    • 30 ઓક્ટોબર નું પંચાંગ
    • 30 ઓક્ટોબર નું રાશિફળ
    • દરભંગાના અલીનગરની મુલાકાત લેનારા ગૃહમંત્રી Amit Shah મહાગઠબંધન પર આકરા પ્રહારો કર્યા
    • સંયુક્ત આરબ અમીરાતમાં એક ભારતીય વ્યક્તિને ૨૪૦ કરોડ રૂપિયાનો જેકપોટ જીત્યો
    • Canada માં લોરેન્સ બિશ્નોઈ ગેંગે ઉદ્યોગપતિની હત્યા કરી, પંજાબી ગાયકના ઘરે પણ ગોળીબાર કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»શા માટે ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar અચાનક રાજીનામુ આપ્યુ
    રાષ્ટ્રીય

    શા માટે ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar અચાનક રાજીનામુ આપ્યુ

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.22
    ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના ગઈકાલે ઓચિંતા આવેલા રાજીનામાએ અચાનક જ દિલ્હીનું રાજકીય વાતાવરણ ગરમ કરી દીધુ છે. એક તરફ નવા ઉપરાષ્ટ્રપતિની ચુંટણી હવે સંસદના વર્તમાન સત્ર દરમ્યાન જ યોજાશે તે નિશ્ચિત બની ગયું છે.

    તો બીજી તરફ એવી કઈ હેલ્થ ઈમરજન્સી હતી તે શ્રી ધનખડે પોતાનું રાજીનામુ રાતોરાત આપવું પડયું અને તેની પાછળ ફકત સ્વાસ્થ્ય નહી અનેક કારણો ચર્ચામાં આવ્યા છે. તેઓએ જો સ્વાસ્થ્યના કારણોસર રાજીનામુ આપવુ હોત તો સંસદના સત્રના પ્રારંભ પુર્વે જ તેઓ તે કરી શકયા હોત અને ખાસ કરીને સરકાર માટે જે સંકોચભરી સ્થિતિ બની છે તે ટાળી શકયા હોત.

    ગઈકાલે જ તેઓએ રાજયસભામાં વારંવાર જે ધમાલ અને રાજકીય અથડામણના દ્રશ્યો સર્જાય છે તેના પર નારાજગી વ્યક્ત કરી હતી અને કોંગ્રેસ એવો દાવો કરે છે કે, બપોરે 1 વાગ્યાથી લઈ સાંજના 4.30 વચ્ચે એવું કંઈક બની ગયું કે જેના કારણે ધનખડને રાજીનામુ આપવાની જરૂર પડી અથવા ફરજ પડી હતી.

    આ માટે અનેક કારણોની ચર્ચામાં ખાસ કરીને હવે નવા રાષ્ટ્રપતિની ચુંટણી ફરજીયાત બની છે અને તેમાં એકટીંગ પ્રેસીડેન્ટ જેવી કોઈ જોગવાઈ નથી તે સમયે પાટનગરમાં ચર્ચાએ જોર પકડયુ છે.

    સૂત્રોના જણાવ્યા મુજબ ઉપરાષ્ટ્રપતિના રાજીનામા પાછળ એક ફોનકોલ જ જવાબદાર ગણવામાં આવે છે અને તે ભાજપની જ કેન્દ્રીય નેતાગીરી તરફથી આવ્યો હતો અને તેમાં ખાસ કરીને દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટીસ યશવંત વર્માની સામેની મહાભિયોગ દરખાસ્તમાં વિપક્ષો પ્રેરીત જે નોટીસ આપવામાં આવી હતી તે કારણ બની ગઈ છે.

    આ નોટીસ ધનખડે સ્વીકારી અને રાજયસભાના સેક્રેટરી જનરલને તેના પર જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. માનવામાં આવે છે કે, ભાજપના નેતૃત્વને તે પસંદ આવ્યુ ન હતું. ખાસ કરીને વિપક્ષ પ્રેરિત નોટીસ ઉપરાષ્ટ્રપતિએ સ્વીકારી જેના કારણે ભાજપના હાથમાંથી ન્યાયમૂર્તિ અને ન્યાયતંત્રના હાથમાંથી ભ્રષ્ટાચાર સામે જે લડાઈ હતી તે શસ્ત્ર છીનવાઈ ગયુ હોય તેવું ભાજપ મોવડીમંડળે માન્યુ હતું.

    તે મુદે શ્રી ધનખડને એક ફોનકોલ પણ આવ્યો હતો અને તેમાં બંને વચ્ચે દલીલો પણ થઈ હતી. ઉપરાષ્ટ્રપતિએ પોતાને જે સતા મળી છે તેના આધારે આ નોટીસ સ્વીકારી હોવાનું જણાવ્યું હતું.

    સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપનો એક મોટો વર્ગ જગદીપ ધનખડ સામે અવિશ્વાસની દરખાસ્ત પણ લાવવાની વિચારણા શરુ કરી હતી. હજુ છ માસ પુર્વે જ વિપક્ષોએ જગદીપ ધનખડ સામે આ પ્રકારની દરખાસ્ત લાવી હતી. પરંતુ ધનખડ પાસે ભાજપની ચાલની ગંધ આવી જતા જ તેઓએ તુર્ત જ રાજીનામુ આપી દેવાનું પસંદ કર્યુ હોય તેવું મનાય છે.

    આ ઘટનાક્રમમાં રાત્રે 9.25 મીનીટે ઉપરાષ્ટ્રપતિએ પોતાના સતાવાર એકસ હેન્ડલ પર પોતાના રાજીનામા પત્ર જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પાઠવ્યો હતો તે પોષ્ટ કરીને જબરો ધમાકો મચાવી દીધો. તેઓએ આરોગ્યનું કારણ આપ્યું અને બંધારણની કલમ-67(1) હેઠળ પોતે રાજીનામુ આપી રહ્યા છે તે સ્પષ્ટ કર્યુ તેથી રાષ્ટ્રપતિ પાસે પણ તે સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો અને તેમનું રાજીનામુ સ્વીકારાઈ પણ ગયું છે.

    આમ જગદીપ ધનખડ કે જેઓ પ્રારંભથી જ દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ધનંજય વર્માના નિવાસે લાગેલી આગ અને તેમાં જે રીતે જંગી રોકડ રકમ અર્ધબળેલી હાલતમાં મળી તે મુદે આક્રમક હતા અને તેઓએ એ પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શા માટે તેમાં એફઆઈઆર નોંધાતી નથી.

    આમ કહીને તેણે સુપ્રીમકોર્ટ સામે પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા અને પોતે છેલ્લી ઘડીએ વિપક્ષની નોટીસ સ્વીકારી લેતા ભાજપના હાથમાંથી તક ચાલી ગઈ તેવુ દ્રશ્ય સર્જાતા જ તેઓએ નારાજ મોવડીમંડળે તેમને રાજીનામુ આપવાની ફરજ પાડી હોય તેવું માનવામાં આવે છે.

    Jagdeep Dhankhar suddenly resign Vice President
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gandhinagar: ૧૭ હજાર કરોડનો એમઓયુ, પીપાવાવ પોર્ટ વિસ્તરણથી ૨૫ હજાર રોજગારી

    October 29, 2025
    આંતરરાષ્ટ્રીય

    સંયુક્ત આરબ અમીરાતમાં એક ભારતીય વ્યક્તિને ૨૪૦ કરોડ રૂપિયાનો જેકપોટ જીત્યો

    October 29, 2025
    ખેલ જગત

    Rohit Sharma એ રચ્યો ઇતિહાસ, 38 વર્ષની ઉંમરે બન્યો નંબર 1 બેટર

    October 29, 2025
    આંતરરાષ્ટ્રીય

    Afghanistan સાથે સમાધાન ન થતા પાક.ગિનાયું : ભારત પર આક્ષેપો લગાવ્યા

    October 29, 2025
    આંતરરાષ્ટ્રીય

    મોદી શાનદાર – મજબૂત વ્યક્તિ, ભારત સાથે બહુ જલ્દી વ્યાપાર સમજુતી : Donal Trump

    October 29, 2025
    અન્ય રાજ્યો

    રાફેલ લડાયક વિમાનમાં ઉડાન ભરતા રાષ્ટ્રપતિ Draupadi Murmu

    October 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આ વર્ષે Gujarat માં કાતિલ ઠંડી પડવાના એંધાણ, ડિસેમ્બરના અંતમાં ઠંડી ભુક્કા બોલાવશે!

    October 29, 2025

    Gandhinagar: ૧૭ હજાર કરોડનો એમઓયુ, પીપાવાવ પોર્ટ વિસ્તરણથી ૨૫ હજાર રોજગારી

    October 29, 2025

    AMC માં મોટો ફેરફારઃ ૬ કમિશ્નરોની બદલી, આરોગ્ય વિભાગમાં નવા ઇન્ચાર્જ

    October 29, 2025

    30 ઓક્ટોબર નું પંચાંગ

    October 29, 2025

    30 ઓક્ટોબર નું રાશિફળ

    October 29, 2025

    દરભંગાના અલીનગરની મુલાકાત લેનારા ગૃહમંત્રી Amit Shah મહાગઠબંધન પર આકરા પ્રહારો કર્યા

    October 29, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ વર્ષે Gujarat માં કાતિલ ઠંડી પડવાના એંધાણ, ડિસેમ્બરના અંતમાં ઠંડી ભુક્કા બોલાવશે!

    October 29, 2025

    Gandhinagar: ૧૭ હજાર કરોડનો એમઓયુ, પીપાવાવ પોર્ટ વિસ્તરણથી ૨૫ હજાર રોજગારી

    October 29, 2025

    AMC માં મોટો ફેરફારઃ ૬ કમિશ્નરોની બદલી, આરોગ્ય વિભાગમાં નવા ઇન્ચાર્જ

    October 29, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.