Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 01 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 01 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો
    • Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત
    • “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત
    • America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી
    • Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું
    • Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarના બલ્ડર મેરામણ પરમારના મૃત્યુ પ્રકરણમાં ગાંધીનગર પોલીસ ટુકડીના જામનગરમાં ધામાં, તપાસનો ધમધમાટ
    જામનગર

    Jamnagarના બલ્ડર મેરામણ પરમારના મૃત્યુ પ્રકરણમાં ગાંધીનગર પોલીસ ટુકડીના જામનગરમાં ધામાં, તપાસનો ધમધમાટ

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩૧

    જામનગરના અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમારના મૃત્યુ પ્રકરણમાં તેમના પુત્ર દેવ પરમાર દ્વારા ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ મથકમાં ૧૧ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ હવે તપાસનો દોર જામનગર સુધી પહોંચ્યો છે. આ ફરિયાદના અનુસંધાને ગાંધીનગર પોલીસની તપાસ ટુકડી ગઈકાલે રવિવારે બે-ત્રણ વાહનોના કાફલા સાથે જામનગર આવી પહોંચી હતી અને સ્થાનિક સી-ડિવિઝન પોલીસની મદદથી આરોપીઓ સાથે સંકળાયેલા વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરતાં શહેરમાં આ કાર્યવાહી ટોક ઓફ ધ ટાઉન બની હતી.

    મેરામણભાઈ પરમારના મૃત્યુને લઈને તેમના પરિવારજનોએ કરેલા આક્ષેપ મુજબ આ બનાવ કુદરતી મૃત્યુનો નહીં પરંતુ માનસિક ત્રાસને કારણે ઝેરી પદાર્થ પી આપઘાતનો હોવાનું જણાવાયું છે. આ અંગે તેમના પુત્ર દેવ પરમારે તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અડાલજ પોલીસ મથકમાં ભીખુભા હરીસિંહ વાઢેર, ધવલસિંહ ભીખુભા વાઢેર, વિરેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, શૈલેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, ગજરાબા ભીખુભા વાઢેર, અનિતાબા વિરેન્દ્રસિંહ વાઢેર, કશ્મીરાબા ધવલસિંહ વાઢેર, પ્રવિણભાઈ શૈલેન્દ્રસિંહ વાઢેર, પ્રવિણભાઈ લક્ષ્મણભાઈ દોમડિયા, કાંતાબેન પ્રવિણભાઈ દોમડિયા અને વિશાલ પ્રવિણભાઈ દોમડિયા સામે ફરિયાદ નોંધાવી છે.

    ફરિયાદમાં જમીન-મિલકતના વ્યવહારો અને નાણાંકીય લેવડદેવડને લઈને મેરામણભાઈને કથિત રીતે માનસિક ત્રાસ તથા વધુ નાણાંની માંગણી કરવામાં આવતી હોવાના આક્ષેપો કરાયા છે. ફરિયાદ મુજબ મેરામણભાઈએ મૃત્યુ પૂર્વે બે અલગ-અલગ સુસાઇડ નોટ લખી હતી, જેમાં નાણાંકીય વ્યવહારો, મિલકતોના દસ્તાવેજો તથા સંબંધિત વ્યક્તિઓ અંગે વિગતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

    ફરિયાદ નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં નાણાંકીય વ્યવહારો, બેન્ક સ્ટેટમેન્ટ, જમીન-મિલકતોના દસ્તાવેજો, સબ-રજિસ્ટ્રાર કચેરીના રેકોર્ડ તથા સુસાઇડ નોટ સહિતના પુરાવાઓની તપાસ શરૂ કરવામાં આવી છે. આ જ તપાસના ભાગરૂપે પોલીસની ટુકડી જામનગર આવી હોવાનું જાણવા મળે છે.

    ગાંધીનગરથી આવેલી પોલીસ ટીમે જામનગર સી-ડિવિઝન પોલીસનો સહયોગ મેળવી આરોપીઓ સાથે સંકળાયેલા હોવાનું જણાવાતા રહેણાક તથા અન્ય સ્થળોએ તપાસ કરી હતી. ખાસ કરીને ખોડિયાર કોલોની નજીકના વિસ્તારમાં ટીમ દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવી હતી. પોલીસના કાફલાને જોઈને સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સુકતા સર્જાઈ હતી અને કેટલાક લોકો સ્થળ પર એકત્રિત થયેલા જોવા મળ્યા હતા.

    પોલીસ ટીમે આરોપીઓના રહેણાક, તેમની અવરજવર સાથે સંકળાયેલા સ્થળો તથા અન્ય જરૂરી સ્થળોની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. દરમિયાન ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવાયેલા તમામ લોકોમાંથી કોઈપણ વ્યક્તિ તે સમયે જામનગરમાં હાજર ન હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હોવાનું જાણવા મળે છે.

    આ ઉપરાંત પોલીસે સ્થળ પર હાજર કેટલીક વ્યક્તિઓની પૂછપરછ કરી હતી અને પ્રકરણને લગતી જરૂરી પ્રાથમિક માહિતી મેળવી હોવાનું જાણવા મળે છે. દસ્તાવેજો અને અન્ય વિગતો અંગે પણ તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ ગાંધીનગર પોલીસની ટીમ વધુ તપાસ માટે પરત રવાના થઈ હોવાનું જાણવા મળે છે.

    અડાલજ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જામનગર શહેર ઉપરાંત નાઘેડી નગરસીમ તથા રાવલસર ગામની સીમમાં આવેલી આશરે ૨૮ જમીન-મિલકતોના વ્યવહારો અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદી પક્ષના દાવા મુજબ બેન્ક સ્ટેટમેન્ટ, સબ-રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવેજો તથા અન્ય નાણાંકીય રેકોર્ડની તપાસમાં રૂ. ૧૫૩ કરોડથી વધુની મિલકતોના વ્યવહારો અંગે પ્રશ્નો ઊભા થયા છે. આ તમામ વ્યવહારોની હકીકત હવે પોલીસ તપાસમાં સ્પષ્ટ થશે.

    સુસાઇડ નોટમાં નંદવિજ્ઞાન નિકેતન સ્કૂલની મિલકતના વ્યવહાર અંગે પણ ઉલ્લેખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. નાણાંકીય રોકાણ સામે સિક્યુરિટી તરીકે મિલકતમાં હિસ્સેદારીના દસ્તાવેજો કરાવવામાં આવ્યા બાદ વધુ નાણાંની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપો કરાયા છે. આ મુદ્દે પણ પોલીસ દ્વારા દસ્તાવેજો અને નાણાંકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.

    ગાંધીનગર પોલીસની ટીમના જામનગર આગમનથી મેરામણભાઈ પરમાર મૃત્યુ પ્રકરણમાં તપાસનો દોર વધુ ગંભીર બન્યો હોવાની ચર્ચા બિલ્ડર તથા વેપારી વર્તુળોમાં જોવા મળી રહી છે. જોકે ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા અને સમગ્ર નાણાંકીય વ્યવહારો અંગેની વાસ્તવિક હકીકત પોલીસની આગળની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar નજીક કનસુમરા તેમજ જામજોધપુર સહિત બે વાહન અકસ્માતમાં બે ના મોત
    Next Article ICC એ શ્રીલંકાને મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન અધિકારો છીનવી લીધા
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ સૈનિક સ્કૂલ બાલાચડીની મુલાકાત લીધી

    August 31, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં શ્રાવણી જુગારની જમાવટઃ ૩૧થી વધુ જુગારીઓ ઝડપાયા, રૂ. ૯૭,૧૫૦નો મુદ્દામાલ કબજે

    August 31, 2026
    જામનગર

    Jamnagar નજીક કનસુમરા તેમજ જામજોધપુર સહિત બે વાહન અકસ્માતમાં બે ના મોત

    August 31, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં ૧૭ શખ્સો ઝડપાયાઃ રૂ. ૨૪,૮૦૦નો મુદ્દામાલ કબજે

    August 31, 2026
    જામનગર

    Jamnagar-લાલપુર ધોરીમાર્ગ કાર, રિક્ષા અને ડબલસવારી બાઇક વચ્ચે અકસ્માત: રિક્ષાચાલક સહિત ત્રણના ઘટનાસ્થળે મોત, બાળકો સહિત સાત ઘાયલ

    August 31, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડના સોની વેપારી પાસેથી પત્નીને દાગીના બતાવવાના બહાને રૂ.૧૭.૬૯ લાખનું સોનું લઈ ઠગાઈ કરનારા બે ઝડપાયા

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,660
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,600
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,630
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 21:21
    Categories
    Latest News

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026
    Search
    Main News

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.