Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી
    • 15 જુલાઈનું પંચાંગ
    • 15 જુલાઈનું રાશિફળ
    • “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા
    • Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા
    • ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?
    • Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો
    • Indian નાવિકનું મૃત્યુ સંદર્ભે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓને સમન્સ મોકલ્યા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»રથયાત્રા માટે Ahmedabad સજ્જ, ૩૦ હજારથી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; એઆઇ, ડ્રોન અને ૧૦૦૦ બોડી કેમેરાથી નજર રહેશે
    અમદાવાદ

    રથયાત્રા માટે Ahmedabad સજ્જ, ૩૦ હજારથી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; એઆઇ, ડ્રોન અને ૧૦૦૦ બોડી કેમેરાથી નજર રહેશે

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૪

    ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સમગ્ર અમદાવાદ શહેર ભક્તિના રંગે રંગાવા અને પ્રભુના સ્વાગત માટે સજ્જ બન્યું છે. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે સમગ્ર રૂટનું ગ્રાન્ડ રિહર્સલ અને નિરીક્ષણ કર્યું હતું. આ વર્ષે રથયાત્રાને વિઘ્નરહિત અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે ૩૦ હજારથી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે પહેલીવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ટેક્નોલોજી, ડ્રોન અને ૧૦૦૦ જેટલા બોડી-વોર્ન કેમેરા જેવા સ્માર્ટ પોલીસિંગ હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે.

    અમદાવાદમાં રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે આ વર્ષે એવી વ્યવસ્થા ગોઠવી છે કે વધુમાં વધુ શહેરીજનો ભગવાન જગન્નાથના દર્શન સરળતાથી કરી શકે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વખતે માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પરંતુ સામાજિક વ્યવસ્થાને પણ કેન્દ્રમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રથયાત્રાનો કાફલો અંદાજે ૩ કિલોમીટર લાંબો રહેશે, જેમાં ૧૮ ગજરાજ, ૧૦૩ ટ્રક સહિત અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક ઝાંખીઓ જોડાશે. રથયાત્રા ૧૬ જુલાઈએ સવારે ૭ વાગ્યે જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરશે. બપોરે સરસપુર ખાતે ભગવાનનો પરંપરાગત વિસામો રહેશે અને સાંજે અંદાજે ૮ વાગ્યે રથયાત્રા ફરી નિજ મંદિર પરત ફરશે.

    સુરક્ષા વ્યવસ્થા અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર રૂટ પર ૩૦ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ, ૧૫ એસઆરપીએફ કંપનીઓ અને ૯ પેરામિલિટરી ફોર્સની ટુકડીઓ તૈનાત રહેશે. બંદોબસ્ત સ્ટેટિક અને મૂવિંગ – બંને પ્રકારનો રહેશે. રૂટ પર વિવિધ સ્થળોએ ચેકિંગ પોઈન્ટ, બેરિકેડિંગ અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ પોલીસે રથયાત્રા પૂર્વે અસામાજિક તત્વો સામે સફળ કોમ્બિંગ ઓપરેશન ચલાવી અનેક શંકાસ્પદ તત્વોને કાયદાના ભોગે ચડાવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ વર્ષે પ્રથમ વખત સ્માર્ટ પોલીસિંગને વધુ મજબૂત બનાવવા માટે છૈં ટેક્નોલોજી, ડ્રોન સર્વેલન્સ, ૧૦૦૦ બોડી-વોર્ન કેમેરા, તેમજ પિકપોકેટર અને વોન્ટેડ આરોપીઓને ઓળખી શકાય તેવા સ્પેશિયલ છૈં કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.

    ગજરાજોની સલામતીને ધ્યાનમાં રાખીને તમામ હાથીઓ પર ક્રિપ્ટોમીટર અને ડેસિબલ મીટર લગાવવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ શહેરજનોને અપીલ કરી હતી કે ગજરાજો પસાર થાય ત્યાં સુધી ડીજે કે ઊંચા અવાજનું સંગીત ન વગાડે, જેથી ગજરાજને કોઈ તકલીફ ન પડે.

    સોશિયલ મીડિયા પર પણ પોલીસની સતત નજર રહેશે અને અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે ૧૬ જુલાઈની વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે, જ્યારે પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન જગન્નાથની પવિત્ર ’પહિંદ વિધિ’ કરશે.

    અંતમાં તેમણે અમદાવાદના નાગરિકોને અપીલ કરી કે રથયાત્રા દરમિયાન પોલીસ અને વહીવટી તંત્રને સહયોગ આપે, ભયજનક અથવા જર્જરિત ઇમારતો નજીક ઊભા ન રહે અને શાંતિ, સૌહાર્દ તથા ભક્તિભાવ સાથે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રામાં જોડાઈ આસ્થાના આ મહાપર્વને સફળ બનાવે. તેમણે ગુજરાત પોલીસ અને સમગ્ર વહીવટી તંત્ર તરફથી તમામ શહેરીજનોને રથયાત્રાની શુભેચ્છાઓ પણ પાઠવી.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad રથયાત્રા પહેલા ૧૪મી જુલાઈએ નેત્રોત્સવ વિધિ, ૧૫મી સોનાવેશ દર્શનનો ભક્તોને લાભ મળશે

    July 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: વિઝા કન્સલ્ટન્ટે વર્ક પરમીટના બહાને રૂ. ૩૨.૫૦ લાખની છેતરપિંડી આચરી

    July 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: પિતાના ત્રાસથી કંટાળી ધોરણ-૧૨ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    July 13, 2026
    અમદાવાદ

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર

    July 11, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં AIથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે, યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026

    “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા

    July 14, 2026

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026

    ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?

    July 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.