Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અણુશસ્ત્ર વહન કરી શકતાAgni-1 and Prithvi-2 missiles નું સફળ પરિક્ષણ

    July 18, 2025

    Fire Cash Scandal : જસ્ટીસ વર્મા સુપ્રીમમાં : તપાસ સામે પ્રશ્ન

    July 18, 2025

    ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે

    July 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અણુશસ્ત્ર વહન કરી શકતાAgni-1 and Prithvi-2 missiles નું સફળ પરિક્ષણ
    • Fire Cash Scandal : જસ્ટીસ વર્મા સુપ્રીમમાં : તપાસ સામે પ્રશ્ન
    • ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે
    • Bhavnagar: કાળિયાબીડમાં કારે અડફેટે લેતા બેના કરૂણ મોત
    • Bhavnagar: યુવકનું બાઈક સળગાવી ઘરમાં તોડફોડ કરી લૂંટ ચલાવી
    • Bhavnagar: મોનિટરિંગ સેલના પીએસઆઈનું હાર્ટ એટકથી મોત
    • Junagadh: ઓનલાઈન ડિલીવરી કરતી કંપનીના કર્મચારીએ 13 ફોન ચોરી લીધા
    • Rajkot: પોલીસને હંફાવવા હવે ગુનેગારો દ્વારા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad airport નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યા
    અમદાવાદ

    Ahmedabad airport નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યા

    Vikram RavalBy Vikram RavalJune 12, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.12

    અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઓફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઇ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.

    સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 1.38 વાગે ટેક ઓફ થઈ હતી. આંખના પલકારામાં બે મિનિટમાં જ વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો હતો. જેથી વિમાન બિલ્ડિંગ સાથે ટકરાઈ ક્રેશ થયુ હતું. વિમાન ધડાકાભેર ક્રેશ થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

    આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.   દુર્ઘટનાસ્થળેથી જેવી તસવીરો સામે આવી રહી છે તે વિચલિત કરી દે તેવી છે.

    સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાના અહેવાલ હતા. પરંતુ પછીથી પુષ્ટી થઇ હતી કે આ વિમાનમાં વિજય રૂપાણી હાજર નથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ઘટનાને પગલે અમદાવાદ આવવા રવાના થાય છે. વિમાનમાં લગભગ 242 મુસાફરો હોવાની જાણકારી મળી રહી છે. આ વિમાન ક્રેશ થવાના કારણે આસપાસના વિસ્તારમાં લોકો ધણધણી ઉઠ્યા હતા.

    આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે. જો કે, આ ઘટનામાં જાનહાનિ કે ઈજાગ્રસ્તોનો ચોક્કસ આંકડો હજુ સુધી મળી શક્યો નથી. આ ફ્લાઈટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું અનુમાન છે.

    આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના તમામ ડૉક્ટરોને ફરજ પર હાજર થવાના આદેશ અપાયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સિવિલ હોસ્પિટલ જવા માટે રવાના થઇ ગયા છે.

    આ દરમિયાન ઈજાગ્રસ્તોની સહાય માટે તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પહોંચી ગઇ છે. આ વિમાનમાં 200થી વધુ મુસાફરો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ત્રણ ગાડીનો કાફલો, પોલીસ, NDRF અને BSF જવાનો પણ બચાવકાર્ય માટે પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે.

    પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ પ્લેન ક્રેશ સિવિલ હોસ્પિટલની રેસિડેન્શિયલ હોસ્ટેલ અને મેસ પર પડ્યું હોવાનું કહેવાય છે. આ દરમિયાન એટલો મોટો ધડાકો થયો હતો કે, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા. એટલું જ નહીં, અનેક દર્દીઓના બ્લડપ્રેશર પણ વધી ગયા છે. ફરજ પરના તબીબોએ પણ પુષ્ટિ કરી છે કે, ધડાકાના કારણે અનેક દર્દીઓની સ્થિતિ નાજુક છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઓફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાઇ હોવાથી દુર્ઘટના સર્જાઇ હતી.અત્યાર સુધી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 25 થી 30 મૃતદેહોને કાઢી લેવામાં આવ્યા છે જે મોટાભાગે બળી ગયેલી હાલતમાં મળ્યાં છે.

    Ahmedabad Air India plane Airport Crashes
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    અણુશસ્ત્ર વહન કરી શકતાAgni-1 and Prithvi-2 missiles નું સફળ પરિક્ષણ

    July 18, 2025
    રાષ્ટ્રીય

    Fire Cash Scandal : જસ્ટીસ વર્મા સુપ્રીમમાં : તપાસ સામે પ્રશ્ન

    July 18, 2025
    રાષ્ટ્રીય

    ‘છેલ્લા 10 વર્ષથી મારા બનેવીને પરેશાન કરી રહી છે સરકાર’, Rahul Gandhi નું નિવેદન

    July 18, 2025
    રાષ્ટ્રીય

    AAP Leaders On ED’s Radar,મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ, કરોડોની હેરફેરનો આરોપ

    July 18, 2025
    આંતરરાષ્ટ્રીય

    હાથ પર ઈજા, પગમાં સોજો ટ્રમ્પ બીમારીથી પીડાઈ રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું

    July 18, 2025
    આંતરરાષ્ટ્રીય

    16 વર્ષની વયે મતદાન, બૅન્ક કાર્ડ ગણાશે ઓળખ પત્ર, British સરકાર

    July 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અણુશસ્ત્ર વહન કરી શકતાAgni-1 and Prithvi-2 missiles નું સફળ પરિક્ષણ

    July 18, 2025

    Fire Cash Scandal : જસ્ટીસ વર્મા સુપ્રીમમાં : તપાસ સામે પ્રશ્ન

    July 18, 2025

    ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે

    July 18, 2025

    Bhavnagar: કાળિયાબીડમાં કારે અડફેટે લેતા બેના કરૂણ મોત

    July 18, 2025

    Bhavnagar: યુવકનું બાઈક સળગાવી ઘરમાં તોડફોડ કરી લૂંટ ચલાવી

    July 18, 2025

    Bhavnagar: મોનિટરિંગ સેલના પીએસઆઈનું હાર્ટ એટકથી મોત

    July 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અણુશસ્ત્ર વહન કરી શકતાAgni-1 and Prithvi-2 missiles નું સફળ પરિક્ષણ

    July 18, 2025

    Fire Cash Scandal : જસ્ટીસ વર્મા સુપ્રીમમાં : તપાસ સામે પ્રશ્ન

    July 18, 2025

    ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે

    July 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.