Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    August 22, 2026

    Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ

    August 22, 2026

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨
    • Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ
    • Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ
    • Surat: ભેસ્તાનમાં બાળકોની જૂની અદાવતમાં યુવકની ક્રૂર હત્યા
    • Ahmedabad: અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું ચાંદીની પાદુકાનું દાન
    • Ahmedabad: નિકોલમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
    • Aravalli: રોડ અકસ્માતથી લકવાગ્રસ્ત બનેલા દીપડાને નવજીવન અપાયું
    • Ahmedabad ના ચાંદખેડામાં પાન પાર્લરના સંચાલક પર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, August 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: ગુજરાત ગૌરવ સરોવરનું દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ
    અમરેલી

    Amreli: ગુજરાત ગૌરવ સરોવરનું દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ

    Vikram RavalBy Vikram RavalAugust 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૨૨

    લાઠી-લીલીયા પંથકમાં વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાતા વિસ્તારોને જળસમૃદ્ધ બનાવવાની દિશામાં ધોળકિયા ફાઉન્ડેશન અને હરિ કૃષ્ણ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવેલી જળસંચયની કામગીરીને હવે રાષ્ટ્રીય સ્તરે વધુ એક મહત્વપૂર્ણ સન્માન મળવા જઈ રહ્યું છે. ગાગડિયા નદી પર હરિ કૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.

    આ નિમિત્તે આગામી ૨૭ ઓગસ્ટના રોજ સવારે ૯ વાગ્યે લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહી ગુજરાતના  ગૌરવસમા સરોવરનું લોકાર્પણ કરશે. મહાનુભાવના આગમનને લઈને સમગ્ર લાઠી-લીલીયા પંથકમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

    ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ લાઠી-લીલીયા પંથકમાં છેલ્લા કેટલાક વર્ષોથી જળસંચય અને જળસંરક્ષણની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. એક સમયે જળવિહોણા પ્રદેશ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ચેકડેમ, તળાવો, નદી ઊંડીકરણ સહિતની કામગીરીના પરિણામે ભૂગર્ભ જળસ્તરમાં વધારો થયો છે અને ખેતી તથા ગ્રામ્ય જીવનને પણ તેનો સીધો લાભ મળ્યો છે.

    જળસંચયની આ કામગીરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ બિરદાવી છે. ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ પ્રકારની જળસંરક્ષણ પ્રવૃત્તિની પ્રશંસા કરી હોવાનું જણાવાયું છે. સ્થાનિક સ્તરે શરૂ થયેલી જળક્રાંતિ હવે દેશભરમાં જળસંચયના સફળ મોડેલ તરીકે ચર્ચાઈ રહી છે.

    ગાગડિયા નદી પર નિર્મિત ગુજરાત ગૌરવ સરોવર આ સમગ્ર જળસંચય અભિયાનમાં વધુ એક મહત્વપૂર્ણ કડી માનવામાં આવી રહ્યું છે. સરોવરના લોકાર્પણ સાથે લાઠી-લીલીયા પંથકમાં જળસંચયની કામગીરીને નવી ગતિ અને ઓળખ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના આગમનને લઈને કાર્યક્રમના આયોજનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ગૃહમંત્રીના સ્વાગત માટે સ્થાનિક આગેવાનો, સંસ્થાઓ તથા ગ્રામજનોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    એક સમયે પાણીની અછત માટે જાણીતા લાઠી-લીલીયા વિસ્તારને જળસંચયના માધ્યમથી જળસમૃદ્ધ બનાવવાની દિશામાં થયેલી કામગીરી હવે ગુજરાતની જળક્રાંતિની મહત્વપૂર્ણ ગાથા બની રહી છે. ૨૭ ઓગસ્ટનો દિવસ આ જળસંરક્ષણ અભિયાન માટે ઐતિહાસિક બની રહેશે. તેમ મનોજ જોષીએ જણાવ્યું હતું.

    અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ચાર વર્ષ પહેલા તા.૧૧-૯-૨૨ ના રોજ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ચાર વર્ષ બાદ ફરી અમરેલી જિલ્લાના પ્રવાસે આવી રહેલા અમિત શાહને આવકારવા લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

    Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleભાજપ યુપીની સાત બેઠકો પર સપાનો સામનો કરવા માટે એક કાઉન્ટર શોધી રહી છે, વિજેતા ચહેરાની શોધમાં છે
    Next Article સતનામાં ૪૮ કલાકથી સતત વરસાદ, નાગોદમાં ૩ બાઇક સવારો ભરાયેલા નાળામાં તણાઈ ગયા; એકનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Bhavnagar લઠ્ઠાકાંડના પડઘા અમરેલીમાં પડ્યાઃ આમ આદમી પાર્ટીનો વિરોધ

    August 22, 2026
    અમરેલી

    Amreli: જાફરાબાદ નજીક જુગારધામ પર SMCનો દરોડો, 15 શખ્સો જૂગટુ ખેલતા ઝડપાયા

    August 19, 2026
    અમરેલી

    80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન

    August 14, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલાનાં ખોડિયારના ગામે જમીન ખાલી કરાવવા ધાક-ધમકી મળતા ગ્રામજનોનું આવેદન

    August 14, 2026
    અમરેલી

    Amreli: 300 મીટરના તિરંગા સાથે યાત્રા યોજાઇ

    August 14, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલામાં આન-બાન અને શાન સાથે તિરંગા યાત્રા સંપન્ન

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,990
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-08-2026 19:27
    Categories
    Latest News

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    August 22, 2026

    Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ

    August 22, 2026

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026

    Surat: ભેસ્તાનમાં બાળકોની જૂની અદાવતમાં યુવકની ક્રૂર હત્યા

    August 22, 2026

    Ahmedabad: અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું ચાંદીની પાદુકાનું દાન

    August 22, 2026

    Ahmedabad: નિકોલમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    August 22, 2026
    Search
    Main News

    ૧ લાખ શાળાઓમાં માત્ર એક શિક્ષક,સુવિધાઓ જમીન પર કેમ નહીં?

    August 22, 2026

    ૨૦૦૫ના Sohrabuddin Fake Encounter Case માં નવો વળાંક, હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

    August 22, 2026

    વિદેશ મંત્રી S. Jaishankar ઓગસ્ટના અંતમાં રશિયા પહોંચશે આર્થિક અને સહયોગના અન્ય ક્ષેત્રોની સમીક્ષા કરશે

    August 22, 2026

    ન્યાયાધીશો ભગવાન નથી, દરેક નિર્ણય સાચો હોઈ શકતો નથી;Judge Sanjay Karol

    August 22, 2026

    માત્ર ન્યાય-નોમિક્સ જ અર્થતંત્રમાં વૃદ્ધિને વેગ આપશે”: CJI Suryakant

    August 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    August 22, 2026

    Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ

    August 22, 2026

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.