- Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ
- Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે
- કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ
- વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1
- San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી
- Online દવાના વેચાણ પર લગામ કસવા તૈયારી
- મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ
- Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ
Author: Vikram Raval
New Delhi,તા.૧૩ જ્યોર્જ મુન્સી સ્કોટલેન્ડ નેધરલેન્ડ્સ સામે ચાર વિકેટથી હારી ગયું. મેચમાં, સ્કોટલેન્ડે પહેલા બેટિંગ કરી અને ૩૬૯ રન બનાવ્યા. સ્કોટલેન્ડ આ મેચ હારી ગયું હોવા છતાં, જ્યોર્જ મુન્સીએ તેમના માટે સારી બેટિંગ કરી અને ૧૯૧ રન બનાવ્યા. તેમના કારણે જ ટીમ મોટો સ્કોર બનાવવામાં સફળ રહી. સ્કોટલેન્ડ માટે જ્યોર્જ મુન્સીએ મજબૂત બેટિંગ પ્રદર્શન કર્યું. તેણે ઇનિંગ્સની શરૂઆતથી જ આક્રમક અભિગમ અપનાવ્યો અને ૧૫૦ બોલમાં કુલ ૧૯૧ રન બનાવ્યા, જેમાં ૧૪ ચોગ્ગા અને ૧૧ છગ્ગાનો સમાવેશ થાય છે. તેની મોટી ઇનિંગ્સને કારણે જ સ્કોટલેન્ડ હિમાલય જેટલો મોટો સ્કોર બનાવવામાં સફળ રહ્યું. મુન્સી પાસે બેવડી સદી ફટકારવાની તક હતી, જ્યારે તે…
New Delhi,તા.૧૩ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ૨૦૨૩-૨૭ માં, નેધરલેન્ડ્સ ટીમે સ્કોટલેન્ડને ૪ વિકેટથી હરાવ્યું. બંને ટીમોના બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું અને મેચમાં રનનો વરસાદ થયો. સ્કોટલેન્ડે પહેલા બેટિંગ કરતા ૩૬૯ રન બનાવ્યા. આ પછી, મેક્સ ઓ’ડાઉડે નેધરલેન્ડ્સ માટે ૧૫૮ રનની જોરદાર ઇનિંગ રમી અને તેમને વિજય અપાવ્યો. બેટ્સમેનોના સારા પ્રદર્શનને કારણે, નેધરલેન્ડ્સે ૩૭૦ રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લીધો. નેધરલેન્ડ્સ ટીમે મેચ જીતતાની સાથે જ અજાયબીઓ કરી છે. નેધરલેન્ડ્સે વનડે ક્રિકેટમાં પહેલી વાર ૩૦૦ થી વધુ રનના લક્ષ્યાંકનો પીછો કર્યો છે. વર્ષ ૨૦૨૩ માં, નેધરલેન્ડ્સે વેસ્ટ ઈન્ડિઝ સામે લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ૩૭૪ રન બનાવ્યા હતા, પરંતુ મેચ ટાઈ…
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ૫૦૦ રૂપિયાની નોટો પર પ્રતિબંધની જાહેરાત કરી. ભલામણ કરવામાં આવી ત્યારથી, દેશભરમાં ફરી એકવાર ’નોટબંધી’ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે, કેન્દ્ર સરકાર તરફથી તેના સમર્થનમાં કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી અને ૫૦૦ રૂપિયાની નોટો હજુ પણ ચલણમાં છે, ક્યાંય કોઈ સમસ્યા નથી. એક મુખ્યમંત્રી, જેમની પાર્ટી કેન્દ્રમાં શાસક એનડીએનો ભાગ છે, તેમનું આવું નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે ભ્રષ્ટાચારને રોકવાની વાત આવે છે. દેશને ૮ નવેમ્બર, ૨૦૧૬ ના રોજ કરવામાં આવેલા નોટબંધીનો અનુભવ છે. આને કારણે, લોકો અને ઉદ્યોગપતિઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમના મનમાં એક આશા હતી…
સોશિયલ મીડિયા પર તમામ કલાકારોએ મૃતકો અને તેમના પરિવારજનો સાથે પોતાની સંવેદના વ્યક્ત કરી છે Mumbai, તા.૧૩ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થયું છે. આ પ્લેનમાં ૨૪૨ મુસાફર સવાર હતા. પ્લેન જે જગ્યાએ ક્રેશ થયું એ સિવિલ હોસ્પિટલના ઈન્ટર્ન અને રેસિડેન્ડ ડૉક્ટર્સની હોસ્ટેલ હતી, જેથી મોટી જાનહાનિ થઈ છે. સમગ્ર દેશને હચમચાવી નાખનારી દુર્ઘટનાને લઈને બોલીવુડના ફિલ્મી અભિનેતા અને અભિનેત્રીઓએ સંવેદના વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર તમામ કલાકારોએ મૃતકો અને તેમના પરિવારજનો સાથે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.અક્ષય કુમારે એક્સ પર જણાવ્યું કે, “એર ઇન્ડિયાના પ્લેન ક્રેશથી આઘાત અને અવાચક છું. આ સમયે ફક્ત પ્રાર્થના…
Rajkot ,તા.13 રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનુ વિમાન દુર્ઘટનામાં નિધન થતા સમગ્ર રાજકોટમાં આઘાત છે. ‘કોમનમેન’ તરીકે દરેક સાથે આત્મીયતા ધરાવતા અને પ્રજાહિતમાં રાજકારણને પણ બાજુએ રાખી દેનારા આ સંવેદનશીલ નેતાના અવસાનથી કોંગ્રેસ નેતાઓએ પણ દુખ દર્શાવ્યુ છે એટલુ જ નહીં, રાજકોટના વિકાસમાં તેમનુ મોટુ યોગદાન હોવાથી તેમની અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ પાડવાનુ આહવાન કર્યુ છે. કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યું કે રાજકોટના મેયરથી માંડીને સાંસદ- મુખ્યમંત્રી સુધીની સફર દરમ્યાન રાજકોટના વિકાસ માટે કરેલી પ્રજાહિતની કામગીરી કાયમ યાદ રહેશે. અદના આદમી- કાર્યકરથી માંડીને તમામ લોકો સાથે પારિવારિક નાતો ધરાવતા હતા. વ્યસ્ત શિડયુલમાં પણ…
Rajkot , તા. 13 રાજકોટ શહેરમાં ગઇકાલ તા.12ના રોજ કોરોનાના નવા 11 કેસ બહાર આવતા મહાનગરમાં કુલ દર્દીઓનો આંકડો દોઢ સદી નજીક પહોંચ્યો છે. આ કેસમાં એક બાળક અને એક બાળકીનો પણ સમાવેશ થાય છે. વોર્ડ નં.3ના અમૃત પાર્કમાં રહેતી છ વર્ષની બાળકી સારંગપુરથી પરત ફર્યા બાદ તેને કોરોના નિદાન થયું છે. આ જ વોર્ડના કોઠી કમ્પાઉન્ડ વિસ્તારના 40 વર્ષના પુરૂષ અને 34 વર્ષના મહિલાને પણ ચેપ લાગ્યો છે. વોર્ડ નં.12માં સાગર બંગ્લોઝમાં રહેતા 11 વર્ષના બાળકને પણ પોઝીટીવ રીપોર્ટ છે. વોર્ડ નં.1માં મણીનગરમાં રહેતા 36 વર્ષના સ્ત્રી, વોર્ડ નં.7માં જાગનાથમાં રહેતા 22 વર્ષના મહિલા, વોર્ડ નં.8માં સતનામ હોસ્પિટલ પાસે…
Lucknow તા.13 ભીષણ ગરમીને કારણે આગ લાગવાની ઘટનામાં વધારો થયો છે. અત્રે સરોજિનીનગર ક્ષેત્રમાં આજે બપોરે ઈન્ડિયન ઓઈલ ડેપોમાં ઉભેલા ટેન્કરમાં આગ ભભૂકી હતી. આ આગ લાગવાનું કારણ ભીષણ ગરમી બતાવવામાં આવે છે. આ આગની ઝપટમાં અન્ય એક ટેન્કર પણ આવી ગયું હતું જોકે સદભાગ્યે તે ખાલી હતું. આ ટેન્કર પણ બળીને ખાસ થઈ ગયું હતું. અન્ય ટેન્કર ચાલકોએ જોયું કે બે ટેન્કર આગની ઝપટમાં આવી ગયા છે. તો તેઓ ટેન્કર લઈને ભાગી છુટયા હતા. જેથી મોટુ દુર્ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ કાબુમાં લીધી હતી.
New Delhi,તા.13 જીએસટી વિભાગે છેતરપિંડી કરનારાઓને રોકવા માટે જીએસટી રિટર્નના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. તાજેતરમાં જીએસટી વિભાગે જીએસટીઆર યુબીસી ડેટામાં ફેરફાર ન કરવાનો નિયમ જાહેર કર્યો હતો. આ પછી, એક નવા ફેરફાર મુજબ, વેપારીઓ 3 વર્ષથી વધુ જૂના રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. જીએસટી વિભાગનાં આ નિર્ણયને કારણે છેતરપિંડી કરનારા વેપારીઓ પર લગામ લાગશે, જ્યારે ઘણાં વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ ગુમાવવી પડી શકે છે. જીએસટી વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઘણાં વેપારીઓ જીએસટી ભરવા માંગતાં ન હતાં અથવા છેતરપિંડીમાં સંડોવાયેલાં હતાં, આવાં વેપારીઓ રિટર્ન ભરતા ન હતાં. આ કારણે સરકારને મોટી રકમ ગુમાવવી પડી હતી. આ મામલો દેશભરમાં…
Tehran તા.13 ઈઝરાયેલના ઈરાન પર ભીષણ હુમલાને પગલે નવુ ભૌગોલિક ટેન્શન સર્જાયુ છે ત્યારે સાઉદી અરેબીયા ઈરાનની પડખે આવ્યુ છે અને ઈઝરાયેલી હુમલાને વખોડયો છે. સાઉદી વિદેશમંત્રીએ ટવિટ કરીને કહ્યું કે ઈઝરાયેલનો હુમલો ઈરાનના સાર્વભૌમત્વ પર આક્રમણ છે. આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમોનો ખુલ્લો ભંગ છે. સાઉદી અરેબીયા તેને વખોડે છે અને આક્રમણ રોકવાની જવાબદારી નિભાવવા સુરક્ષા પરિષદ તથા આંતરરાષ્ટ્રીય સમુદાયને આગ્રહ કરે છે.
Israel,તા.13 દુનિયામાં વધુ એક યુદ્ધના મંડાણ થવાના એંધાણ હોય તેમ ઈઝરાયેલે હવે ઈરાન પર ભીષણ હુમલો કર્યો હતો.ઈરાનનું પાટનગર તહેરાન શ્રેણીબદ્ધ ધડાકાઓથી ધણધણી ઉઠયુ હતું. વ્યાપક તારાજી થઈ હતી.કેટલાંક અણુ વૈજ્ઞાનિકોના મોત થયા હતા. ઉપરાંત ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફનું પણ મોત થયાના રીપોર્ટ છે. ઈઝરાયેલનાં વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ જાહેર કર્યું હતું કે ઈઝરાયેલ દ્વારા ઓપરેશન રાઈઝીંગ લાયન શરૂ કરવામાં આવ્યુ છે. ઈરાન તરફથી ખતરા સામે અસ્તિત્વની લડાઈનાં ભાગરૂપે આ ટારગેટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખતરો ખત્મ ન થાય ત્યાં સુધી આ ઓપરેશન જારી રાખવામાં આવશે. ઈઝરાયેલના સૈન્ય અધિકારીએ કહ્યું કે ઈરાનનાં અણુ સંસ્થાનો તથા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા…