Author: Vikram Raval

New Delhi, તા.15 ગુજરાત સહિત દેશના મોટાભાગના ક્ષેત્રોમાં મેઘરાજાએ બ્રેક લીધો છે અને ચિંતા વધવા લાગી છે. જ્યારે બંગાળની ખાડીમાં નવું લો-પ્રેસર ઉદ્ભવતા ચોમાસુ ફરી સક્રિય થવાની આશા સર્જાઇ છે. હવામાન વિભાગ દ્વારા આજે સવારે જારી કરાયેલા બુલેટીન મુજબ ઉતરીય બંગાળની ખાડી તથા સંલગ્ન દક્ષિણ બાંગ્લાદેશના અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ ઉત્તર ઓડિશા તથા પશ્ચિમ બંગાળના કાંઠા પર ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડીમાં આજે સવારે લો-પ્રેશર બન્યું છે. તેને સંલગ્ન સાયક્લોનિક સરક્યુલેશન 7.6 કીમીની ઉંચાઇએ દક્ષિણ-પશ્ચિમી ઝુકાવ ધરાવે છે. આ સિસ્ટમ સમગ્ર ઉતરીય ઓડિશા તથા પશ્ચિમ બંગાળમાં આવતા બે દિવસમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. આ સિવાય ઉત્તર ગુજરાત તથા…

Read More

New Delhi, તા.15 ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વ્યાપાર સમજુતી લાગુ થવાની સાથે બન્ને દેશોના વ્યાપારિક સંબંધોમાં નવો તબકકો શરૂ થયો છે. આ વ્યવસ્થા અંતર્ગત મોટા ભાગની ભારતીય નિકાસને બ્રિટીશ બજારમાં ચાર્જ-મુક્ત પહોંચ મળશે. જ્યારે બ્રિટનથી આવતા અનેક ઉત્પાદનો પર આયાત ચાર્જ તબકકાવાર રીતે ઘટશે. આથી ઉદ્યોગ, કૃષિ, સેવાક્ષેત્ર, એમએસએમઇ અને વ્યાવસાયિકોને નવી તક મળવાની આશા છે. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક તેમજ વ્યાપાર સમજુતી (સીઇટીએ) આજથી લાગુ થઇ ગઇ છે, જેને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સૌથી મોટા મુક્ત વ્યાપાર સમજુતીમાંનો એક માનવામાં આવે છે. સરકારનો દાવો છે કે, આથી ખેડૂતો, શ્રમિકો, એમએસએમઇ, નિકાસકારો અને સેવા ક્ષેત્રને…

Read More

Washington,તા.15 યુક્રેન-રશિયા વચ્ચેના સાડા ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધમાં હજું કોઈ નિર્ણાયક સ્થિતિ બની નથી પણ રશિયા પાસેથી ક્રુડતેલ-તેલ ખરીદનાર દેશો યુદ્ધમાં ટકી રહેવા માટે રશિયાને કમાણી કરાવી રહ્યા છે તેવા કારણે ભારત-ચીન સહિતના દેશો પર 500% ટેરિફ લગાવવામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીમાં હવે રાહતના સમાચાર છે. પ્રમુખ ટ્રમ્પે હવે અમેરિકી સંસદ સમક્ષ રજુ કરેલા ખરડામાં જે 500% ટેરિફનો પ્રસ્તાવ હતો તે હવે 100% કર્યો છે અને તેમાં પણ રાહત મળે તેવા સંકેત છે. ભારત-ચીન જેવા દેશો રશિયન ક્રુડતેલના મોટા આયાતકાર દેશ છે અને અમેરિકી સંસદમાં રજુ કરવા માટેના પ્રતિબંધાત્મક ખરડામાં 500% ટેરિફની જોગવાઈ હતી. હાલમાં જ દિવંગત…

Read More

Ravi Bhatt મંગળવારના રોજ ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી, ઊંચા સ્તરે થયેલી વ્યાપક નફાવસૂલી, ક્રૂડ ઓઇલના મજબૂત ભાવ અને પ્રથમ ત્રિમાસિકના પરિણામો પહેલાં રોકાણકારોની સાવચેતીના કારણે બજારમાં વ્યાપક ઘટાડો નોંધાયો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સમાં લગભગ ૬૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાતા મોટા ભાગના ક્ષેત્રોમાં વેચવાલીનું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે નીચલા સ્તરે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા પસંદગીયુક્ત ખરીદી થતાં બજારમાં મર્યાદિત આધાર જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં બજારની દિશા મુખ્યત્વે કોર્પોરેટ પરિણામો, વૈશ્વિક સંકેતો અને વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ ઉપર નિર્ભર રહેશે. સેન્સેક્સ શરૂઆતથી જ ભારે દબાણ…

Read More

Ranchi,તા.૧૪ છત્તીસગઢ વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી. કોંગ્રેસે આ બાબતે ચર્ચા કરવા માટે સ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો, પરંતુ વિધાનસભા અધ્યક્ષ ડૉ. રમણ સિંહે તેને ફગાવી દીધો, તેને રાજ્ય સરકારના અધિકારક્ષેત્રની બહારનો મામલો ગણાવ્યો. વિપક્ષના નેતા ચરણદાસ મહંતે ગૃહમાં જણાવ્યું હતું કે દેશભરના લાખો ભક્તોની શ્રદ્ધા રામ મંદિર સાથે જોડાયેલી છે, અને જો દાનમાં અનિયમિતતાના આરોપો લગાવવામાં આવે છે, તો તેની ચર્ચા કરવી જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે છત્તીસગઢના લોકોએ પણ મંદિરના નિર્માણ અને દાનમાં યોગદાન આપ્યું છે, તેથી તેમની ભાવનાઓ સાથે સંકળાયેલા…

Read More

તા.15-07-2026 બુધવાર તિથિ પ્રથમા (એકમ) – ૧૧ઃ૫૩ઃ૪૦ સુધી નક્ષત્ર પુષ્ય – ૨૧ઃ૪૭ઃ૫૩ સુધી કરણ ભાવ – ૧૧ઃ૫૩ઃ૪૦ સુધી, બાલવ – ૨૨ઃ૨૧ઃ૦૦ સુધી પક્ષ શુક્લ યોગ હર્ષણ – ૦૮ઃ૦૪ઃ૩૫ સુધી, વજ્ર – ૨૮ઃ૩૦ઃ૩૦ સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૦૨ઃ૩૭ સૂર્યાસ્ત ૧૯ઃ૨૭ઃ૫૮ ચંદ્ર રાશિ કર્ક ચંદ્રોદય ૦૬ઃ૪૬ઃ૦૦ ચંદ્રાસ્ત ૨૦ઃ૩૦ઃ૫૯ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૩૧ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત અષાઢ દિન કાળ ૧૩ઃ૨૫ઃ૨૦ અશુભ સમય દુર મુહુર્ત ૧૨ઃ૧૮ઃ૨૭ થી ૧૩ઃ૧૨ઃ૦૯ ના કુલિક ૧૨ઃ૧૮ઃ૨૭ થી ૧૩ઃ૧૨ઃ૦૯ ના દુરી / મરણ ૧૭ઃ૪૦ઃ૩૬ થી ૧૮ઃ૩૪ઃ૧૭ ના રાહુ કાળ…

Read More

તા.15-07-2026 બુધવાર મેષ આજે દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય. જે લોકો ની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રો થી ઉધાર માંગી શકે છે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. સાંજનું સારૂં ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે. આરોગ્ય ને અવગણવું તણાવ માં વધારો કરી શકે છે, તેથી તબીબી સલાહ તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે. વૃષભ આજના દિવસે તમારી અંદર ઉર્જા જોઈ…

Read More

નવી દિલ્હી અને કાબુલ વચ્ચેની મિત્રતાની પ્રશંસા કરી અને કહ્યું કે ભારત હંમેશા મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનની સાથે ઉભું રહ્યું છે. New Delhi,તા.૧૪ અફઘાન કૃષિ મંત્રી મૌલવી અતાઉલ્લાહ ઓમારી ગયા અઠવાડિયે નવી દિલ્હીની મુલાકાતે હતા. તેમની મુલાકાત દરમિયાન, તેમણે આપેલા એક નિવેદનની વ્યાપક ચર્ચા થઈ. બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની પ્રશંસા કરતા તેમણે કહ્યું, “ભારત અને અફઘાનિસ્તાન સમાન ડ્ઢદ્ગછ શેર કરે છે. ભારત આવીને એવું લાગ્યું કે હું મારા પોતાના દેશમાં અને મારા પોતાના લોકો વચ્ચે છું.” પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઓમરીનું નિવેદન આવ્યું છે. આ પછી, ઘણા પાકિસ્તાનીઓએ તાલિબાન નેતાના નિવેદનની ટીકા કરી છે. હવે, એક…

Read More

Rajkot,તા.૧૪ ધોરાજી પંથકમાં આજે સવારે એક હૃદય કંપાવનારો અને સનસનાટીભરી હત્યાનો મામલો સામે આવ્યો છે. ધોરાજીના મોટી મારડ ગામની સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાંથી બે શ્રમિકોના લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માત્ર બે મહિના પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયેલા યુવક-યુવતીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ, મોટી મારડ સીમ વિસ્તારમાં આવેલી રમેશભાઈ નામની વ્યક્તિની વાડીમાં આ ઘટના બની છે. રોજની જેમ આજે સવારે જ્યારે વાડી માલિક રમેશભાઈ પોતાની વાડીએ પહોંચ્યા ત્યારે ત્યાંનો નજારો જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. વાડીમાં કામ કરતા બે…

Read More

Chandigarh,તા.૧૪ પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષે એક નવો વળાંક લીધો છે. પાર્ટીના રાજ્ય પ્રભારી ભૂપેશ બઘેલે કહ્યું કે રાહુલ ગાંધી રાજ્યમાં પાર્ટીનો એકમાત્ર ચહેરો છે. આ સૂચવે છે કે પાર્ટી હાઇકમાન્ડ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા એક સંયુક્ત નેતૃત્વ રજૂ કરવા માંગે છે. જો કોંગ્રેસ મુખ્યમંત્રી પદના ઉમેદવારને રજૂ ન કરવાનો નિર્ણય લે છે, તો તે પાછલી વિધાનસભા ચૂંટણીઓ માટેની તેની રણનીતિથી વિચલન હશે. ૨૦૧૨ અને ૨૦૧૭ માં, પાર્ટીએ કેપ્ટન અમરિંદર સિંહને તેના મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે નામ આપ્યું હતું. ૨૦૨૨ માં, તેણે તત્કાલીન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને તેના મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે જાહેર કર્યા. દરમિયાન, પંજાબ કોંગ્રેસમાં આંતરિક ઝઘડા અંગે દિલ્હીમાં…

Read More