Author: Vikram Raval

ભુવનેશ્વર. વિશ્વ વિખ્યાત જગન્નાથ રથયાત્રા માટે પુરી ધામ ભક્તિમય વાતાવરણમાં ડૂબી ગયું છે. ગુરુવારે, ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને તેમની બહેન દેવી સુભદ્રા તેમના રથ પર સવાર થઈને શ્રી ગુંડિચા મંદિર (મૌસીબારી) માટે પ્રસ્થાન કરશે.અગાઉ, બુધવારે, પરંપરાગત “દક્ષિણ વળાંક” નીતિ હેઠળ, ત્રણેય રથોને રથખાળાથી ખેંચીને શ્રીમંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર લાવવામાં આવશે. રથયાત્રા માટે તૈયાર કરાયેલા ત્રણ ભવ્ય રથ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભગવાન બલભદ્રના તાલધ્વજ, દેવી સુભદ્રાના દર્પદલન અને ભગવાન જગન્નાથના નંદીઘોષ રથને અંતિમ સ્પર્શ આપવામાં આવ્યો છે. રથ પર સજાવટ, ધ્વજ, બેનરો અને પરંપરાગત શણગાર પૂર્ણ થઈ ગયા છે. ગુરુવારે, વિવિધ ધાર્મિક વિધિઓ અને પરંપરાગત…

Read More

Mumbai,તા.15 બોલિવૂડની નાવ આજકાલ સીક્વલ અને ફ્રેન્ચાઇઝી પર જ સવાર છે. એકલાં અજય દેવગન ગોલમાલ, સિંઘમ, દે દે પ્યાર દે, દૃશ્યમ, રેડના પાર્ટ 1, 2, 3, 4 ની લાઈનો લગાવી રહ્યાં છે. આ જ લિસ્ટમાં 2007 ની કોમેડી ફિલ્મ ધમાલના ત્રીજા પાર્ટ ’ટોટલ ધમાલ’ નો પણ તેઓ હિસ્સો બન્યાં હતાં, જેની નવી કડી ’ધમાલ 4’ સિનેમાઘરોમાં પહોંચી ચૂકી છે. જો કે, આ ફિલ્મ માથા-પગ વગરની એવી કોમેડી છે, જે તમને હસાવવામાં ક્યાંક-ક્યાંક જ સફળ થઈ શકે છે. વાર્તા અલગ-અલગ ટુકડીના લોકોની લાલચની છે, જેઓ એક ખજાનાની શોધમાં સિંહ-વ્હેલ, મગરમચ્છ-સાપ, ખાઈ-તોફાન જેવી જાત-જાતની મુસીબતોમાંથી પસાર થાય છે. આમાં એક તરફ છે…

Read More

Mumbaiતા.15 બોલિવૂડ અભિનેતા આમિર ખાને 61 વર્ષની ઉંમરે ગૌરી સ્પ્રેટ સાથે ઘર વસાવ્યું. આ આમિરના ત્રીજા લગ્ન છે, આમિરના ત્રીજા લગ્નને લઈને ચારેયકોર વિવાદનો મધપૂડો છેડાયો છે. બજરંગ દળ સહિત કેટલાય હિન્દુ સંગઠનોએ અભિનેતા આમિર પર લવ જેહાદનો આરોપ લગાવ્યો. તેને ‘લવ જેહાદ’ના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ બતાવવામાં આવી રહ્યો છે. આમિર વિરુદ્ધ ફતવો પણ બહાર પાડવામાં આવ્યો છે. હવે આમિરે તેના ત્રીજા લગ્નને લઈને તેમને ટ્રોલ કરનારાઓને જવાબ આપ્યો છે. લગ્નને લઈને ટ્રોલિંગનો સામનો કરી રહેલા અભિનેતા આમિરે એક અંગ્રેજી સમાચાર સાથેની વાતચીતમાં કહ્યું કે- સત્ય એ છે કે અમારો પરિવાર ખૂબ જ મિલનસાર અને બધાને સાથે લઈને ચાલનારો છે. મારી…

Read More

New Delhi,તા.15 શાહરૂખખાનના મુંબઈના બાન્દ્રામાં આવેલા ભવ્ય બંગલા મન્નતનું રિનોવેશન કરવા માટે જરૂરી પરવાનગીઓ મેળવવામાં ન આવી હોવાનું જણાવી તેને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.મન્નત ખાતે આવેલી છ માળની એનેક્સ બિલ્ડિંગમાં વધારાના બે માળ ઉમેરવાની ગૌરીખાનની દરખાસ્તને પગલે સોશ્યલ એક્ટિવીસ્ટ સંતોષ દોન્ડકરે માર્ચ ૨૦૨૫માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અપીલ નોંધાવી હતી. જેમાં ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી સીઆરઝેડ મંજૂરીઓને પડકારવામાં આવી હતી.પ્રોજેક્ટ સાથે સંકળાયેલી પાર્ટીએ આ આક્ષેપને નકારી નિયમ અનુસાર તમામ મંજૂરીઓ મેળવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.સુપ્રીમ કોર્ટે અરજદારની અરજીને ફગાવી દેતાં જણાવ્યું હતું કે ઘરમાલિકો તેમની સંપત્તિને નિયમ અનુસાર રિનોવેટ કરવા માટે મુક્ત છે. અરજદારે જણાવ્યું હતું કે પ્રોજેક્ટની…

Read More

Mumbai,તા.15 ‘તુમ્બાડ ટુ માં આલિયા ભટ્ટનું આગમન થતાં જ તુમ્બાડ ફ્લ્મિના ચાહકોના એક વર્ગે આલિયા ભટ્ટને જોરદાર ટ્રોલ કરી હતી. આ વર્ગે આલિયા ભટ્ટના કાસ્ટિંગને સાવ ખોટું ગણાવ્યું હતું.એક ચાહકે જણાવ્યું હતું કે ફિલ્મ ‘તુમ્બાડ’ પોતાની કથા કહેવાના અંદાજ, વિઝન અને કલાકારોના જબરદસ્ત કામને કારણે કલ્ટ ક્લાસિક ફિલ્મ બની રહી છે જેને બોલીવૂડના કોઇ મોટા કેમ્પનો સપોર્ટ નહોતો. એક ચાહક તરીકે નિરાશા અ ેવાતની થઇ રહી છે કે આવી અનોખી ફ્રેન્ચાઇઝી હવે સ્ટારપાવર ભણી ઝૂકી રહી છે. ‘તુમ્બાડ’ પોતાના મૂળિયાંને વળગી રહી કાબેલ કળાકારોને ચમકવાની તક આપશે તેવી મને આશા છે. અન્ય એક ચાહકે આલિયાને કાસ્ટ ન કરવાની વિનંતી કરતાં…

Read More

Mumbai,તા.15 મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેના એક નિવેદન બાદ નવો વિવાદ શરૂ થયો છે. તેમણે અભિનેતા આમિર ખાનના ત્રીજા લગ્ન અંગે ટિપ્પણી કરતા તેમને ‘લવ જીહાદના બ્રાન્ડ એમ્બેસેડર’ ગણાવ્યા હતા. હવે આ વિવાદમાં કૂદીને તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગદગુરુ પરમહંસ આચાર્યે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે મંત્રીના નિવેદનને સમર્થન આપવાની સાથે આમિર ખાનને મારનાર માટે 5 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી દીધી છે.જગદગુરુ પરમહંસે આક્ષેપ કર્યો હતો કે, ‘આમિર ખાને ત્રણ લગ્ન કર્યા છે અને ત્રણેય લગ્ન હિન્દુ મહિલાઓ સાથે કર્યા છે. આ ઉંમરે તે માત્ર લવ જીહાદનો સંદેશ આપવા માટે આવું કરી રહ્યો છે. મંત્રી નિતેશ રાણેએ જે કહ્યું છે…

Read More

Mumbai,તા.15 લદાખના પર્યાવરણ અને સ્થાનિક લોકોના અધિકારો માટે ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં હવે બોલિવૂડની વધુ એક દિગ્ગજ હસ્તી મેદાને આવી છે. ‘3 ઈડિયટ્સ’ ફેમ ઓમી વૈદ્ય બાદ હવે હિન્દી સિનેમાની પીઢ અને આઇકોનિક અભિનેત્રી ઝીનત અમાને પણ સોનમ વાંગચુકની લડતને પોતાનો સપોર્ટ આપ્યો છે. ઝીનત અમાને દેશના વર્તમાન ગંભીર માહોલ વચ્ચે કેન્દ્ર સરકારને આ મામલે મધ્યસ્થી કરવા અને વાતચીત શરૂ કરવા માટે વિનંતી કરી છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સત્તાવાર પોસ્ટ શેર કરીને ઝીનત અમાને જણાવ્યું હતું કે, સોનમ વાંગચુક જે રીતે દેશના નાજુક પર્યાવરણ અને ભવિષ્ય માટે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા…

Read More

New Delhi,તા.15 બોલિવૂડની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં ‘ચતુર રામલિંગમ’નું આઇકોનિક પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા બનેલા એક્ટર ઓમી વૈદ્યએ લદાખના સામાજિક કાર્યકર્તા, સાયન્ટિસ્ટ અને પર્યાવરણવિદ સોનમ વાંગચુકના સમર્થનમાં એક મોટું નિવેદન આપ્યું છે. સોનમ વાંગચુક લદાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને ત્યાંના પર્યાવરણના રક્ષણ માટે હાલમાં અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ પર બેઠા છે. તેમના બગડતા સ્વાસ્થ્ય વચ્ચે ઓમી વૈદ્ય સોશિયલ મીડિયા પર તેમના સપોર્ટમાં આગળ આવ્યો છે.સોનમ વાંગચુક લાંબા સમયથી લદાખના નાજુક પર્યાવરણીય તંત્રને ઉદ્યોગોના અંધાધૂંધ વિકાસથી બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે. લદાખને રાજ્યનો દરજ્જો આપવા અને સ્થાનિક જમીન તેમજ સંસ્કૃતિના રક્ષણ માટે છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની તેમની…

Read More

Mumbai,તા.15 સાઉથ સિનેમા અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રુતિ હાસન માટે 14 જુલાઈનો દિવસ તેના જીવનની સૌથી ખુશીની અને ખાસ પળો લઈને આવ્યો છે. વર્સેટાઈલ એક્ટર કમલ હાસનની પુત્રી અને સિંગર-એક્ટ્રેસ શ્રુતિ હાસને તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં પોતાનું એક નવું આલિશાન ઘર ખરીદ્યું છે. મંગળવારે સવારે શ્રુતિએ પોતાના નવા ઘરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પરંપરાગત ‘ગૃહ પ્રવેશ પૂજા’ કરી હતી. આ પૂજા અને નવા ઘરના ફર્સ્ટ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેની સાથે એક્ટ્રેસે એક અત્યંત ભાવુક સિક્રેટ પણ શેર કર્યું છે. આ ખાસ પ્રસંગે શ્રુતિ હાસનના જીવનની એક કડવી અને ભાવુક ક્ષણ એ પણ રહી કે તેના માતા-પિતા આ…

Read More

Mumbai,તા.15 ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય અને લાંબા સમયથી ચાલી રહેલા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કરોડો ચાહકો માટે એક અત્યંત મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવી અફવાઓ જોર પકડી રહી હતી કે શોના મુખ્ય કલાકાર અને દર્શકોના ફેવરિટ પાત્ર ‘જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશી આ શોને અલવિદા કહી રહ્યા છે. આ સમાચારે ચાહકોને ચિંતામાં મૂકી દીધા હતા, પરંતુ હવે આ સમગ્ર વિવાદ અને અફવાઓ પર શોના પ્રોડક્શન હાઉસ અને મેકર્સે સત્તાવાર રીતે પોતાની ચૂપકીદી તોડી છે. મેકર્સે અફવાઓનું કર્યું ખંડન, દિલીપ જોશી શોનો હિસ્સો રહેશે ચોતરફ ફેલાઈ રહેલી આ નકારાત્મક અફવાઓ પર…

Read More