- ‘યે કાલી કાલી આંખે’ ફેમ અભિનેત્રી Aanchal Singh બિઝનેસમેન મોહિત ચાવલા સાથે સગાઈ કરી લીધી
- Ram temple ચઢાવા ચોરી : સોમવારે સુપ્રીમને રીપોર્ટ આપશે ‘સીટ’
- સૌથી વધુ પ્લેટફોર્મ મામલે Ahmedabad નુ રેલવે સ્ટેશન દેશમાં 6ઠ્ઠા ક્રમે
- Gujarat પર આતંકી `ડોળો’?! વધુ પાંચ શકમંદ ત્રાસવાદી ઝબ્બે : ATS નુ ઓપરેશન
- Wadiya-Kunkawava નો ખેડૂતોને ભેંટ : યાર્ડ માટે જમીન ફાળવવા સરકારનો નિર્ણય
- Kutch નાં સિરક્રિકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ
- Rajkot દેશી દારૂ બનાવવા વપરાતો 18 ડબ્બા સડેલો ગોળ ઝડપાયો
- Junagadh મેંદરડામાં સોનીની દુકાનમાંથી ચાંદીનો ભંગાર ચોરી જનાર મહિલા ઝડપાઇ,સાગરિત ફરાર
Author: Vikram Raval
London,તા.15 તાજેતરમાં જ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ જીતના ઉત્સાહ વચ્ચે એક મોટા અંગત વિવાદમાં ઘેરાઈ ગઈ છે. ટીમની સ્ટાર ઓલરાઉન્ડર અને વાઇસ કેપ્ટન એશ્લે ગાર્ડનર પર તેની અલગ થઈ ગયેલી પાર્ટનર મોનિકા રાઈટે પોતાની જ સાથી ક્રિકેટર જોર્જિયા વોલ અફેર હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. આ ઘટસ્ફોટ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ વિવાદની શરૂઆત બ્રિટનના પ્રતિષ્ઠિત અખબાર ‘ડેઈલી મેલ’ના એક અહેવાલથી થઈ હતી. અહેવાલમાં દાવો કરાયો હતો કે ઓસ્ટ્રેલિયાની એક સાથી ક્રિકેટર સાથેના કથિત સંબંધોના કારણે એશ્લે ગાર્ડનરના લગ્નજીવનનો અંત આવ્યો છે. જો કે અહેવાલમાં તે ખેલાડીના નામનો ઉલ્લેખ કરવામાં…
London,તા.15 ફૂટબોલ જગતના ચાહકો જે ઘડીની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગઈ છે. પૂરા બે દાયકા બાદ, 16 જુલાઈ ગુરુવારના રોજ ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિનાની ટીમો ફીફા વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલમાં એકબીજાને ટક્કર આપશે. આ મેચ સાથે જ વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી જૂની અને કટ્ટર પ્રતિસ્પર્ધિતાઓમાંની એક ફરી જીવંત થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે ફાઇનલમાં પહોંચવા વર્લ્ડ કપના ઇતિહાસ પર નજર કરીએ તો ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે અત્યાર સુધીમાં કુલ 5 મુકાબલા ખેલાયા છે. આ દરમિયાન ઇંગ્લેન્ડની ટીમનો પલ્લો થોડો ભારે રહ્યો છે. ઇંગ્લેન્ડે 3 મેચોમાં જીત મેળવી છે, જ્યારે આર્જેન્ટિનાને 2 મેચોમાં સફળતા મળી છે (જેમાં…
Ahmedabad, તા.15 ગીર આસપાસના ભાગોમાં છેલ્લા 45 દિવસ (દોઢ મહિના)માં સિંહ-માનવ વચ્ચે સંઘર્ષના 10 કેસ નોંધાતા સરકારમાં દોડધામ થઈ પડી છે. ગુજરાતના ગૌરવસમા સિંહ તથા લોકો બન્નેને બચાવવા માટે નવો એકશનપ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગીર વિસ્તારમાં નવા રિસોર્ટને મંજુરી આપવામાં નહીં આવે ઉપરાંત હયાત ગેરકાયદે રિસોર્ટ પર તવાઈ ઉતારાશે. અનિયંત્રીત પ્રવાસન તથા અભ્યારણ ક્ષેત્રમાં નિરંકુશ હેરફેર પર લગામ મુકવાનો સરકારનો વ્યુહ છે. રાજયના વનવિભાગના એક સીનીયર અધિકારીએ કહ્યું કે, ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રકચરની સર્વગ્રાહી સમીક્ષા ન થાય ત્યાં સુધી ગીર આસપાસના એકપણ નવી હોટેલ કે રિસોર્ટને મંજુરી નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ આ ક્ષેત્રમાં હોટલ-રિસોર્ટનો રાફડો છે. ઉપરાંત…
New Delhi,તા.15 દેશમાં સરકારે હવે તમામ પેટ્રોલપંપ પર ઈ-20 પેટ્રોલ જ ઉપલબ્ધ બનાવતા તેની સામે સર્જાયેલા વિવાદમાં હવે યુ-ટર્ન આવ્યા છે. ભવિષ્યમાં શુદ્ધ પેટ્રોલ (ઈથોનલ મિશ્રણ વગરનું) મળશે જ નહી તેવા સંકેત વચ્ચે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નિતીન ગડકરીએ એક મુલાકાતમાં કહ્યું કે, 100% પેટ્રોલ પણ ઉપલબ્ધ રહેશે પણ તેના માટે વધુ કિંમત ચુકવવી પડશે. જો કે તેઓએ આ અંગે કહ્યું કે, જેઓ 100% પેટ્રોલ ઈચ્છતા હોય તેઓને વિકલ્પ હશે. જો કે આ અંગે પેટ્રોલિયમ મંત્રાલય નિર્ણય કરશે. એક તરફ સરકાર 100% ઈથોનોલ આધારિત ઈંધણ પોલીસી પર આગળ વધી રહી છે. તે વચ્ચે ગડકરીનું આ વિધાન મહત્વનું છે. ખાસ કરીને…
Washington, તા. 15 પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી સેનાએ ઈરાનના દરિયાઈ બંદરો નજીક ફરીથી કડક દરિયાઈ નાકાબંધી લાગું કરી દીધી છે. આ નાકાબંધી લાગું થયાનાં બરાબર એક કલાક પહેલાં જ અમેરિકી વાયુસેનાએ ઈરાનમાં આવેલાં સૈન્ય બેઝ પર જોરદાર હવાઈ હુમલા કર્યા હતાં. અમેરિકી સૈન્ય અધિકારીઓના જણાવ્યાં અનુસાર, આ ઓપરેશનનો મુખ્ય હેતુ વિસ્તારમાં ઊભા થયેલાં સુરક્ષા પડકારોને ખતમ કરવાનો અને હોર્મુઝમાં વેપારી જહાજો પર હુમલો કરવાની ઈરાનની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાનો છે. બંને દેશો વચ્ચેનો આ વિવાદ ગયા અઠવાડિયે હોર્મુઝમાંથી પસાર થતાં કોમર્શિયલ જહાજો પર ઈરાન દ્વારા કરવામાં આવેલાં હુમલા બાદ શરૂ…
Mumbai, તા. 15 મુંબઈમાં હાલમાં વરસી રહેલાં ભારે વરસાદની વચ્ચે હોસ્પિટલો અને ક્લિનિક્સમાં તાવ, શરદી અને ખાંસીના દર્દીઓની ભીડ સતત વધી રહી છે. આરોગ્ય નિષ્ણાતો અને સ્થાનિક ડોક્ટરોના જણાવ્યાં અનુસાર, શહેરમાં ઇન્ફલ્યુએન્ઝા-એ અને શ્વાસ સંબંધિત રોગોનો વધારો જોવા મળી રહ્યો છે. જો કે, ડોક્ટરો ચેતવણી આપી રહ્યાં છે કે ચોમાસામાં આવતાં દરેક તાવને માત્ર સામાન્ય વાયરલ ચેપ ન ગણવો જોઈએ. વરસાદનાં ભરાયેલાં પાણીમાં ચાલવાથી ફેલાતી ‘લેપ્ટોસ્પાયરોસિસ’ નામની બીમારી આ દિવસોમાં મુંબઈકર્સ માટે એક મોટો ખતરો બનીને ઉભરી રહી છે. લેપ્ટોસ્પાયરોસિસ એ વાસ્તવમાં બેક્ટેરિયાથી થતો ચેપ છે, જે મુખ્યત્વે ઉંદર, કૂતરાં અને અન્ય પશુઓનાં પેશાબથી દૂષિત થયેલાં પાણી કે કાદવ દ્વારા…
Porbandar,તા.15 જો તમો પોરબંદરના કુછડીને અહીના પૌરાણીક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા ભગવાન ખીમેશ્વર મહાદેવના મંદિર તરીકે ઓળખતા હો કે પછી જેઓ પક્ષીપ્રેમી છે તે અહી આવતા વિદેશી પક્ષી યાયાવર નિહાળવા પહોંચતા હોય તો ભવિષ્યમાં આ નાનુ કૃષી આધારિત ગામ ટુંક સમયમાં જ ભારતના જહાજી ઉદ્યોગના નકશા પર સ્થાન મેળવી જશે. ગુજરાત સરકાર રાજયના સર્વાંગી વિકાસ અને તેમાં આધુનિક ટેકનોલોજી ક્ષેત્રે રાજયને દેશનું સેમીકન્ડકટર ચીપ નિર્માણ માટે હબ બનાવવા જઈ રહી છે તો વિશાળ સમુદ્રી કિનારાનો પણ લાભ લઈને અહી વ્યાપાર-ઉદ્યોગ સ્થપાય તે જોવા જઈ રહી છે. તેમાં એક મહત્વાકાંક્ષી નિર્ણયમાં પોરબંદરના કુછડીને શીપ બિલ્ડીંગમાં એક મહત્વના મથક તરીકે વિકસાવશે. શીપ…
Washington,તા.15 પશ્ચિમ એશિયામાં વધી રહેલાં ભારે સૈન્ય તણાવ વચ્ચે અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યાં છે. અમેરિકી સેનાના જણાવ્યાં અનુસાર, છેલ્લાં સાત દિવસમાં ઈરાને જાણીજોઈને સાત કોમર્શિયલ જહાજોને નિશાન બનાવ્યાં છે. પાડોશી દેશો તરફ ડઝનબંધ મિસાઈલો તથા ડ્રોન પણ છોડ્યાં છે. આ હુમલાઓમાં લગભગ એક ડઝન જેટલાં ક્રૂ મેમ્બર્સ માર્યા ગયા અથવા ઘાયલ થયા છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારને ખોરવવાની ઈરાનની આ આક્રમક પ્રવૃત્તિઓ સામે જવાબી કાર્યવાહી કરતાં અમેરિકાએ 20થી વધુ યુદ્ધ જહાજો અને સેંકડો લશ્કરી વિમાનો સાથે ઈરાનના બંદરો પર ફરીથી દરિયાઈ નાકાબંધી શરૂ કરી દીધી છે. બીજી તરફ, હોર્મુઝ જલડમમધ્યમાં સંયુક્ત આરબ અમીરાતના બે ઓઈલ…
New Delhi, તા.15 સુપ્રીમ કોર્ટે દહેજ હત્યાનાં એક મામલામાં મોટો ચુકાદો આપતાં કહ્યું છે કે, માત્ર સગા-સંબંધી હોવાનાં કારણે સાસરિયા પક્ષનાં 17 સભ્યોને આરોપી બનાવી દેવા એ કાયદો અને ન્યાયની સ્પષ્ટ મજાક છે. કોર્ટે નોંધ્યું કે ઉપલબ્ધ પુરાવા જોતાં એવું લાગે છે કે મહિલાનું મોત રસોડામાં અચાનક લાગેલી આગમાં દાઝી જવાથી થયું હતું, નહીં કે દહેજના ત્રાસના કારણે. સર્વોચ્ચ અદાલતે વર્ષ 2000 ના આ જૂના કેસમાં પતિને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધો છે. જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેંચે સ્પષ્ટ કર્યું કે માત્ર લગ્ન સંબંધના કારણે જ આખા પરિવારને ગુનેગારની જેમ કોર્ટમાં ઊભો કરી દેવો વ્યાજબી નથી.…
Ayodhya,તા.15 શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પદ માટે અરજી પ્રક્રિયા શરૂ થયાના માત્ર 24 કલાકમાં, 1,000 થી વધુ અરજીઓ મળી છે. આમાં ભૂતપૂર્વ IPS અધિકારી અમિતાભ ઠાકુરનું નામ પણ સામેલ છે. સામાજિક કાર્યકર્તા તરીકે સમાચારમાં રહેલા ઠાકુરના કારણે રાજકીય અને વહીવટી ઉથલપાથલ મચી જવાની શક્યતા છે. રામ લલ્લાના પ્રસાદ ચોરી વિવાદ બાદ, ટ્રસ્ટ તેની વહીવટી વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યું છે. આ સંદર્ભમાં, ટ્રસ્ટે તેની વેબસાઇટ પર CEO પદ માટે અરજીઓ મંગાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અરજીઓમાં વહીવટી અધિકારીઓ, વિવિધ રાજકીય પૃષ્ઠભૂમિના લોકો, સામાજિક સંગઠનોના અનુભવી કાર્યકરો અને RSS અને વિશ્વ હિન્દુ પરિષદ…
