- રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
- ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
- Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
- આજ નું પંચાંગ
- આજનું રાશિફળ
- Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
Author: Vikram Raval
Rajkot , તા. 13 રાજકોટ શહેરમાં ગઇકાલ તા.12ના રોજ કોરોનાના નવા 11 કેસ બહાર આવતા મહાનગરમાં કુલ દર્દીઓનો આંકડો દોઢ સદી નજીક પહોંચ્યો છે. આ કેસમાં એક બાળક અને એક બાળકીનો પણ સમાવેશ થાય છે. વોર્ડ નં.3ના અમૃત પાર્કમાં રહેતી છ વર્ષની બાળકી સારંગપુરથી પરત ફર્યા બાદ તેને કોરોના નિદાન થયું છે. આ જ વોર્ડના કોઠી કમ્પાઉન્ડ વિસ્તારના 40 વર્ષના પુરૂષ અને 34 વર્ષના મહિલાને પણ ચેપ લાગ્યો છે. વોર્ડ નં.12માં સાગર બંગ્લોઝમાં રહેતા 11 વર્ષના બાળકને પણ પોઝીટીવ રીપોર્ટ છે. વોર્ડ નં.1માં મણીનગરમાં રહેતા 36 વર્ષના સ્ત્રી, વોર્ડ નં.7માં જાગનાથમાં રહેતા 22 વર્ષના મહિલા, વોર્ડ નં.8માં સતનામ હોસ્પિટલ પાસે…
Lucknow તા.13 ભીષણ ગરમીને કારણે આગ લાગવાની ઘટનામાં વધારો થયો છે. અત્રે સરોજિનીનગર ક્ષેત્રમાં આજે બપોરે ઈન્ડિયન ઓઈલ ડેપોમાં ઉભેલા ટેન્કરમાં આગ ભભૂકી હતી. આ આગ લાગવાનું કારણ ભીષણ ગરમી બતાવવામાં આવે છે. આ આગની ઝપટમાં અન્ય એક ટેન્કર પણ આવી ગયું હતું જોકે સદભાગ્યે તે ખાલી હતું. આ ટેન્કર પણ બળીને ખાસ થઈ ગયું હતું. અન્ય ટેન્કર ચાલકોએ જોયું કે બે ટેન્કર આગની ઝપટમાં આવી ગયા છે. તો તેઓ ટેન્કર લઈને ભાગી છુટયા હતા. જેથી મોટુ દુર્ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ કાબુમાં લીધી હતી.
New Delhi,તા.13 જીએસટી વિભાગે છેતરપિંડી કરનારાઓને રોકવા માટે જીએસટી રિટર્નના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. તાજેતરમાં જીએસટી વિભાગે જીએસટીઆર યુબીસી ડેટામાં ફેરફાર ન કરવાનો નિયમ જાહેર કર્યો હતો. આ પછી, એક નવા ફેરફાર મુજબ, વેપારીઓ 3 વર્ષથી વધુ જૂના રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. જીએસટી વિભાગનાં આ નિર્ણયને કારણે છેતરપિંડી કરનારા વેપારીઓ પર લગામ લાગશે, જ્યારે ઘણાં વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ ગુમાવવી પડી શકે છે. જીએસટી વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઘણાં વેપારીઓ જીએસટી ભરવા માંગતાં ન હતાં અથવા છેતરપિંડીમાં સંડોવાયેલાં હતાં, આવાં વેપારીઓ રિટર્ન ભરતા ન હતાં. આ કારણે સરકારને મોટી રકમ ગુમાવવી પડી હતી. આ મામલો દેશભરમાં…
Tehran તા.13 ઈઝરાયેલના ઈરાન પર ભીષણ હુમલાને પગલે નવુ ભૌગોલિક ટેન્શન સર્જાયુ છે ત્યારે સાઉદી અરેબીયા ઈરાનની પડખે આવ્યુ છે અને ઈઝરાયેલી હુમલાને વખોડયો છે. સાઉદી વિદેશમંત્રીએ ટવિટ કરીને કહ્યું કે ઈઝરાયેલનો હુમલો ઈરાનના સાર્વભૌમત્વ પર આક્રમણ છે. આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમોનો ખુલ્લો ભંગ છે. સાઉદી અરેબીયા તેને વખોડે છે અને આક્રમણ રોકવાની જવાબદારી નિભાવવા સુરક્ષા પરિષદ તથા આંતરરાષ્ટ્રીય સમુદાયને આગ્રહ કરે છે.
Israel,તા.13 દુનિયામાં વધુ એક યુદ્ધના મંડાણ થવાના એંધાણ હોય તેમ ઈઝરાયેલે હવે ઈરાન પર ભીષણ હુમલો કર્યો હતો.ઈરાનનું પાટનગર તહેરાન શ્રેણીબદ્ધ ધડાકાઓથી ધણધણી ઉઠયુ હતું. વ્યાપક તારાજી થઈ હતી.કેટલાંક અણુ વૈજ્ઞાનિકોના મોત થયા હતા. ઉપરાંત ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફનું પણ મોત થયાના રીપોર્ટ છે. ઈઝરાયેલનાં વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ જાહેર કર્યું હતું કે ઈઝરાયેલ દ્વારા ઓપરેશન રાઈઝીંગ લાયન શરૂ કરવામાં આવ્યુ છે. ઈરાન તરફથી ખતરા સામે અસ્તિત્વની લડાઈનાં ભાગરૂપે આ ટારગેટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખતરો ખત્મ ન થાય ત્યાં સુધી આ ઓપરેશન જારી રાખવામાં આવશે. ઈઝરાયેલના સૈન્ય અધિકારીએ કહ્યું કે ઈરાનનાં અણુ સંસ્થાનો તથા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા…
Mumbai,તા.13 ગઈકાલે અમદાવાદમાં એર ઈન્ડીયાની ફલાઈટની ક્રેશની ઘટના બાદ આજે બીજા દિવસે મુંબઈથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફલાઈટ લંડન પહોંચ્યા વિના પાછી ફરતા અફડાતફડી મચી ગઈ હતી. પહેલા તો એવું કારણ બહાર આવેલુ કે ટેકનિકલ ખામીના કારણે ફલાઈટ પાછી આવી પણ બાદમાં જાહેર થયું કે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતા મિડલ ઈસ્ટે તેનું એર સ્પેસ બંધ કરી દેતા ફલાઈટ પાછી આવી હતી. મિડલ ઈસ્ટે એર સ્પેસ બંધ કરતા એર ઈન્ડિયાએ તેની અન્ય અનેક ફલાઈટ પાછી બોલાવી લીધી હતી કે ડાયવર્ટ કરી હતી. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે અમદાવાદમાં એર ઈન્ડિયાની લંડન જતી ફલાઈટ દુર્ઘટનાગ્રસ્ત બન્યાના આજે…
Ahmedabad,તા.13 ગઈકાલે અમદાવાદની વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજયના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી આજે સવારે 7.30 કલાકે અમદાવાદ આવી પહોંચતા જ અત્યંત ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. વાસ્તવમાં વિજયભાઈ રૂપાણીને આજે લંડનમાં અંજલીબેન તથા પરિવારના સભ્ય લોકોને મળવાનું હતું અને તે માટે ગઈકાલે બપોરે અમદાવાદ-લંડન ફલાઈટમાં રવાના થયા હતા પણ આ ફલાઈટ મીનીટોમાંજ દુર્ઘટનાગ્રસ્ત થતા શ્રી રૂપાણી પણ તેમાં મૃત્યુ પામ્યા હતા. લંડનમાં આ ખબર મળતા જ તુર્તજ અંજલીબેન તથા લંડનમાં તેમની સાથે રહેલા વિજયભાઈના પરિવાર- સ્નેહી જેવા સાથી નીતીનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી અને તેમનો પરિવાર તુર્તજ ભારત આવવા રવાના થયો હતો. લંડનથી દુબઈ અને ત્યાંથી રાત્રીના તેઓ…
Ahmedabad,તા.13 વડાપ્રધાન મોદીએ આજે સિવિલ હોસ્પિટલમાં વિમાન દુર્ઘટનામાં ઘાયલ લોકોની મદદ કરી હતી. આ દુર્ઘટનામાં એકમાત્ર જીવતો બચી ગયેલ યાત્રી રમેશ વિશ્વાસકુમાર સાથે પણ મોદીએ મુલાકાત કરી હતી. વિશ્વાસે વડાપ્રધાન મોદીને જણાવ્યું હતું કે, હું વિમાનમાંથી કૂદયો નહોતો, બલકે સીટ સહિત બહાર આવી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, પ્લેન દુર્ઘટનાના કેટલાક કલાકો બાદ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં જોવા મળ્યું કે, લોહીથી લથપથ વિશ્વાસકુમાર એમ્બ્યુલન્સ તરફ જઈ રહ્યો છે. 40 વર્ષીય વિશ્વાસકુમાર રમેશ બ્રિટીશ નાગરિક છે, જે ભારત પોતાના પરિવારને મળવા આવ્યો હતો. તે પોતાના ભાઈ અજયકુમાર (ઉ.45) સાથે યુકે પરત ફરી રહ્યો હતો. વિશ્વાસ સીટ નં.11 એ પર…
Ahmedabad,તા.13 ગઈકાલે સર્જાયેલી વિમાની દુર્ઘટનાના પગલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને તેઓએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને તેઓએ કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ તેનો ચિતાર મેળવ્યો હતો. વડાપ્રધાને ગઈકાલે જ બપોરે આ ઘટનાના પગલે નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી નાયડુ ને અમદાવાદ પહોંચવા જણાવ્યુ હતું અને બાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ પણ અમદાવાદ પહોંચ્યા હતા. શ્રી મોદીએ દિવંગતોના પરિવાર પ્રત્યે પણ સંવેદનાનો સંદેશ આપ્યો હતો. આજે સવારે વડાપ્રધાન અમદાવાદ વિમાની મથકે પહોંચ્યા હતા અને સીધા દુર્ઘટના સ્થળ…
Ahmedabad,તા.13 હાલમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી રહી છે. પેટા ચૂંટણીના સ્ટાર પ્રચારક તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ હતું. તેઓ વિસાવદર બેઠક પર પ્રચાર માટે પણ આવવાના હતા પરંતુ તેઓને વિદેશ જવાનું થતા તેમનો ચૂંટણી કાર્યક્રમ રદ કર્યો હતો. જો તેઓ વિસાવદર પ્રચારમાં ગયા હોત તો કદાચ આજે તે હયાત હોત! ગુજરાતમાં હાલ કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો હતો. આ પ્રચારમાં પ્રદેશ ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં અનેક નેતાઓના નામ હતા તેની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ સ્ટાર પ્રચારકમાં નામ હતું. વિજય રૂપાણી ચૂંટણી પ્રચાર માટે વિસાવદર જવાનાના…