- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
Author: Vikram Raval
બાકી નીકળતા ૫૦ હજાર મામલે. ધર ઘૂસી પુત્રનું બુલેટ હંકારી જઈ માર માર્યાનો આક્ષેપ Rajkot તા.૧૪ શહેરના જામનગર રોડ પર આવેલી બજરંગવાડીમાં પ્રૌઢે ઉઘરાણી કરનાર શખ્સના ત્રાસ, મારપીટ અને ધમકીઓથી કંટાળી જઈ મોડી રાત્રે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. હાલ તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ, બજરંગવાડીમાં શેરી નં ૧૨માં રહેતા સંજયભાઈ ચંદુભાઈ તુવાર (ઉં.વ. ૪૨) નામના રીક્ષા લે-વેચના ધંધાર્થી ગત રાત્રે આશરે ૧૦ વાગ્યાની આસપાસ ખોડિયાર ટેકરી રોડ પર આવેલા જાહેર શૌચાલય પાસે હતા, ત્યારે તેમણે ફિનાઈલ પી લીધું હતું. આ બાબતની જાણ થતાં જ પરિવારજનો અને આજુબાજુના લોકો…
Mumbai,તા.૧૪ ગોવિંદાનું નામ ૯૦ અને ૨૦૦૦ ના દાયકા દરમિયાન બોલિવૂડમાં પ્રખ્યાત હતું. આ તે સમય હતો જ્યારે તે એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યો હતો અને ઘણા મોટા દિગ્દર્શકોની પસંદગી બની ગયો હતો. એક સમય હતો જ્યારે તેમની પાસે ફિલ્મોની લાંબી લાઇન હતી, પરંતુ હવે ગોવિંદા, જે એક સમયે દર્શકોના દિલ પર રાજ કરતો હતો, તે વર્ષોથી મોટા પડદાથી ગાયબ છે. દરમિયાન, મોટા પડદા પર તેની વાપસીની રાહ જોઈ રહેલા દર્શકો માટે સારા સમાચાર છે. લગભગ સાત વર્ષ પછી, તે ભવ્ય વાપસી માટે તૈયાર છે, અને આ જાહેરાત ગોવિંદાએ પોતે કરી છે. ગોવિંદા “રૂપા” સાથે વાપસી કરશે. ગોવિંદાએ એક…
સારા વર્તનને પગલે ગૃહ વિભાગ અને જેલ વડાના આદેશથી બાકીની સજા માફ ; જેલ અધિક્ષકે પુસ્તક ભેટ આપી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી Rajkot તા.૧૪ રાજ્યના જેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓના હકારાત્મક અભિગમ અને માર્ગદર્શન હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને તેના સારા વર્તનને પગલે બાકીની સજા માફ કરી કાયમી ધોરણે જેલમુક્ત કરવામાં આવ્યા છે. ૧૭ વર્ષથી વધુ સમય જેલમાં વિતાવનાર કેદીને જેલ પ્રશાસન દ્વારા પુસ્તક ભેટ આપી સમાજમાં નવી શરૂઆત કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી પોલીસ મહાનિર્દેશક અને રાજ્યના જેલ વડા ડૉ. કે. એલ. એન. રાવના સકારાત્મક પ્રયાસો અને ડીઆઈજી ડૉ. ગીરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ લાંબી…
Mumbai,તા.૧૪ ભોજપુરી મનોરંજન ઉદ્યોગના ચાહકો માટે રોમાંચક સમાચાર આવ્યા છે. ભારતનો પહેલો ભોજપુરી સેલિબ્રિટી રિયાલિટી શો, “ભોજપુરી બાવલ” ટૂંક સમયમાં નાના પડદા પર આવવા માટે તૈયાર છે. આ શો ૨ ઓગસ્ટના રોજ જીયોસ્ટાર અને કલર્સ પર પ્રીમિયર થવાનો છે. નિર્માતાઓએ તાજેતરમાં જ આ ખૂબ જ અપેક્ષિત શોનો ફર્સ્ટ લુક અથવા પ્રોમો રિલીઝ કર્યો છે. સુત્રો અનુસાર, આ પહેલો પ્રોમો દર્શકોને શોમાં થતા નાટક, હરીફાઈઓ અને અનૌપચારિક વાતચીતની ઝલક આપે છે. આ શોમાં ભોજપુરી સિનેમાના ઘણા પ્રખ્યાત કલાકારો, ગાયકો અને જાહેર હસ્તીઓ સ્ક્રીન શેર કરશે. ભોજપુરી શોના ફર્સ્ટ લુકમાં શોમાં ભાગ લેનારા અગ્રણી ચહેરાઓની પુષ્ટિ થઈ છે. આ શોમાં ભોજપુરી સિનેમાના…
સાડા ત્રણ માસ પૂર્વે નજીવી બાબતે યુવક ઉપર હથિયાર વડે તૂટી પડ્યા હતા Rajkot તા.૧૪ શહેરના પ્રે.નગર પોલીસ મથકના ચોપડે હુમલો કરવાના ગુનામાં નાસતો ફરતો જીગ્નેશ ઉર્ફેક કાળો ધોરાળીયા ની ક્રાઈમ બ્રાન્ચએ અટકાયત કરી આજીડેમ પોલીસ મતકને સોંપવા તજવીજ હાથ ધરી છે વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનાખોરી કરી નાસતા ફરતા શખ્સોને ઝડપી લેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે પેરોલ ફર્લોના પી.આઈ કે કે ગોહિલના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આજીડેમ પોલીસ મથકના ચોપડે પીઠળ આઈ સોસાયટી રામાપીર મંદિરની પાછળ રહેતો જીગ્નેશ ઉર્ફેક કાળો ભગુ ધોરાડીયા નામના શખ્સ…
Mumbai,તા.૧૪ ટીવી અભિનેત્રી આકાંક્ષા ચમોલા હાલમાં રિયાલિટી શો “લોક અપ” પર તેના નિવેદનોને કારણે સમાચારમાં છે. શોના પ્રીમિયર દરમિયાન, તેણીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યોઃ તે તેના પતિ, પ્રખ્યાત અભિનેતા ગૌરવ ખન્નાથી છૂટાછેડા લેવા જઈ રહી છે. બંનેના લગ્નને લગભગ એક દાયકા થઈ ગયો છે, પરંતુ હવે તેઓ અલગ થઈ રહ્યા છે. આ જાહેરાત પછી, ચાહકો અને મીડિયા તેમના સંબંધો વિશે અટકળો લગાવી રહ્યા છે. શોમાં, આકાંક્ષા તેના અંગત જીવન, તેના લગ્નજીવનમાં આવતા તણાવ અને તેના અંગત વિચારો વિશે સતત ખુલીને વાત કરે છે. “લોક અપ” ના તાજેતરના એપિસોડમાં, આકાંક્ષા ચમોલાએ સહ-સ્પર્ધક વરુણ યાદવ સાથે તેની જાતીયતા અને તેની વર્તમાન માનસિક…
Mumbai,તા.૧૪ સૂર્યકુમાર યાદવ આજે ટીમ ઈન્ડિયાની બહાર હોઈ શકે છે, પરંતુ ભારતીય ટીમના દરવાજા તેમના માટે સંપૂર્ણપણે બંધ નથી. આ શક્યતા પહેલાથી જ હતી, પરંતુ હવે ICC એ તેની પુષ્ટિ કરી છે. જોકે, સૂર્યા માટે વાપસી કરવી સરળ રહેશે નહીં. સૂર્યા પહેલાથી જ વનડે અને ટેસ્ટમાંથી બહાર હતો, અને ઝિમ્બાબ્વે સામે ્૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઇએ જણાવ્યું છે કે સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયામાં પાછા ફરી શકે છે બીસીસીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર આપ્યો છે. જોકે, સૂત્રએ એમ પણ જણાવ્યું છે કે જો સૂર્યા ઘરેલુ ક્રિકેટમાં સતત રન બનાવવાનું ચાલુ રાખે છે, તો તે પાછો ફરી શકે છે. અહેવાલમાં…
તાલુકો પોલીસની ટીમે દરોડો પાડી રૂ ૬૧૦૦ ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યા Rajkot તા.૧૪ શહેરના ગોંડલ રોડ પર રસુલપરા શેરી નંબર ૧૫ માં જુગારધામના દરોડામાં ત્રણ મહિલા સહિત આઠ શખ્સોને જુગટુ રમતા ઝડપી પાડ્યા હતા અને રૂપિયા ૬૧૦૦ નો મુદ્દામાલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે કબજે કર્યો હત અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એ.એસ.આઇ.ભુપેન્દ્રસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ સાગરભાઇ બાળા, જયસુખભાઈ વાઘેલા મહિલા કોન્સ્ટેબલ મોનિકાબેનની સંયુક્ત રાહે બાતમી મળેલકે ગોંડલ રોડ રસુલપરા શેરી નંબર ૧૫માં રહેણાંકના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી આધારે દરોડો પાડતા રસુલપરામાં રહેતા…
New Delhi,તા.૧૪ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણી શરૂ થાય તે પહેલાં, કેપ્ટન શુભમન ગિલે ટીમની તૈયારીઓ અને ભાવિ વ્યૂહરચના વિશે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો. ગિલે માત્ર વિરાટ કોહલી અને રોહિત શર્માની પ્રશંસા જ નહીં, પણ ૨૦૨૭ આઇસીસી વનડે વર્લ્ડ કપ માટેની યોજનાઓ અને વરિષ્ઠ ખેલાડીઓની ભૂમિકા વિશે પણ ખુલ્લેઆમ વાત કરી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી આજથી ૧૪ જુલાઈથી બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થઇ છે. શ્રેણીની પહેલી મેચના એક દિવસ પહેલા, ભારતીય કેપ્ટન શુભમન ગિલે મીડિયાને સંબોધિત કર્યું. આ વાતચીત દરમિયાન, ગિલે ઘણા પ્રશ્નોના નિખાલસતાથી જવાબ આપ્યા. પહેલી વનડેના બે દિવસ પહેલા, શુભમન ગિલ…
Lords,તા.૧૪ લોર્ડ્સમાં ભારતીય મહિલા ટીમનો ઈંગ્લેન્ડ પર ઐતિહાસિક વિજય માત્ર એક યાદગાર મેચ જ નહીં, પરંતુ કેપ્ટન હરમનપ્રીત કૌરના કરિયરનો એક સુવર્ણ અધ્યાય પણ હતો. આ જીત સાથે હરમનપ્રીતે ભારતીય મહિલા ટેસ્ટ ક્રિકેટમાં એક એવો રેકોર્ડ બનાવ્યો જે તેના પહેલા કોઈ કેપ્ટને હાંસલ કર્યો ન હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લોર્ડ્સમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને ૨૭૦ રનથી હરાવીને ઇતિહાસ રચ્યો. ક્રિકેટના મક્કામાં રમાયેલી આ પહેલી મહિલા ટેસ્ટ મેચ હતી અને ભારતે આ ઐતિહાસિક મેચમાં શાનદાર જીત મેળવી. આ જીત સાથે, કેપ્ટન હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ દિગ્ગજ મિતાલી રાજનો મોટો રેકોર્ડ તોડ્યો. ઇંગ્લેન્ડ સામેની જીત હરમનપ્રીત કૌરની કેપ્ટન તરીકે…
