Author: Vikram Raval

Chandigarh,તા.૧૪ પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષે એક નવો વળાંક લીધો છે. પાર્ટીના રાજ્ય પ્રભારી ભૂપેશ બઘેલે કહ્યું કે રાહુલ ગાંધી રાજ્યમાં પાર્ટીનો એકમાત્ર ચહેરો છે. આ સૂચવે છે કે પાર્ટી હાઇકમાન્ડ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા એક સંયુક્ત નેતૃત્વ રજૂ કરવા માંગે છે. જો કોંગ્રેસ મુખ્યમંત્રી પદના ઉમેદવારને રજૂ ન કરવાનો નિર્ણય લે છે, તો તે પાછલી વિધાનસભા ચૂંટણીઓ માટેની તેની રણનીતિથી વિચલન હશે. ૨૦૧૨ અને ૨૦૧૭ માં, પાર્ટીએ કેપ્ટન અમરિંદર સિંહને તેના મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે નામ આપ્યું હતું. ૨૦૨૨ માં, તેણે તત્કાલીન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને તેના મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે જાહેર કર્યા. દરમિયાન, પંજાબ કોંગ્રેસમાં આંતરિક ઝઘડા અંગે દિલ્હીમાં…

Read More

Surat,તા.૧૪ સુરત અને તાપી જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે મહત્વપૂર્ણ ગણાતી સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સુમુલ ડેરી)ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. કુલ ૧૬ બેઠકોમાંથી ૭ બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ હવે બાકીની ૯ બેઠકો માટે ૧૫ જુલાઈએ મતદાન યોજાશે. મતગણતરી ૧૭ જુલાઈએ સવારે ૧૧ વાગ્યાથી થશે અને ત્યારબાદ નવી સમિતિનું ચિત્ર સ્પષ્ટ થશે. ચૂંટણી માટે વિવિધ તાલુકા મથકો પર મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. મતદાન સવારે ૯ વાગ્યાથી શરૂ થઈને સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ મતપેટીઓ સીલ કરીને મતગણતરી માટે રાખવામાં આવશે. ૧૭ જુલાઈએ સુમુલ ડેરીના બેન્કવેટ હોલમાં ચૂંટણી અધિકારી નેહા સવાણીની દેખરેખ…

Read More

New Delhi,તા.૧૪ ઓમાનના દરિયાકાંઠે વેપારી જહાજો પર થયેલા તાજેતરના હુમલાઓ, જેના પરિણામે એક ભારતીય નાવિકનું મૃત્યુ થયું હતું, તે સંદર્ભે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓ (ડેપ્યુટી ચીફ ઓફ મિશન મોહમ્મદ જાવદ હોસેની સહિત) ને સમન્સ મોકલ્યા છે. ઓમાનના પાણીમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા બે યુએઈ-ધ્વજવાળા ટેન્કરો પર થયેલા હુમલા બાદ આ રાજદ્વારી પગલું લેવામાં આવ્યું છે. આ હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું હતું અને ભારતીય નાગરિકો સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. ભારતે ઈરાની દૂતાવાસ પાસેથી સમજૂતી માંગી હતી અને હુમલા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આ સમન્સ ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવ અને વૈશ્વિક ઉર્જા પરિવહન માટે…

Read More

Mehsana,તા.૧૪ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર વરસાદની નવી આગાહી કરવામાં આવી છે. આ આગાહી સાંભળતા જ મહેસાણા પંથકના ખેડૂતોમાં આનંદની લહેર દોડી ગઈ છે. વર્ષોથી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી આગાહીઓ ઘણી અંશે સચોટ સાબિત થતી હોવાથી ખેડૂતો તેમના પર અતૂટ વિશ્વાસ રાખે છે. ખેતીવાડી સંપૂર્ણપણે કુદરતના વરસાદ પર નિર્ભર હોય છે, ત્યારે સમયસર અને સચોટ હવામાનની માહિતી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. મહેસાણાના સ્થાનિક ખેડૂતો અંબાલાલ પટેલની આગાહીને ખૂબ જ મહત્વ આપે છે. પટેલ રમણભાઈ આ અંગે જણાવે છે કે, “અંબાલાલ પટેલની આગાહી અન્ય કરતા વધુ સચોટ અને ભરોસાપાત્ર હોય છે. તેઓ જે મુજબ…

Read More

Ahmedabad,તા.૧૪ ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સમગ્ર અમદાવાદ શહેર ભક્તિના રંગે રંગાવા અને પ્રભુના સ્વાગત માટે સજ્જ બન્યું છે. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે સમગ્ર રૂટનું ગ્રાન્ડ રિહર્સલ અને નિરીક્ષણ કર્યું હતું. આ વર્ષે રથયાત્રાને વિઘ્નરહિત અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે ૩૦ હજારથી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે પહેલીવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ટેક્નોલોજી, ડ્રોન અને ૧૦૦૦ જેટલા બોડી-વોર્ન કેમેરા જેવા સ્માર્ટ પોલીસિંગ હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદમાં રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે આ વર્ષે એવી વ્યવસ્થા ગોઠવી છે કે…

Read More

ડોનાલ્ડ ટ્રમ્પે  ઈરાનની  લશ્કરી  શક્તિ  અને  નેતૃત્વનો નાશ કરવાનો બોલ્ડ દાવો કર્યો છે Washington,તા.૧૪ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાનના ટોચના લશ્કરી નેતૃત્વનો નાશ કરવામાં આવ્યો છે, અને દિવંગત સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના પુત્ર મોજતબા ખામેનીને લગભગ ૯૦% ખતમ કરી દેવામાં આવ્યા છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે મિસાઈલ હુમલા અને બદલો લેવાના હુમલા ફરી તીવ્ર બન્યા છે. બંને દેશો વચ્ચે તણાવ હવે ગલ્ફ ક્ષેત્રમાં મોટા લશ્કરી સંઘર્ષમાં ફેરવાઈ રહ્યો હોય તેવું લાગે છે. ફોક્સ ન્યૂઝ…

Read More

Rajkot,તા.૧૪ Rajkot શહેર અને સૌરાષ્ટ્રના રેલવે મુસાફરો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના મધ્યમાં આવેલા ઐતિહાસિક ભક્તિનગર રેલવે સ્ટેશનનું કાયાકલ્પ થઈ ચૂક્યું છે. આગામી ૧૭ જુલાઈના રોજ Pm Modiના હસ્તે આ નવનિર્મિત સ્ટેશનનું વર્ચ્યુઅલ માધ્યમથી ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. અંદાજે ૨૬.૮૦ કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે આ સ્ટેશનને તમામ પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે, જેનો દેખાવ એરપોર્ટ જેવો ભવ્ય લાગે છે. આ રેલવે સ્ટેશનનો વિકાસ કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી ’અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ કરવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના જૂના સ્ટેશનોને આધુનિક સમયની જરૂરિયાતો મુજબ રીડેવલપ કરવાનો છે. નવનિર્મિત ભક્તિનગર સ્ટેશન પર હવે મુસાફરોને અદ્યતન…

Read More

Vadodara,તા.૧૪ શહેરના કિશનવાડી વિસ્તારમાં મોડીરાત્રે બનેલી હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. રાજસ્થાનથી માતા-પિતાને મળવા આવેલા ૧૭ વર્ષીય વિદ્યાર્થીની ચાકુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભંગારના ધંધાની હરીફાઈ અને પૈસાની લેતી-દેતીનો વિવાદ આ ઘટનાનું કારણ હોવાનું માનવામાં આવે છે. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં મોડીરાત્રે બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ ઘટનામાં રાજસ્થાનથી પોતાના માતા-પિતાને મળવા આવેલા ૧૭ વર્ષીય સુમિત વણઝારાનું મોત થયું છે. પોલીસના જણાવ્યા મુજબ મૃતક સુમિત મૂળ રાજસ્થાનમાં પોતાના દાદા-દાદી સાથે રહેતો હતો અને ધોરણ-૧૧માં અભ્યાસ કરતો હતો. વેકેશન દરમિયાન તે વડોદરામાં રહેતા પોતાના માતા-પિતાને મળવા આવ્યો હતો.…

Read More

Rajkot,તા.૧૪ Rajkotના જસદણમાં આલ્ફા સંકુલમાં ડમી સ્કૂલિંગનો મોટો પર્દાફાશ થયો છે. દસ વર્ષીય વિદ્યાર્થીનીના મોત બાદ તપાસમાં ખુલાસો થયો છે. રાજ્યના ૩૧ શહેરોની શાળાના ૬૯૭ ડમી વિદ્યાર્થીઓ મળી આવ્યા. નવોદય-સૈનિક સ્કૂલની તૈયારીના નામે ડમી નેટવર્ક ચાલતું હતું. બીજી શાળામાં હાજરી પુરીને અભ્યાસ માટે ટ્યુશનમાં વિદ્યાર્થીઓ જતા હતા. આ મામલો સામે આવતા સ્કૂલ અને હોસ્ટેલ એક મહિના માટે બંધ કરાયા છે. ડમી એજ્યુકેશન રેકેટ સામે શિક્ષણ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. જસદણમાં ૧૦ વર્ષીય વિદ્યાર્થિની આયુષી બલદાણીયાના મોત મામલે તપાસ તેજ કરવામાં આવી છે. આયુષી આલ્ફા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી. પરિવારનો આરોપ છે કે બીમારી…

Read More

Ambaji,તા.૧૪ Ambaji મંદિરના ભંડારામાં દાનની રોકડની ચોરીનો મામલો સામે આવ્યા બાદ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનારી આ ઘટનાને ગંભીરતાથી લઈ હવે ભંડારાની ગણતરી અને સુરક્ષા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અમલમાં મૂકવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે મંદિરના એક કર્મચારીએ ભંડારમાંથી રોકડના બંડલની ચોરી કરી હતી. આ કેસમાં ચિરાગ ઠાકોર સહિત ત્રણ પૂર્વ કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે. ચોરીમાં સંડોવણી સામે આવતા મંદિર ટ્રસ્ટે ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધા છે. ઘટના બાદ મંદિર ટ્રસ્ટે ભંડારાની ગણતરી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. નવી…

Read More