Author: Vikram Raval

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૪ જેતપર મોરબી રોડ પર પીપળી ગામ નજીક બાઈક ચાલક રોડ સાઈડમાં આવેલ ખાડામાં પડ્યો હતો બાઈક સહીત નીચે પડી જતા યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે મૂળ ધોરાજીના કલાણા ગામ હાલ મોરબીની ઉમા રેસીડેન્સીમાં રહેતા રૂમ્પાબેન ડેનીશભાઈ ડેડકીયા (ઉ.વ.૨૮) વાળાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પતિ ડેનીશ રામજીભાઈ ડેડકીયા ગત તા. ૦૯ ના રોજ પોતાનું બાઈક જીજે ૩૬ એકે ૫૧૪૫ લઈને ઘરે જતા હતા ત્યારે મોટરસાયકલ પરથી કાબુ ગુમાવી દેતા જેતપર મોરબી રોડ પર પીપળી ગામ પાસે માનસધામ સોસાયટી પાસે રોડ સાઈડમાં…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૪ વીરવિદરકા ગામના પાટિયા નજીક બે ટ્રક અથડાતા એક ટ્રક ચાલકનું ફસાઈ જતા મૃત્યુ થયું હતું બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે કચ્છના રાપર તાલુકાના રહેવાસી ધારાભાઇ પેથાભાઈ વરચંદ (ઉ.વ.૫૧) વાળાએ ટ્રક જીજે ૩૯ ટીએ ૬૦૬૮ ના ચાલક રાહુલકુમાર ધારાભાઇ વરચંદ (ઉ.વ.૨૪) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પુત્ર રાહુલ વરચંદ પોતાનો ટ્રક જીજે ૩૯ ટીએ ૬૦૬૮ વાળો પુરઝડપે ચલાવી માળિયા મોરબી નેશનલ હાઈવે પર સત્કાર હોટેલ આગળ ડીવાઈડર કુદાવી સામેની સાઈડમાં આવતા ડમ્પર જીજે ૧૨ બીટી ૬૬૬૬ આગળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૪ જાંબુડિયા ગામ નજીક આવેલ કારખાનામાં અજાણ્યા ચોર ઇસમોએ પ્રવેશ કરી ગોડાઉન બહાર ચાલુ ઇલેક્ટ્રિક લાઈનના ૪૦ હજારની કિમતના ૮૦ મીટર કેબલ વાયર કાપી ચોરી કરી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મોરબીના એસપી રોડ પર ફ્લોરા ૫૭ માં રહેતા અંકુરભાઈ ડાયાભાઇ કગથરા (ઉ.વ.૪૪) વાળાએ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની ભાગીદારી પેઢીના જાંબુડિયા ગામની સીમમાં આવેલ રોલેકસ સ્પ્રે ડાયલ નામના મારબલ કારખાનામાં ગત તા. ૦૫-૦૭ ના રાત્રીના દશથી અગિયાર વાગ્યાના સમયમાં અજાણ્યા ચોર ઇસમોએ ચોરી કરવાના ઈરાદે કારખાનાની દીવાલ કુદીને પ્રવેશ કર્યો હતો કારખાનાના ગોડાઉન બહાર ચાલુ ઇલેક્ટ્રિક…

Read More

શાસ્ત્રીજી મહારાજની ૧૨૫મી જન્મજયંતી નિમિતે વિવિધ આયોજનો Rajkot તા.૧૪ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા આગામી ૧૬ જુલાઈ, ગુરુવારે સાંજે ૪ કલાકે રથયાત્રા સ્વામિનારાયણ ગુરુકુલથી પ્રસ્થાન કરશે.વર્ષોની પરંપરા અનુસાર ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બળભદ્રજી ને વિશાળ રથમાં વિરાજીત કરી, સંતો દ્વારા રથને ખેંચીને નગરમાં વિચરણ કરશે. આ યાત્રામાં સૌથી આગળ ડીજે રહેશે. ૪૦ ઉપરાંત બાઈક સંપૂર્ણ રથયાત્રાનું પાયલોટિંગ કરતા હશે. ત્યારબાદ ૪૦ બાલમંડળના બાળકો એક સમાન ડ્રેસમાં સાયકલ સવારી વડે રથયાત્રામાં જોડાશે. જગન્નાથજી નો મુખ્ય રથ સાથે કાર,ટ્રેક્ટર,છોટા હાથી વગેરે વાહનો જોડાશે. ત્યારબાદ પદાતી વિદ્યાર્થીઓ તેમજ એક સમાન આત્મીય ડ્રેસમાં હરિભક્તો જોડાશે.આ યાત્રામાં એક ફ્લોટમાં સાંખ્યયોગી બહેનો અને મહિલા દ્વારા મહામંત્ર ગાન…

Read More

Kathmandu,તા.૧૪ નેપાળમાં લોકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓ થોડા મહિના પહેલા ચૂંટાયેલા બાલેન શાહના નેતૃત્વ હેઠળની સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. માર્ચમાં નેપાળમાં ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં બાલેન શાહે જંગી બહુમતી મેળવી હતી, પરંતુ હવે જનતા તેમની વિરુદ્ધ થઈ ગઈ છે. આનું સૌથી મોટું કારણ વહીવટીતંત્રનું કડક વલણ છે. નેપાળમાં અતિક્રમણ સામે વહીવટીતંત્ર કડક પગલાં લઈ રહ્યું છે. આના કારણે ગરીબો અને બેઘર લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આ જ કારણ છે કે લોકો વિરોધ કરી રહ્યા છે. સેંકડો લોકોએ સરકારના જમીનવિહોણા ઝૂંપડપટ્ટીવાસીઓને વૈકલ્પિક પુનર્વસન આપ્યા વિના તેમને બહાર કાઢવાના નિર્ણય સામે પ્રદર્શન કર્યું હતું. યુનાઇટેડ…

Read More

જીજ્ઞેશ પટેલ Manavadar તા.૧૪ Manavadar-બાંટવા પંથકમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લાદવામાં આવેલા જંત્રીના અસહ્ય ભાવવધારા સામે સ્થાનિક જનતા, ખેડૂતો અને વેપારીઓમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં, આખરે માણાવદરના ઉદ્યોગપતિ રાજુભાઈ ઝાટકીયાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને મુખ્યમંત્રીને સંબોધીને એક ઉગ્ર પત્ર પાઠવવામાં આવ્યો છે. આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, આજુબાજુના વધુ વિકસિત જૂનાગઢ, ધોરાજી અને ઉપલેટા જેવા વિસ્તારો કરતાં પણ માણાવદરમાં જંત્રીના દર વધુ રાખવામાં આવ્યા છે. તંત્રએ વાસ્તવિક ગ્રાઉન્ડ રિપોર્ટ તપાસ્યા વગર માત્ર બંધ ઓફિસોમાં બેસીને જ આ દરો થોપી દીધા છે. દાખલા તરીકે, જીલાણામાં જંત્રી…

Read More

ઘરેણા છોડાવી આપનાર પેઢીએ ફાઇનાન્સ, વચેટિયા અને લોનધારક સામે ગુનો નોંધાવ્યો’તો Rajkot તા.૧૪ ફાઇનાન્સમાં લોન માટે ગીરવે મુકવા અને છોડાવવાની કાર્યવાહી દરમિયાન ૨૨ કેરેટ સોનાના હોલમાર્ક કહેવાતા ઘરેણા નકલી નીકળતા ફાઇનાન્સ પેઢી, વચેટીઓ અને લોન લેનારા સામે ઘરેણા છોડાવી આપનાર પેઢી દ્વારા નોંધાયેલા રૂ. ૧૫.૬૦ લાખની ગુનામાં લીંબડીના લાલજી જોગરાણાની બીજી વખતની જામીન અરજી ફગાવી દીધી છે. આ અંગેની હકીકત મુજબ, રાજકોટમાં અન્યોએ ગીરવે મૂકેલું સોનું છોડાવી દેવાનો બિઝનેસ કરતી હિંમત ગોલ્ડ સેન્ટર મારફત લાલજી ખોડા જોગરાણા (રહે. લીંબડી)એ ક્રિશા ફાઈનાન્સ પેઢીમાં ગીરવે મુકેલ કુલ ૧૭૭.૮૦ ગ્રામ બાવીશ કેરેટ હોલમાર્ક લગાડેલા સોનાના ઘરેણા છોડાવ્યા હતા, અને તેના હિસાબના રૂ. ૧૫.૬૦…

Read More

માતા-પિતા બહાર ગયા હતા અને દીકરી હોસ્પિટલ પહોંચે તે પહેલા જ શ્વાસ ખૂટ્યા, મોતનું ચોક્કસ કારણ પીએમ અર્થે ખસેડાયો Rajkot તા.૧૪ શહેરના મુંજકા ગામ વિસ્તારમાં આવેલ ટીટોડીયા ક્વાર્ટરમાં કોલેજિયન યુવતીનું પોતાના ઘરે જ અચાનક ચક્કર આવી પડી ગયા બાદ રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હોસ્પિટલના તબીબોએ યુવતીને મૃત જાહેર કરી મોતનું સાચું કારણ જાણવા માટે પીએમ અર્થે ખસેડવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, મુંજકા ગામના ટીટોડીયા ક્વાર્ટરમાં રહેતા ધ્રુવીકાબેન પ્રવીણભાઈ ગોંડલિયા (ઉં ૨૨) આજે બપોરના સમયે પોતાના ઘરે કોઈ કારણોસર અચાનક ચક્કર આવીને નીચે પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. ઘટના સમયે ધ્રુવીકાબેનના માતા-પિતા…

Read More

Mumbai,તા.૧૪ બોલીવુડની અનુભવી અભિનેત્રી અને રાજકારણી હેમા માલિની છ દાયકાથી વધુ સમયથી કામ કરી રહી છે. લાંબા સમયથી હિન્દી સિનેમામાં છે. ૬૦ વર્ષના કરિયર દરમિયાન, તેણીએ હિન્દી અને દક્ષિણ ભારતીય બંને ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી છે. કૌશલ્યથી પ્રભાવિત. તેણીને હિન્દી સિનેમાની “ડ્રીમ ગર્લ” તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એક સમય હતો જ્યારે દરેક મોટા અભિનેતા અને દિગ્દર્શક તેમની સાથે કામ કરવા માંગતા હતા. આજે પણ, હેમા માલિનીની લોકપ્રિયતા અપાર છે. તાજેતરમાં, હેમા માલિનીએ મુંબઈમાં આયોજિત “ડ્રીમ ગર્લ્સ ડાયમંડ જ્યુબિલી” કાર્યક્રમમાં આ ફિલ્મ રજૂ કરી. ઉદ્યોગમાં ૬૦ વર્ષ પૂર્ણ થયા. આ કાર્યક્રમ દરમિયાન, તેણીએ એ પણ જાહેર કર્યું કે તે…

Read More

Rajkot તા.૧૪ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે ગત તારીખ ૩ માર્ચ ૨૦૨૬ના રોજ સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અને લાંબા સમયથી સારવાર હેઠળ રહેલા વેપારીનું મોત નીપજ્યું છે. ઓમ શાંતિ કેન્દ્ર (બ્રહ્માકુમારીઝ) ખાતે સેવા આપીને મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહેલા વૃદ્ધને પુરપાટ ઝડપે ધસી આવેલી કારે અડફેટે લેતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, ગોવર્ધન ચોક પાસે આવેલ માધવ પાર્કમાં રહેતા અને વેપાર સાથે સંકળાયેલા વિઠ્ઠલભાઈ નાનજીભાઈ રૈયાણી (ઉં.વ. ૭૨) ગત ૩-૩-૨૦૨૬ના રોજ બપોરે ઉમિયા ચોક નજીક ૧૫૦ ફૂટ રીંગ રોડ પરથી પોતાની મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. તેઓ બ્રહ્માકુમારીઝ કેન્દ્રમાં સેવા…

Read More