- Ileana D’Cruz ફાધર્સ ડે પર નવજાત બાળકની ઝલક બતાવી
- Pooja Banerjee અને કુનાલ વર્માની વિરુદ્ધ કિડનેપિંગ અને શોષણની ફરિયાદ નોંધાઈ
- Aamir Khanની ‘સિતારેં ઝમીન પર’ને અંતે સેન્સરની મંજૂરી મળી
- Alia Bhatt ની સફળતા કરણ જોહરને આભારી
- Mukul Dev ના મૃત્યુનું કારણ સામે આવ્યું, ભાઈ રાહુલ દેવે ખુલાસો કર્યો
- “તમારી શક્તિઓ શોધો, તમારી નબળાઈઓ દર્શાવવા માટે લોકો છે
- ગુરૂ વચનામૃત…અહંકાર એ પા૫ અને અવિદ્યાનો બા૫ છે
- ભગવાનનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી
Author: Vikram Raval
Ahmedabad,તા.13 હાલમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી રહી છે. પેટા ચૂંટણીના સ્ટાર પ્રચારક તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ હતું. તેઓ વિસાવદર બેઠક પર પ્રચાર માટે પણ આવવાના હતા પરંતુ તેઓને વિદેશ જવાનું થતા તેમનો ચૂંટણી કાર્યક્રમ રદ કર્યો હતો. જો તેઓ વિસાવદર પ્રચારમાં ગયા હોત તો કદાચ આજે તે હયાત હોત! ગુજરાતમાં હાલ કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો હતો. આ પ્રચારમાં પ્રદેશ ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં અનેક નેતાઓના નામ હતા તેની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ સ્ટાર પ્રચારકમાં નામ હતું. વિજય રૂપાણી ચૂંટણી પ્રચાર માટે વિસાવદર જવાનાના…
Ahmedabad,તા.13 ગુજરાત માટે ગુરૂવાર (12 જૂન) સૌથી કરૂણ દિવસ હતો. અમદાવાદથી લંડન જતું વિમાન ક્રેશ થતા 265થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે તારીખે તેમનું મૃત્યુ નિપજ્યું તે તારીખ હતી 12/06/2025, જે ટૂંકમાં 12/06 થાય. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનો પ્રિય નંબર હતો આ 1206. તેમની કાર, ટુવ્હીલર વાહન દરેકના નંબર તેમણે 1206 જ રાખ્યા હતા. યોગાનુયોગ તેમનું પ્લેન ક્રેશમાં નિધન પણ 12-06 તારીખે જ થયું હતું. જોકે, જે વિમાન ક્રેશ થયું તેમાં તેમનો પેસેન્જર નંબર પણ 12 હતો. કહેવામાં આવે છે કે, 1206 રૂપાણીનો લકી નંબર હતો.રાજકોટમાં નીતિન ભારદ્વાજ…
Ahmedabad,તા.13 અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી 242 મુસાફરોને લઈને લંડન જવા ટેક ઑફ થયેલું બોઇંગ વિમાનના એકાએક મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થવાની દુર્ઘટનામાં મોટાભાગના પેસેન્જરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના લંડન જવા રવાના થયેલા 18 જેટલા લોકો પણ ભોગ બન્યા છે. મૃતકોમાં વિસનગર, કડી, ચંદુમાણા, ઉંઝાના ઐઠોર, ધાનેરા, પાલનપુર, મોડાસા, ખંભીસર, બાયડ, દાંતા વિસ્તારના મુસાફરોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ઍરપોર્ટ ઉપર લંડન જવા માટે સબંધીઓને મૂકવા માટે આવેલા મોટાભાગના સ્વજનો પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન જ પ્લેન ક્રેશની તેમને જાણ થઈ હતી.અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાએ ગુજરાત સહિત દેશભરના લોકોને…
Ahmedabad,તા.13 એર ઈન્ડિયાની અમદાવાદ-લંડન જતી AI171 ફ્લાઈટ બોઈગ 787-8 ડિપલાઈનર સૌથી સુરક્ષિત પેસેન્જર પ્લેન ગણાય છે. 2011માં અમેરિકાના શિકાગો સ્થિત બોઈગ કંપની પહેલીવાર ઉડાન માટે લેવામાં આવેલા આ એરક્રાફ્ટની એડવાન્સ ટેક્નોલોજી, આધુનિક ડિઝાઈન અને સ્ટ્રોંગ સેફ્ટી રેકોર્ડ બહુ ચર્ચિત છે. આ ઘટના વિશ્વમાં છઠ્ઠી ઘટના છે. જ્યારે બોઈંગ 787 એરક્રાફ્ટ ક્રેશ થયું હોય. વધુ સુરક્ષિત ગણાતા બોઈંગ 787માં અમદાવાદમાં થયેલા વિમાન ક્રેશે એની સારી સુરક્ષાની માન્યતા તોડી છે. જાણકારોના મતે 787 બોઈંગની સુરક્ષા સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણવામાં આવે છે. ક્યા સ્તરે અને ક્યા ચૂક થઈ છે તે તપાસનો વિષય છે. બોઈંગ એરક્રાફ્ટ 787 અત્યાર સુધીના જેટલાં વિમાન અકસ્માતો થયા છે…
Ahmedabad,તા.13 અમદાવાદમાં લંડન માટે ટેકઓફ કરનાર પ્લેન ગણતરીની મિનિટોમા ક્રેશ થતા સમગ્ર દેશ સ્તબ્ધ બની ગયો છે. આ દુર્ઘટનામાં વિસનગર તળ કડવા પાટીદાર સમાજના બે પુરુષ અને ત્રણ મહિલાનુ મૃત્યુ થતા સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. એરપોર્ટ ઉપર વિદાય આપી પરિવારના સભ્યો અને મિત્રો પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ પ્લેન ક્રેશ થયાની જાણ થઈ હતી. દિનેશકુમાર કાન્તીલાલ પટેલે આખી જીંદગી ખેતી કરી હતી. તેમનો પુત્ર લંડન હોવાથી માતા પિતાને ફરવા માટે બોલાવ્યા હતા. પ્રથમ વખત વિદેશયાત્રાએ જતા હોવાથી મિત્રોએ દિનેશકુમાર પટેલને પીંડારીયા ખેતરમાં પાર્ટી પણ આપી હતી. જેમાં હિન્દી ફિલ્મનું ‘તું કલ ચલા જાયેગા તો મે ક્યા કરૂંગા’…
Ahmedabad,તા.13 એર ઇન્ડિયાનું આ જ 171 બોઇંગ પ્લેન એક મહિના પહેલાં જ અમદાવાદ એરપોર્ટ પરથી ટેક્નિકલ ખામીના કારણે ઉડાન ભરી શકયુ ન હતું અને છેલ્લી ઘડીયે આ લંડન જતી આ ફલાઇટ કેન્સલ કરવી પડી હતી. એ વખતે પણ પ્લેનના પેસેન્જરોએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો કે, એર ઇન્ડિયા વર્ષો જૂના એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહ્યુ છે અને તેના કારણે અવારનવાર ટેક્નિકલ ખામી સર્જાય છે અને ફલાઇટો કેન્સલ કરવી પડે છે, જેના કારણે મુસાફરોનો સમય પણ વેડફાય છે. પેસેન્જરોના આ આક્રોશને જો એરપોર્ટ ઓથોરીટી અને સંબંધિત સત્તાવાળાઓએ ગંભીરતાથી લઇ ઉઠેલી આ ફરિયાદોને લઇ પૂરતી તપાસ કરાઇ હોત તો આ દુર્ઘટના ટાળી શકાઇ હોત…
Ahmedabad,તા.13 ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. વિમાન દુર્ઘટનામાં 200થી વધુ મૃતદેહ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બ્રિટિશના એક મુસાફરનું મોત નીપજ્યું હતું. આ મુસાફરે દુર્ઘટના પહેલા સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો અને તેની ચર્ચા થઈ રહી છે. વીડિયોમાં પાછળ વિજય રૂપાણી પણ જોવા મળ્યા હતા.અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લેનમાં 53 બ્રિટિશના નાગરિકો સવાર હોવાનું સામે આવ્યું છે. જેમાંથી જેમી મીક…
Saurashtra-Kutch,તા.13 અમદાવાદ વિમાન દુર્ઘટનાએ સૌરાષ્ટ્ર-કચ્છના સાત પરિવારોના માળા વિખેરી નાંખ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 28 મુસાફરો અમદાવાદથી લંડન જતાં વિમાનમાં હતાં અને તેમનો પતો લાગ્યો ન હોવાથી મૃત્યુ નીપજ્યાં હોવાની આશંકા છે. સૌથી વધુ 15 મુસાફરો દિવના હતાં તેમાંથી એક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. જૂનાગઢના નિવૃત્ત અધિકારી અને પરિવારના ત્રણ લોકો, પોરબંદરમાં પતિની વિધી કરીને પરત ફરતાં મહિલા સહિત બ્રહ્મ પરિવારના ત્રણ, વડિયાના એક, જામનગરમાં પિતાની ખબર પૂછી પરત ફરતાં પતિ-પત્ની, કચ્છમાં ધાર્મિક પ્રસંગ ઉજવી પરત જતાં ત્રણ તેમજ વેરાવળમાં પુત્રીના સીમંત પ્રસંગ પછી પરત જતાં બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં હતાં. સૌરાષ્ટ્ર-કચ્છના મુસાફરોના મોતથી માહોલ ગમગીન દીવ વિસ્તારના…
Surendranagar,તા.13 સુરેન્દ્રનગર જીલ્લામાંથી મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ વઢવાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદારની ટીમ દ્વારા અલગ-અલગ હાઈવે તેમજ ભોગાવો નદીમાં ચેકીંગ હાથધધર્યં હતું જે દરમ્યાન છેલ્લા ૪૮ કલાકમાં અંદાજે ૪ કરોડથી વધુની ગેરકાયદેસર ખનીજચોરી અને વાહનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે મળતી માહિતી મુુજબ વઢવાણ પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા વઢવાણ તેમજ લખતર હાઈવે પર ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું વહન કરતા વાહનો અંગે ચેકીંગ હાથરવામાં આવ્યું હતું જેમાં ત્રણ ડમ્પર ઓવરલોડ બ્લેકટ્રેપ ભરેલ ઝડપી પાડયા હતા અને કુલ રૃા.૧.૨૫ કરોડનો મુદ્દામાલ વઢવાણ મામલતદાર કચેરી ખાતે…
Surendranagar,તા.13 અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણા ગામના દંપતીએ જીવ ગુમાવ્યા છે. વર્ષોથી લંડન રહેતા દંપતી સીમંતવિધિ કરાવી પરત જતા હતા ત્યારે મૃત્યુ પામ્યા હતા. મૂળ ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામના અને વર્ષોથી અમદાવાદના ઘાટલોડિયા રહેતા પતિ વૈભવ રસિકભાઈ પટેલ અને પત્ની જીનલ વૈભવભાઈ પટેલ દંપતી વર્ષથી લંડન રહેતા હતા. પરંતુ વૈભવન પટેલના પત્ની જીનલ પટેલ ગર્ભવતિ હોવાથી તેમની સીમંતવિધિ કરવા અમદાવાદ આવ્યા હતા. તા. ૫-૬-૨૦૨૫ને ગુરૃવારના રોજ સીમંતવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ ગુરૃવારે અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા ત્યારે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.