- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
Author: Vikram Raval
લોકોને રજૂઆત માટે ધારી કે પાલીતાણા સુધી ધક્કા ખાવા પડે છે, અમરેલી જિલ્લા મથકે વન વિભાગની કચેરી ઉભી કરવા ફરી પ્રબળ માંગ (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૧૩ અમરેલી જિલ્લામાં છેલ્લા સવા માસના સમય ગાળા દરમિયાન જ મનાવીઓ અને સિંહ ઘર્ષણની સાત સાત ઘટનામાં પાંચ લોકોના જીવ ગયા છે. ત્યારે તેમાં મહત્વની બાબત જોઈ તો એશિયાટિક સિંહોની વધતી જતી વસ્તી વચ્ચે હાલમાં અમરેલી જિલ્લો આજે રાજ્યમાં સૌથી વધુ સિંહ ધરાવતો જિલ્લો બની ગયો છે. વર્ષ ૨૦૨૫ની સિંહ ગણતરી મુજબ રાજ્યમાં કુલ ૮૯૧ સિંહ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ એટલે કે, ૩૩૯ સિંહ એકલા અમરેલી જિલ્લામાં નોંધાયા છે. તેમ છતાં આ સમગ્ર…
Junagadh,તા.૧૩ જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બામણગઢ વાડી વિસ્તારમાં રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતાં માત્ર ૩ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત થયું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. આ બનાવ નાના બાળકોની સુરક્ષા અંગે વાલીઓ માટે પણ એક ચેતવણીરૂપ બની રહ્યો છે. મળતી માહિતી મુજબ, ભેંસાણ તાલુકાના બામણગઢ વાડી વિસ્તારમાં મધ્યપ્રદેશનો એક શ્રમિક પરિવાર રોજગારી માટે આવ્યો હતો અને ત્યાં જ રહેતો હતો. પરિવારનો ૩ વર્ષનો બાળક અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. દરમિયાન રમતા રમતા તે પાણી ભરેલી કુંડી પાસે પહોંચી ગયો હતો અને અચાનક સંતુલન ગુમાવતા પાણીમાં…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૩ મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા નવલખી રોડ, મહેન્દ્રનગર રોડ, અવની ચોકડી સહિતના વિસ્તારમાં નાસ્તાના ધંધાર્થો અને ફરસાણ સહિતના ૪૦ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી જેમાં અખાદ્ય ચીજવસ્તુનો નાશ કરવામાં આવ્યો હતો અને બેદરકારી દાખવનાર વેપારીઓને નોટીસ પાઠવવામાં આવી હતી નવલખી રોડ પર પશુપતિનાથ ચાઇનીઝમાંથી વાસી નૂડલ્સ, ફૂડ કલર અને સ્થળ પર અનહાઈજેનીક સ્થિતિ જોવા મળી હતી તેમજ ફૂડ લાયસન્સ ના હોવાથી પેઢીને ગ્રીન નોટીસ ફટકારી છે રવાપર ચોકડી પાસે આવેલ ગુરુજી ફાસ્ટફૂડમાંથી વાસી ચટણી, ગ્રેવી, વાસી નૂડલ્સ અને ફૂડ કલર મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો સાઈઝ ઝીરો કેફેમાં એક્સપાયરી ડેટ વગરના પાઉં…
Palanpur,તા.૧૩ બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારના સવપુરાગામે ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાજના વિકાસ, શિક્ષણ અને સંગઠનની દિશામાં આ મહાસંમેલનને મહત્વપૂર્ણ માનવામાં આવ્યું. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ સમાજને શિક્ષણ, એકતા અને વિકાસના માર્ગે આગળ વધવા અપીલ કરી હતી. તેમણે યુવા પેઢીને શિક્ષણને પ્રાથમિકતા આપવા અને સમાજના ઉત્કર્ષમાં સક્રિય યોગદાન આપવા પ્રેરણા આપી હતી. મહાસંમેલનમાં વક્તાઓએ સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણને સૌથી મોટું સાધન ગણાવ્યું હતું. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, ઉચ્ચ…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૩ Jamnagar જિલ્લાના પંચકોષી એ.ડી.વી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા બે આરોપીઓને રાજકોટ રેન્જની વિશેષ ટીમે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે પંચકોષી એ.ડી.વી. પોલીસને સોંપ્યા છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓ તેમજ અન્ય જિલ્લાઓમાં ગુનો આચરી ફરાર થયેલા આરોપીઓને શોધી કાઢવા વિશેષ અભિયાન હાથ ધરાયું છે. તેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા તથા તેમની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકિન્કલ એનાલિસિસના આધારે સતત તપાસ હાથ…
રૂ. ૨૦ હજારના બદલામાં રૂ. ૪૩ હજાર ચૂકવ્યા છતાં વધુ રૂ. ૩૦ હજારની માંગણી, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૩ Jamnagarમાં રહેતા આશિષ મનસુખભાઈ હરિયાણી (ઉં. ૨૭), રહે. જળેશ્વર સોસાયટી, રણજીતસાગર રોડ, જામનગરે શહેરના પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અંદાજે એક મહિના પહેલાં તેણે મિત્ર ચિરાગ અશોકભાઈ ગંઢા પાસેથી રૂ. ૨૦ હજાર વ્યાજે લીધા હતા. ફરિયાદ મુજબ, તેણે અત્યાર સુધીમાં રૂ. ૪૩ હજાર જેટલી રકમ ચૂકવી હોવા છતાં ચિરાગ ગંઢા વધુ રૂ. ૩૦ હજારની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરતો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્રણ દિવસ પહેલાં સાઈબાબા મંદિર પાસે ચિરાગ ગંઢાએ રૂપિયા માંગતાં આશિષ…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૩ જામનગર શહેરના નગીના મસ્જિદ ચોક વિસ્તારમાં થયેલી બોલાચાલી બાદ એક યુવાન પર છરી વડે હુમલો કરાયાની ઘટના સામે આવી છે. આ મામલે ઘાયલની પત્ની રસીલાબેન પ્રકાશભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાના ભંગ અંગે પણ ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ, ૧૧ જુલાઈના બપોરે આશરે બે વાગ્યાના સમયે પ્રકાશભાઈ સવજીભાઈ સોલંકી કોઈ કામસર નગીના મસ્જિદ ચોક વિસ્તારમાં ગયા હતા. તે દરમિયાન ભોઈવાડા વિસ્તારમાં રહેતા રાહુલ અશોકભાઈ મહેતા સાથે અથડામણ થતાં બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આરોપીએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યા બાદ પેન્ટના નેફામાંથી છરી કાઢી…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૩ Jamnagar જિલ્લાના ખીમરાણા ગામમાં જાહેરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર એક શખ્સને ૧૧૨ જનરક્ષક ટીમે ઝડપી લઈ પંચ ’એ’ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી) અને ૮૫(૧) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે નશાબાજ ને તેની પત્નીએ જ પોલીસ પાસે પકડાવી દીધો હતો. પોલીસ ફરિયાદ મુજબ, તા. ૧૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ બપોરે ૧.૪૮ વાગ્યે ૧૧૨ જનરક્ષકને ખીમરાણા ગામમાંથી રાણીબેન ઘેલાભાઈ રાતડિયાએ ફોન કરી જાણ કરી હતી કે તેમના પતિ દારૂના નશામાં જાહેરમાં બકવાસ કરી તોફાન મચાવી રહ્યા છે. જાણના આધારે જનરક્ષક ટીમ સ્થળ પર પહોંચી ઘેલાભાઈ મયાભાઈ રાતડિયા…
ઉંચા વળતરની લાલચ આપી રૂ.૫.૫૦ કરોડ લઇ દુબઈ ભાગી જઈ જામીન માટે કોર્ટમા. દાદ માંગી Rajkot તા.૧૩ શહેરના સગી બહેનના પરીવાર સહિતના રોકાણકારોના કરોડો રૂપીયા ચાઉ કરી જવાના છેતરપિંડીના કેસમાં વેપારી દંપતીએ કરેલી આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.આ કેસની હકીકત મુજબ ઓમનગર વિસ્તારમાં આવેલ રુદ્ર એપાર્ટમેન્ટમાં રહેતા અને શ્રી ગીરીરાજ વાસણ અને શ્રી દ્વારકાધીશ વાસણના નામે ધંધો કરતા પ્રિયંકભાઈ રમશેભાઈ કારીયા અને ડીમ્પલબેન પ્રિયંકભાઈ કારીયાએ સગી બહેનના સાસરીયા સહિત રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપી રૂ.૫.૫૦ કરોડ લઇ દુબઈ જતા રહ્યા હતા. આ અંગે ફરીયાદ ધનસુખભાઇ રાયચુરાએ ક્રાઈમ બ્રાન્ચમાં કારીયા દંપતી વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસ…
લગ્ન સમયે શહેરમાં રહેવાનું કહીને પતિ ગામડે જ રાખતો હોવાથી મહિલા ૧૦ વર્ષથી પિયરમાં રહી કંટાળી ગળાફાંસો ખાધો Rajkot, તા.૧૩ શહેરના નવાગામ રંગીલા સોસાયટીમાં લગ્ન સમયે શહેરમાં રાખવાનો વાયદો કર્યા બાદ પતિ ગામડે જ રહેતો હોવાથી અને પત્નીને તેડવા ન આવતો હોવાના કારણે સર્જાયેલા ઘરકંકાસથી કંટાળીને પરિણીતાએ ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે જેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, ચોટીલા તાલુકાના સાલખડા ગામે રહેતા કૈલાશબેન વિપુલભાઈ ચાવડા (ઉં.વ. ૩૨)ના લગ્ન ૧૨ વર્ષ પહેલાં થયા હતા. લગ્ન સમયે વિપુલભાઈએ કીધું હતું કે તેઓ શહેરમાં રહેશે, પરંતુ લગ્ન બાદ પતિ ગામડે જ રહેતો હતો.…
