- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
Author: Vikram Raval
New Delhi,તા.૧૪ ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્ટાર અભિષેક શર્માને દિલ્હી હાઈકોર્ટનો ટેકો મળ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ભારતીય ક્રિકેટર અભિષેક શર્માના વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ કરતો વચગાળાનો આદેશ જારી કર્યો છે. કોર્ટે તેમના નામ, છબી, વિડીયો અને ઓળખના અનધિકૃત ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે, જે સ્પષ્ટ કરે છે કે વ્યાપારી અથવા વ્યક્તિગત લાભ માટે કોઈપણ વ્યક્તિની છબીનો દુરુપયોગ અસ્વીકાર્ય છે. આ આદેશ એઆઇ દ્વારા જનરેટ કરાયેલ નકલી સામગ્રી અને પરવાનગી વિના વેચાતા માલ પર પણ લાગુ પડે છે. કોર્ટે મેટા, અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈ-કોમર્સ વેબસાઇટ્સને અભિષેક શર્મા સંબંધિત વાંધાજનક સામગ્રી અને લિંક્સને તાત્કાલિક દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એ…
Mumbai, તા.૧૪ બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અને સાંસદ શત્રુઘ્નસિંહા હાલમાં સોશિયલ મીડિયા પર તેમના એક વીડિયોને લઈને ભારે વિવાદમાં ઘેરાઈ ગયા છે. અભિનેત્રી આકાંક્ષા રંજન કપૂર અને ફિલ્મમેકર શરણ શર્માના વેડિંગ રિસેપ્શન દરમિયાનનો તેમનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક ફેન સાથે કરેલા વર્તનને કારણે લોકોના રોષનો ભોગ બન્યા છે. ચાલો જોઈએ શું છે આ વાઈરલ વીડિયોમાં…વાત જાણે એમ છે કે હાલમાં જ યોજાયેલા આકાંક્ષા અને શરણના રિસેપ્શનમાં શત્રુઘ્ન સિંહા પોતાની પત્ની પૂનમ અને પુત્રી સોનાક્ષી સિંહા સાથે પહોંચ્યા હતા. એ સમયે એક ફેન તેમની સાથે ફોટો પડાવવા માટે આવ્યો હતો. ફોટો પડાવતી વખતે તે ફેન્સ ઉત્સાહમાં આવીને…
અપૂર્વ લાખિયા દ્વારા નિર્દેશિત માતૃભૂમિ વોર-ડ્રામા ફિલ્મમાં સલમાન સાથે અભિનેત્રી ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં Mumbai, તા.૧૪ બોલીવૂડના ‘ભાઈજાન’ ગણાતા સલમાન ખાન પોતાના કામની સાથે સાથે હંમેશા પોતાના લુક્સને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં સલમાન ખાન મુંબઈના બાંદ્રામાં એક ડબિંગ સ્ટુડિયોની બહાર સ્પોટ થયા હતા, જ્યાં તેમનો ‘કાઉબોય લુક’ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ શું છે ખાસ સલમાનભાઈના આ લૂકમાં…આ લુકમાં સલમાન ખાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા. તેમણે લાઈટ કલરની શર્ટ, જેની ઉપરના થોડા બટન ખુલ્લા હતા, તેની સાથે લાઈટ બ્લૂ ડિસ્ટ્રેસ્ડ ડેનિમ જીન્સ પહેર્યું હતું. તેમના લુકમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તેમની…
‘ધુરંધરઃ ધ રિવેન્જ’એ ગ્લોબલી ૧,૮૧૩ કરોડની કમાણી કરીને ‘દંગલ’ બાદ બીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મનો રેકોર્ડ નોંધાવ્યો Mumbai, તા.૧૪ રણવીર સિંહની ‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝીએ ગ્લોબલ બોક્સ ઓફિસ પર ૩,૧૦૦ કરોડથી વધુની કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. જોકે, જાપાનમાં ફિલ્મની શરૂઆત નિઃરાશાજનક રહી છે. ૧૦ જુલાઈએ લગભગ ૮૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ પહેલા દિવસે માત્ર ૯૦૦ દર્શકોને જ થિએટર સુધી ખેંચી શકી હોવાના અહેવાલો છે.આ અહેવાલો અનુસાર, ફિલ્મ માટે પહેલા દિવસે બપોરે ૨ વાગ્યા સુધી ૫૭ થિએટરમાં ૪૪૯ ટિકિટ જ વેંચાઈ હતી. દિવસનાં અંત સુધીમાં આ આંકડો વધીને માત્ર ૮૦ થિએટરમાં ૯૦૦ ટિકિટ સુધી પહોંચ્યો. ભારે પ્રમોશન…
સાચી સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિઓમાં નહીં, પરંતુ અન્ય લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવામાં પણ રહેલી છે Mumbai, તા.૧૪ એક્ટ્રેસ સંજના સાંઘીએ તાજેતરમાં યુએનડીપીના સહયોગથી યોજાયેલા એક વૈશ્વિક કાર્યક્રમમાં પોતાનાં જીવન અને ફિલ્મની સફર અંગે વાત કરી હતી. બાળપણની મુશ્કેલીઓ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેણે સામનો કરવો પડ્યો એવા પડકારો અને જીવનનાં મહત્વના વળાંકો વિશે વાત કરી હતી. તેણે યુવાનોને પોતાનાં સપનાઓ પર વિશ્વાસ રાખવાનો સંદેશ આપ્યો.સંજના સાંઘીએ જણાવ્યું કે તેની અભિનય સફરની શરૂઆત બિલકુલ અણધારી રીતે થઈ હતી. તેણે કહ્યું, “હું સ્કૂલમાં શાસ્ત્રીય નૃત્ય શીખતી હતી અને માત્ર આનંદ માટે એન્યુઅલ ફંક્શનમાં ભાગ લેતી હતી. ત્યારે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી…
બાળકો જ્યારે કુદરતથી નજીક સમય વિતાવે છે, પ્રકૃતિનું અવલોકન કરે છે અને દરેક જીવ સૃષ્ટિ સાથેનાં સંબંધને સમજે છે : દિયા મિર્ઝા Mumbai, તા.૧૪ દિયા મિર્ઝા હંમેશા પર્યાવરણ અને સસ્ટેનિબિલિટી વિશે કામ કરતી રહી છે અને તેની જાગૃતિ વિશે વાત કરતી રહી છે. તાજેતરમાં તેણે એક કાર્યક્રમમાં પોતાનાં જીવનનાં અનુભવો, ડર, સસ્ટેનેબિલિટી અને સહાનુભૂતિ અંગે વાત કરી હતી. અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડાયેલી દિયાએ જણાવ્યું કે તેનાં માટે પ્રસિદ્ધિ કરતાં જીવનનો હેતુ વધુ મહત્વનો રહ્યો છે.દિયાએ જણાવ્યું કે જ્યારે તે માત્ર નવ વર્ષની હતી ત્યારે તેનાં પિતાનું અવસાન થયું હતું. આ ઘટનાએ તેને જીવનથી ડરાવી નહીં, પરંતુ જીવન મર્યાદિત છે…
સલમાન હાલમાં સમાન વામશી પૈડીપલ્લીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે નયનતારા લીડ રોલમાં છે Mumbai, તા.૧૪ સલમાન ખાનની ગલવાન વેલી પરની ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. જો બધું યોગ્ય ગતિએ ચાલ્યું હોત તો સલમાન ખાનની ‘માતૃભૂમિ’ ત્યાર સુધીમાં રિલીઝ થઈ ચુકી હોત. આ ફિલ્મની જાહેરાત તો ‘બેટલ ઓફ ગલવાન’ તરીકે થઈ હતી. જે ૨૦૨૦માં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા ઘર્ષણ પર આધારીત હતી. પરંતુ ત્યાર બાદ બંને દેશોના સંબંધોમાં સુધારો થયો અને થોડાં વખત પહેલાં સુરક્ષા મંત્રાલયે ફિલ્મના વિષય અને તેમાં ચીનના ઉલ્લેખ બાબતે સંકોચ વ્યક્ત કર્યો હતો અને તેના કારણે ફિલ્મ મોડી પડી હોવાના અહેવાલો હતા.…
સેમીને વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિયતા ‘જુરાસિક પાર્ક’ (૧૯૯૩)માં ડૉ. એલન ગ્રાન્ટના પાત્રથી મળી હતી Mumbai, તા.૧૪ મૂળ ન્યુઝીલેન્ડના અને ખાસ કરીને જુરાસિક પાર્ક હોલિવૂડ ફિલ્મ્સના જાણીતા કલાકાર સેમ નીલનું સોમવારે ૭૮ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના પરિવાર દ્વારા ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી આ અંગે માહિતી આપવામાં આવી હતી. પરિવારના નિવેદનમાં જણાવાયું હતું, “અત્યંત દુઃખ સાથે સેમ નીલના પરિવારજનો આ માહિતી શેર કરે છે કે સોમવાર, ૧૩ જુલાઈએ, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં તેમનું અવસાન થયું છે. અંતિમ ક્ષણોમાં સેમ પોતાના પરિવારજનોની વચ્ચે હતા અને તેમણે સમગ્ર જીવનની જેમ જ ગૌરવ અને શાંતિ સાથે અંતિમ શ્વાસ લીધા હતા.”નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું, “આ ઘટના…
અંજલીને ‘ધમાલ ૪’માં બૉડી શેમિંગ આધારિત કેટલાક જોક્સને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી Mumbai, તા.૧૪ અંજલી આનંદ હાલમાં ‘ધમાલ ૪’માં જોવા મળી રહી છે, તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્લસ-સાઇઝ કલાકારો સાથે થતા ભેદભાવ અને બૉડી શેમિંગ અંગે ખુલીને વાત છે. એક વિશેષ ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે કેવી રીતે તેની ઊંચાઈ અને ભારે શરીરનાં કારણે તેને ઘણીવાર માત્ર કોમિક પાત્રો જ ઓફર કરવામાં આવે છે. ટેલિવિઝન બાદ અંજલીની પ્રથમ ફિલ્મ અક્ષય કુમારની ‘બેલ બોટમ’ હતી. તે ફિલ્મમાં પોતાનાં પાત્ર વિશે વાત કરતાં તેણે કહ્યું, “હું ‘બેલ બોટમ’માં માત્ર એટલાં માટે હતી કે એક આતંકવાદી મારા પર પડી જાય અને પકડાઈ…
વિશેષ અહેવાલ:- ભાવિકા લીંબાસીયા માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર: ડિગ્રી કરતાં સ્કિલને પ્રાધાન્ય: ‘Skills for a Shared Future’ ના મંત્ર સાથે ગુજરાતના યુવાનો બનશે વૈશ્વિક સ્તરે સક્ષમ બદલાતા ટેક્નોલોજિકલ યુગમાં કૌશલ્ય વર્ધનના સંકલ્પ થકી કૌશલ્યવાન યુવા શક્તિ દ્વારા સાકાર થશે ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ નું સ્વપ્ન શાળા સ્તરેથી વ્યાવસાયિક શિક્ષણ અને હાઇ-ટેક ITI નું પીઠબળ: ‘MY Bharat’ અને ‘મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના’ અને ‘SSIP’ દ્વારા યુવાનો બની રહ્યા છે આત્મનિર્ભર AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ગ્રીન સેક્ટરમાં રોજગારીની નવી ક્ષિતિજો: બદલાતા જોબ માર્કેટ માટે સજ્જ થતું ગુજરાતનું યુવાધન આજના ઝડપથી બદલાતા ડિજિટલ અને ટેક્નોલોજિકલ યુગમાં કોઈપણ દેશની સાચી મૂડી અને શક્તિ તેનું યુવાધન છે.…
