- Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો
- આજનું રાશિફળ
- આજ નું પંચાંગ
- Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત
- Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા
- Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
- Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો
- ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!
Author: Vikram Raval
Mumbai,તા.13 ગઈકાલે અમદાવાદમાં એર ઈન્ડીયાની ફલાઈટની ક્રેશની ઘટના બાદ આજે બીજા દિવસે મુંબઈથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફલાઈટ લંડન પહોંચ્યા વિના પાછી ફરતા અફડાતફડી મચી ગઈ હતી. પહેલા તો એવું કારણ બહાર આવેલુ કે ટેકનિકલ ખામીના કારણે ફલાઈટ પાછી આવી પણ બાદમાં જાહેર થયું કે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતા મિડલ ઈસ્ટે તેનું એર સ્પેસ બંધ કરી દેતા ફલાઈટ પાછી આવી હતી. મિડલ ઈસ્ટે એર સ્પેસ બંધ કરતા એર ઈન્ડિયાએ તેની અન્ય અનેક ફલાઈટ પાછી બોલાવી લીધી હતી કે ડાયવર્ટ કરી હતી. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે અમદાવાદમાં એર ઈન્ડિયાની લંડન જતી ફલાઈટ દુર્ઘટનાગ્રસ્ત બન્યાના આજે…
Ahmedabad,તા.13 ગઈકાલે અમદાવાદની વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજયના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી આજે સવારે 7.30 કલાકે અમદાવાદ આવી પહોંચતા જ અત્યંત ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. વાસ્તવમાં વિજયભાઈ રૂપાણીને આજે લંડનમાં અંજલીબેન તથા પરિવારના સભ્ય લોકોને મળવાનું હતું અને તે માટે ગઈકાલે બપોરે અમદાવાદ-લંડન ફલાઈટમાં રવાના થયા હતા પણ આ ફલાઈટ મીનીટોમાંજ દુર્ઘટનાગ્રસ્ત થતા શ્રી રૂપાણી પણ તેમાં મૃત્યુ પામ્યા હતા. લંડનમાં આ ખબર મળતા જ તુર્તજ અંજલીબેન તથા લંડનમાં તેમની સાથે રહેલા વિજયભાઈના પરિવાર- સ્નેહી જેવા સાથી નીતીનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી અને તેમનો પરિવાર તુર્તજ ભારત આવવા રવાના થયો હતો. લંડનથી દુબઈ અને ત્યાંથી રાત્રીના તેઓ…
Ahmedabad,તા.13 વડાપ્રધાન મોદીએ આજે સિવિલ હોસ્પિટલમાં વિમાન દુર્ઘટનામાં ઘાયલ લોકોની મદદ કરી હતી. આ દુર્ઘટનામાં એકમાત્ર જીવતો બચી ગયેલ યાત્રી રમેશ વિશ્વાસકુમાર સાથે પણ મોદીએ મુલાકાત કરી હતી. વિશ્વાસે વડાપ્રધાન મોદીને જણાવ્યું હતું કે, હું વિમાનમાંથી કૂદયો નહોતો, બલકે સીટ સહિત બહાર આવી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, પ્લેન દુર્ઘટનાના કેટલાક કલાકો બાદ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં જોવા મળ્યું કે, લોહીથી લથપથ વિશ્વાસકુમાર એમ્બ્યુલન્સ તરફ જઈ રહ્યો છે. 40 વર્ષીય વિશ્વાસકુમાર રમેશ બ્રિટીશ નાગરિક છે, જે ભારત પોતાના પરિવારને મળવા આવ્યો હતો. તે પોતાના ભાઈ અજયકુમાર (ઉ.45) સાથે યુકે પરત ફરી રહ્યો હતો. વિશ્વાસ સીટ નં.11 એ પર…
Ahmedabad,તા.13 ગઈકાલે સર્જાયેલી વિમાની દુર્ઘટનાના પગલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને તેઓએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને તેઓએ કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ તેનો ચિતાર મેળવ્યો હતો. વડાપ્રધાને ગઈકાલે જ બપોરે આ ઘટનાના પગલે નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી નાયડુ ને અમદાવાદ પહોંચવા જણાવ્યુ હતું અને બાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ પણ અમદાવાદ પહોંચ્યા હતા. શ્રી મોદીએ દિવંગતોના પરિવાર પ્રત્યે પણ સંવેદનાનો સંદેશ આપ્યો હતો. આજે સવારે વડાપ્રધાન અમદાવાદ વિમાની મથકે પહોંચ્યા હતા અને સીધા દુર્ઘટના સ્થળ…
Ahmedabad,તા.13 હાલમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી રહી છે. પેટા ચૂંટણીના સ્ટાર પ્રચારક તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ હતું. તેઓ વિસાવદર બેઠક પર પ્રચાર માટે પણ આવવાના હતા પરંતુ તેઓને વિદેશ જવાનું થતા તેમનો ચૂંટણી કાર્યક્રમ રદ કર્યો હતો. જો તેઓ વિસાવદર પ્રચારમાં ગયા હોત તો કદાચ આજે તે હયાત હોત! ગુજરાતમાં હાલ કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો હતો. આ પ્રચારમાં પ્રદેશ ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં અનેક નેતાઓના નામ હતા તેની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ સ્ટાર પ્રચારકમાં નામ હતું. વિજય રૂપાણી ચૂંટણી પ્રચાર માટે વિસાવદર જવાનાના…
Ahmedabad,તા.13 ગુજરાત માટે ગુરૂવાર (12 જૂન) સૌથી કરૂણ દિવસ હતો. અમદાવાદથી લંડન જતું વિમાન ક્રેશ થતા 265થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે તારીખે તેમનું મૃત્યુ નિપજ્યું તે તારીખ હતી 12/06/2025, જે ટૂંકમાં 12/06 થાય. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનો પ્રિય નંબર હતો આ 1206. તેમની કાર, ટુવ્હીલર વાહન દરેકના નંબર તેમણે 1206 જ રાખ્યા હતા. યોગાનુયોગ તેમનું પ્લેન ક્રેશમાં નિધન પણ 12-06 તારીખે જ થયું હતું. જોકે, જે વિમાન ક્રેશ થયું તેમાં તેમનો પેસેન્જર નંબર પણ 12 હતો. કહેવામાં આવે છે કે, 1206 રૂપાણીનો લકી નંબર હતો.રાજકોટમાં નીતિન ભારદ્વાજ…
Ahmedabad,તા.13 અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી 242 મુસાફરોને લઈને લંડન જવા ટેક ઑફ થયેલું બોઇંગ વિમાનના એકાએક મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થવાની દુર્ઘટનામાં મોટાભાગના પેસેન્જરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના લંડન જવા રવાના થયેલા 18 જેટલા લોકો પણ ભોગ બન્યા છે. મૃતકોમાં વિસનગર, કડી, ચંદુમાણા, ઉંઝાના ઐઠોર, ધાનેરા, પાલનપુર, મોડાસા, ખંભીસર, બાયડ, દાંતા વિસ્તારના મુસાફરોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ઍરપોર્ટ ઉપર લંડન જવા માટે સબંધીઓને મૂકવા માટે આવેલા મોટાભાગના સ્વજનો પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન જ પ્લેન ક્રેશની તેમને જાણ થઈ હતી.અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાએ ગુજરાત સહિત દેશભરના લોકોને…
Ahmedabad,તા.13 એર ઈન્ડિયાની અમદાવાદ-લંડન જતી AI171 ફ્લાઈટ બોઈગ 787-8 ડિપલાઈનર સૌથી સુરક્ષિત પેસેન્જર પ્લેન ગણાય છે. 2011માં અમેરિકાના શિકાગો સ્થિત બોઈગ કંપની પહેલીવાર ઉડાન માટે લેવામાં આવેલા આ એરક્રાફ્ટની એડવાન્સ ટેક્નોલોજી, આધુનિક ડિઝાઈન અને સ્ટ્રોંગ સેફ્ટી રેકોર્ડ બહુ ચર્ચિત છે. આ ઘટના વિશ્વમાં છઠ્ઠી ઘટના છે. જ્યારે બોઈંગ 787 એરક્રાફ્ટ ક્રેશ થયું હોય. વધુ સુરક્ષિત ગણાતા બોઈંગ 787માં અમદાવાદમાં થયેલા વિમાન ક્રેશે એની સારી સુરક્ષાની માન્યતા તોડી છે. જાણકારોના મતે 787 બોઈંગની સુરક્ષા સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણવામાં આવે છે. ક્યા સ્તરે અને ક્યા ચૂક થઈ છે તે તપાસનો વિષય છે. બોઈંગ એરક્રાફ્ટ 787 અત્યાર સુધીના જેટલાં વિમાન અકસ્માતો થયા છે…
Ahmedabad,તા.13 અમદાવાદમાં લંડન માટે ટેકઓફ કરનાર પ્લેન ગણતરીની મિનિટોમા ક્રેશ થતા સમગ્ર દેશ સ્તબ્ધ બની ગયો છે. આ દુર્ઘટનામાં વિસનગર તળ કડવા પાટીદાર સમાજના બે પુરુષ અને ત્રણ મહિલાનુ મૃત્યુ થતા સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. એરપોર્ટ ઉપર વિદાય આપી પરિવારના સભ્યો અને મિત્રો પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ પ્લેન ક્રેશ થયાની જાણ થઈ હતી. દિનેશકુમાર કાન્તીલાલ પટેલે આખી જીંદગી ખેતી કરી હતી. તેમનો પુત્ર લંડન હોવાથી માતા પિતાને ફરવા માટે બોલાવ્યા હતા. પ્રથમ વખત વિદેશયાત્રાએ જતા હોવાથી મિત્રોએ દિનેશકુમાર પટેલને પીંડારીયા ખેતરમાં પાર્ટી પણ આપી હતી. જેમાં હિન્દી ફિલ્મનું ‘તું કલ ચલા જાયેગા તો મે ક્યા કરૂંગા’…
Ahmedabad,તા.13 એર ઇન્ડિયાનું આ જ 171 બોઇંગ પ્લેન એક મહિના પહેલાં જ અમદાવાદ એરપોર્ટ પરથી ટેક્નિકલ ખામીના કારણે ઉડાન ભરી શકયુ ન હતું અને છેલ્લી ઘડીયે આ લંડન જતી આ ફલાઇટ કેન્સલ કરવી પડી હતી. એ વખતે પણ પ્લેનના પેસેન્જરોએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો કે, એર ઇન્ડિયા વર્ષો જૂના એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહ્યુ છે અને તેના કારણે અવારનવાર ટેક્નિકલ ખામી સર્જાય છે અને ફલાઇટો કેન્સલ કરવી પડે છે, જેના કારણે મુસાફરોનો સમય પણ વેડફાય છે. પેસેન્જરોના આ આક્રોશને જો એરપોર્ટ ઓથોરીટી અને સંબંધિત સત્તાવાળાઓએ ગંભીરતાથી લઇ ઉઠેલી આ ફરિયાદોને લઇ પૂરતી તપાસ કરાઇ હોત તો આ દુર્ઘટના ટાળી શકાઇ હોત…