- Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો
- આજનું રાશિફળ
- આજ નું પંચાંગ
- Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત
- Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા
- Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
- Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો
- ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!
Author: Vikram Raval
Ahmedabad,તા.13 ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. વિમાન દુર્ઘટનામાં 200થી વધુ મૃતદેહ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બ્રિટિશના એક મુસાફરનું મોત નીપજ્યું હતું. આ મુસાફરે દુર્ઘટના પહેલા સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો અને તેની ચર્ચા થઈ રહી છે. વીડિયોમાં પાછળ વિજય રૂપાણી પણ જોવા મળ્યા હતા.અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લેનમાં 53 બ્રિટિશના નાગરિકો સવાર હોવાનું સામે આવ્યું છે. જેમાંથી જેમી મીક…
Saurashtra-Kutch,તા.13 અમદાવાદ વિમાન દુર્ઘટનાએ સૌરાષ્ટ્ર-કચ્છના સાત પરિવારોના માળા વિખેરી નાંખ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 28 મુસાફરો અમદાવાદથી લંડન જતાં વિમાનમાં હતાં અને તેમનો પતો લાગ્યો ન હોવાથી મૃત્યુ નીપજ્યાં હોવાની આશંકા છે. સૌથી વધુ 15 મુસાફરો દિવના હતાં તેમાંથી એક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. જૂનાગઢના નિવૃત્ત અધિકારી અને પરિવારના ત્રણ લોકો, પોરબંદરમાં પતિની વિધી કરીને પરત ફરતાં મહિલા સહિત બ્રહ્મ પરિવારના ત્રણ, વડિયાના એક, જામનગરમાં પિતાની ખબર પૂછી પરત ફરતાં પતિ-પત્ની, કચ્છમાં ધાર્મિક પ્રસંગ ઉજવી પરત જતાં ત્રણ તેમજ વેરાવળમાં પુત્રીના સીમંત પ્રસંગ પછી પરત જતાં બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં હતાં. સૌરાષ્ટ્ર-કચ્છના મુસાફરોના મોતથી માહોલ ગમગીન દીવ વિસ્તારના…
Surendranagar,તા.13 સુરેન્દ્રનગર જીલ્લામાંથી મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ વઢવાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદારની ટીમ દ્વારા અલગ-અલગ હાઈવે તેમજ ભોગાવો નદીમાં ચેકીંગ હાથધધર્યં હતું જે દરમ્યાન છેલ્લા ૪૮ કલાકમાં અંદાજે ૪ કરોડથી વધુની ગેરકાયદેસર ખનીજચોરી અને વાહનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે મળતી માહિતી મુુજબ વઢવાણ પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા વઢવાણ તેમજ લખતર હાઈવે પર ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું વહન કરતા વાહનો અંગે ચેકીંગ હાથરવામાં આવ્યું હતું જેમાં ત્રણ ડમ્પર ઓવરલોડ બ્લેકટ્રેપ ભરેલ ઝડપી પાડયા હતા અને કુલ રૃા.૧.૨૫ કરોડનો મુદ્દામાલ વઢવાણ મામલતદાર કચેરી ખાતે…
Surendranagar,તા.13 અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણા ગામના દંપતીએ જીવ ગુમાવ્યા છે. વર્ષોથી લંડન રહેતા દંપતી સીમંતવિધિ કરાવી પરત જતા હતા ત્યારે મૃત્યુ પામ્યા હતા. મૂળ ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામના અને વર્ષોથી અમદાવાદના ઘાટલોડિયા રહેતા પતિ વૈભવ રસિકભાઈ પટેલ અને પત્ની જીનલ વૈભવભાઈ પટેલ દંપતી વર્ષથી લંડન રહેતા હતા. પરંતુ વૈભવન પટેલના પત્ની જીનલ પટેલ ગર્ભવતિ હોવાથી તેમની સીમંતવિધિ કરવા અમદાવાદ આવ્યા હતા. તા. ૫-૬-૨૦૨૫ને ગુરૃવારના રોજ સીમંતવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ ગુરૃવારે અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા ત્યારે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.
Surendranagar,તા.13 સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા ગત બુધવારે મોડીરાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં એસ.ટી. બસમાં સવાર ૧૫થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા જે બનાવ અંગે પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ-કચ્છ હાઈવે પર કચ્છના માતાના મઢથી અમદાવાદ રૃટની એસ.ટી.બસ મુસાફરોને લઈ જઈ રહી હતી તે દરમ્યાન હાઈવે પર ધ્રાંગધ્રા તાલુકાના ધૃ્રમઠ ચોકડી પાસે એસ.ટી.બસ ટ્રક પાછળ ઘુસી જતા ઘડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર અંદાજે ૧૫થી વધુ મુસાફરો (૧) ક્રિપાલસિંહ ગુમાનસિંહ જાડેજા રહે.…
Surendranagar, વઢવાણના બી-ડિવીઝન પોલીસ મથકની હદમાં જાહેરમાં ભુંડ પકડવા જેવી નજીવી બાબતે એક જ જ્ઞાાતિના બે જુથો વચ્ચે હથિયારો વડે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બંને જુથો દ્વારા સામ સામે ૬ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ બી-ડિવીઝન પોલીસ મથકે ત્રણ શખ્સો (૧) ક્રિપાલસીંગ દારાસીંગ પટવા (૨) કલ્લુસીંગ ઉર્ફે રાજકમલસીંગ દારાસીંગ પટવા અને (૩) કરણસીંગ હરનમસીંગ પટવા તમામ રહે.વેલનાથ સોસાયટી દાળમીલ પાછળવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. જ્યારે સામાપક્ષે ક્રિપાલસીંગ દારાસીંગ પટવાએ પણ ત્રણ શખ્સો (૧) કરનેલસીંગ રાજુસીંગ ટાંક (૨) તીરથસીંગ રાજુસીંગ ટાંક અને (૩) માનસીંગ રાજુસીંગ ટાંક ત્રણેય રહે.ઠાકરનગર વઢવાણવાળા સામે ફરિયાદ નોંધાવી…
Surendranagar,તા.13 સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૦૬ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. જાન્યુઆરી ૨૦૨૦ થી એપ્રિલ ૨૦૨૫ સુધીમાં જિલામાં ૧૦૯ જેટલી રેડ કરીને ૦૬ બાળ શ્રમિકો અને ૩૭ તરુણ શ્રમિકો એમ કુલ ૪૩ બાળ-તરૃણ શ્રમિકોને મુક્ત કરાવ્યા છે. જે અંતર્ગત મજૂરીએ રાખનાર આવા એકમો પાસેથી કુલ રૃ. ૧ લાખ કરતાં વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. જિલ્લમાં કાયદા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં દોષિતો સામે કુલ ૧૭ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ ૧૨ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. તેમજ શ્રમ આયુક્ત કચેરી દ્વારા કોઈ બાળક મજુરી કરતું દેખાય અથવા જણાઈ આવે તો ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર અથવા નજીકના પોલીસ…
Rajkot,તા.13 અમદાવાદથી લંડન જતા રાજકોટના એક મહિલા અને એક એડવોકેટ પણ એ જ વિમાનમાં મુસાફરી કરતા હતા જે આજે અમદાવાદમાં ટેકઓફ બાદ થોડી સેકન્ડોમાં તુટી પડયું છે. રાજકોટ મહાનગર વિહિપના અધ્યક્ષ વનરાજ ગેરૈયાએ જણાવ્યું કે તેમના માસી મુક્તાબેન ડાંગર દર છ છ માસ લંડન તેમના પુત્ર મયુર ડાંગરને ત્યાં જાય છે. તેમના પુત્ર અગાઉ ભાડે રહેતા તેમણે ઘરનું મકાન લીધું હોય તેમજ સગાઈનો પ્રસંગ પણ હોય તેઓ અમદાવાદથી આજે બપોરે ઉપડેલા આ વિમાનમાં નીકળ્યા હતા . આજે હું અને મુક્તાબેનની દિકરી વગેરે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યાં ઘણા મૃતદેહો બળીને ખાખ થઈ ગયા હોય કોઈ ઓળખાયા નથી. દિકરીએ ડી.એન.એ.સેમ્પલ આપે છે…
Gondal,તા.13 ગોંડલ પંથકનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં જેની પર હનિટ્રેપનો આરોપ મૂકવામાં આવ્યો છે તે સગીરાએ ત્રણ દિવસ પહેલા પૂર્વ ધારાસભ્ય અને પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો સાથે રાજકોટ મેજિસ્ટ્રેટ સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યા બાદ હવે ગોંડલ કોર્ટમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ૨૮ લોકો વિરૂધ્ધ ફરિયાદ કરી છે. રીબડાનાં ચકચારી અમીત ખુંટ આપઘાત પ્રકરણની આરોપી સગીરાએ રાજકોટ કોર્ટમાં ગત તા.૯મીએ ફરિયાદ કર્યા બાદ આજે ગોંડલની જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં પૂર્વ જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજા, રાજકોટ શહેર ઝોન-૨ના ડીસીપી જગદીશ બાંગરવા, ગોંડલનાં ડીવાયએસપી કે. જી. ઝાલા, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.ડી. પરમાર ઉપરાંત જયરાજસિંહનાં માણસો…
Rajkot,તા.13 સોની બજારમાં મહિલા લેક્ચરરના મકાનમાં થયેલ ચોરીનો ભેદ એ.ડિવિઝન પોલીસે ઉકેલી નાંખી કુબલીયાપરાના ત્રણ સગીરને પકડી પાડી મુદામાલ રિકવર કરવાં તજવીજ આદરી છે. એકલા રહેતાં વૃધ્ધા કોચિંગ ક્લાસમાંથી ઘરે પરત આવતાં ૩.૭૭ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી થયાનું સામે આવ્યું હતું. બનાવ અંગે સોની બજારમાં ગેબી પીરના ઓટા પાસે જૂની ગધીવાડમાં રહેતાં મલેકાબેન સૈફુદીનભાઈ ગાંધી (ઉ.વ.૬૧) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ હાલ એકલાં રહે છે અને પાર્ટ ટાઈમ આસી.લેકચરર તરીકે કલાસીસમાં નોકરી કરે છે. કબાટના ખાનામાં રાખેલ સોનાની બંગડી નંગ-૦૨ રૂ. ૧.૪૦ લાખ, સોનાની વીંટી નંગ-૨ રૂ.૬૦ હજાર, સોનાની કાનની કાવી નંગ-૨ રૂ. ૭૦ હજાર, સોનાની કાનની બુટી…