- સમસ્યાઓનું નિરાકરણ યુદ્ધના મેદાનમાંથી આવી શકતું નથી. ,PM Narendra Modi
- Akshay Kumar’s ‘Kesari 2’ ના નિર્માતાઓ સામે એફઆઇઆર નોંધાઈ
- ગર્ભવતી Kiara માટે યશે મોટું પગલું ભર્યું, ટોક્સિકના શૂટિંગમાં મોટા ફેરફારો કર્યા
- હૈદરાબાદમાં કાશી, દિગ્દર્શકે Mahesh Babuની ફિલ્મ માટે નવું બનારસ બનાવ્યું
- અભિષેક બચ્ચનની વિચિત્ર પોસ્ટ, મેં મારા પ્રિયજનોને બધું આપ્યું
- ગાવસ્કર પછી હવે કપિલ દેવે Pataudi Trophy નું નામ બદલવા પર સવાલ ઉઠાવ્યા
- Tilak Verma ઇંગ્લેન્ડમાં ચમકવા માટે તૈયાર, ચાર મેચ રમવા માટે હેમ્પશાયરની ટીમમાં જોડાયો
- મે સ્વિંગનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે,Rishabh Pant
Author: Vikram Raval
કોમોડિટી વાયદાઓમાં રૂ.28677 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.115782 કરોડનું ટર્નઓવર સોનાના વાયદામાં રૂ.1626 અને ચાંદીના વાયદામાં રૂ.488નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.1 ઢીલોઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24353 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22805 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.144469.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28677.27 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.115782.35 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22805 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1491.35 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24353.64 કરોડનાં કામકાજ થયાં હતાં.…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૬.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૫૧૫ સામે ૮૨૫૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૫૨૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૬૯૧ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૧૧ સામે ૨૫૨૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૯૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
જાણકારી અનુસાર જીવિત બચેલા મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે Ahmedabadતા.૧૨ અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ થયાની બે મિનિટમાં જ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ છે. આ વિમાનમાં સવાર તમામ ૨૪૨ મુસાફરો પૈકી એક જ મુસાફર જીવિત હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પણ માહિતી આપી હતી કે, પોલીસને વિમાનમાં ૧૧છ નંબરની સીટ પર એક જીવિત મુસાફર મળ્યો છે. આ વિમાનમાં કુલ ૨૪૨ લોકોમાં ૧૬૯ ભારતીય મુસાફરો, ૫૩ બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને ૧૨ ક્રૂ મેમ્બર સવાર હતા.…
તે ૧૨ જૂન ૨૦૨૫ સુધી જાહેર કરાયેલી ટિકિટો માટે લાગુ Ahmedabad, તા.૧૨ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એપોર્ટના અધિકારીઓએ ગુરુવારે કહ્યું કે, એર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું વિમાન એઆઈ ૧૭૧ અમદાવાદ એરપોર્ટ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયા પછી તમામ ફ્લાઇટ્સનું ઓપરેશન અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ટાટા ગ્રુપના માલિકી હક ધરાવતી એરલાઇન એર ઇન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ અમદાવાદથી કે અમદાવાદ માટે ૧૨-૧૪ જૂન ૨૦૨૫ વચ્ચે બુક કરેલા યાત્રિકો માટે એક વારની રિશેડ્યુલિંગ ફી અને ભાડા અંદરની માફીની જાહેરાત કરી છે. તે ૧૨ જૂન ૨૦૨૫ સુધી જાહેર કરાયેલી ટિકિટો માટે લાગુ છે. આ દરમિયાન કરવામાં આવેલા બુકિંગને જે…
દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ ૪ બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી હતી. જેમાં તબીબો અને તેમના પરિવારજનો રહેતા હતા Ahmedabad , તા.૧૨ અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે ૧.૩૮ વાગે ટેક ઓફ થયું હતું અને ૧.૪૦ વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. દુર્ઘટના સર્જાતા વિમાનનો કાટમાળ ૩૦૦થી ૪૦૦ ફૂટ દૂર સુધી ઉછળીને પડ્યો હતો. એટલે હોસ્ટેલ બિલ્ડિંગથી એફએસએલની બિલ્ડિંગ સુધી વિમાનનો કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ ૪ બિલ્ડિંગ આગની…
Jamnagar તા.૧૨ રાજકોટ એ.સી.બી.ની ટુકડીએ બુધવારે રાત્રે જામનગરમાં ધામા નાખ્યા હતા. સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચનું છટકું ગોઠવી ઉદ્યોગ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ અને રાઈટર વતી રૂપિયા એક લાખની લાંચ લેતા એસ.ઓ.જી.ના એક પોલીસ કર્મચારીને રંગે હાથ ઝડપી લીધો છે. જયારે પીએસઆઇ અને રાઈટર હાલ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં એક નાગરિકે ઉદ્યોગ નગર પોલીસ ચોકીમાં ચિટિંગની અરજી થઈ હતી, આ મામલે પોલીસ ચોકીના પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને તેના રાઈટર ધમભાઈ બટુકભાઈ મોરીએ તેમને પોલીસ ચોકીમાં બોલાવ્યા બાદ આગળની તપાસમાં હેરાન પરેશાન નહીં કરવા માટે રૂપિયા ૧ લાખની લાંચ ની માંગણી કરી હતી. આ…
હાલ હેડ કોન્સ્ટેબલ હાલ હરિદ્વાર પોલીસના કબજામાં છે અને તેને વડોદરા લાવ્યા બાદ સમગ્ર મામલે તપાસ કરાશે Vadodara , તા.૧૨ વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અલ્પેશ ખોડાજી સોમવારે (નવમી જૂન) ઘરે એક ચિઠ્ઠી લખીને નીકળી ગયો હતો. આ મામલે પાણીગેટ પોલીસે ગુમ હેડ કોન્સ્ટેબલની શોધખોળ શરૂ કરતા તે હરિદ્વારથી મળી આવ્યો છે. હાલ હેડ કોન્સ્ટેબલ હાલ હરિદ્વાર પોલીસના કબજામાં છે અને તેને વડોદરા લાવ્યા બાદ સમગ્ર મામલે તપાસ કરાશે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી નવા પોલીસ લાઈનમાં રહેતા અલ્પેશ ખોડાજી (મૂળ રહેવાસી બનાસકાંઠા, વાવઃ વેજિયા) બાપોદ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તે…
Talala , તા.૧૨ ગુજરાતમાં દારુબંધી હોવા છતા વારંવાર લોકો નશામાં ધૂત જોવા મળે છે. ગીર સોમનાથના તાલાલાના ફાર્મ હાઉસમાં દારુની મહેફિલ ઝડપાઈ છે. સુરવા-હડમતીયા રોડ પર એથીઝ ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા પાડ્યા હતા. દારુની મહેફિલ માણી રહેલા ૨૩ નશાખોર ઝડપાયા છે. દારુની બોટલો સહિત ૪૧.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તમામ આરોપી રાજકોટના ગોંડલના હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારુબંધી હોવા છતા સુરવા-હડમતીયા રોડ પર આવેલા એથીઝ ફાર્મ હાઉસમાં દારુ પાર્ટી ઝડપાઈ છે. પોલીસે દારુની મહેફિલ કરતા ૨૩ નશાખોર ઝડપ્યા છે. દારુની બોટલો સહિત ૪૧.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પરથી ૩૭ કરોડનો…
Ahmedabad તા.૧૨ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦૩ કેસ નોંધાયા હતા. નવા કેસની સાથે રાજ્યમાં હાલ કોરોનાના કુલ એક હજાર ૨૮૧ એક્ટિવ કેસ છે. જેમાંથી ૨૩ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે એક હજાર ૨૫૮ દર્દીઓ ઓપીડી બેઝ સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સાજા થયેલા ૧૪૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે સત્તાવાર રીતે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી.અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં કોરોનાના નવા ૧૬૯ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક ૮૫૯ પર પહોંચ્યો હતો. શહેરમાં અત્યાર સુધી કોરોનાના ૧,૨૬૦ કેસ નોંધાયા હતા. પાલડી, વાસણા, નવરંગપુરા, સાબરમતી સહિતના વિસ્તારોમાં ૨૪૩…
૧૨ કોલ તેના ફિયાન્સ ચિંતનને કર્યા હતા : આ કોલ દરમિયાન તેણે યુવક સાથે ૧૬ મિનિટ વાત કરી હતી Surat, તા.૧૨ શહેરમાં સાતમી જૂનના રોજ ૨૩ વર્ષની મોડલ અંજલિ વરમોરાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસની પોલીસ તપાસમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે મોડેલના મોબાઈલની કોલ ડિટેલ રેકોર્ડની તપાસ શરૂ કરી છે. જેમાં આપઘાત પહેલાં યુવતીએ અઢી કલાકમાં ૨૩ કોલ કર્યાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, યુવતીના આપઘાત પહેલાં અઢી કલાકમાં તેના ફોનમાંથી ૨૩ કોલ કરાયા હતા. જેમાંથી ૧૨ કોલ તેના ફિયાન્સ ચિંતનને…