Author: Vikram Raval

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૧ Morbi તાલુકા પંથકમાં અકસ્માતના ત્રણ બનાવો નોંધાયા છે ત્રણ અકસ્માતના બનાવમાં યુવાન અને પૌઢ સહીત ત્રણ વ્યક્તિના મોત મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અકસ્માતના પ્રથમ બનાવમાં મોરબીના પીપળી શિવ પાર્ક સોસાયટીમાં રહેતા મોહનભાઈ મોતીભાઈ બોસીયાએ ટ્રક જીજે ૩૬ વી ૪૩૬૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ મનસુખભાઈ મોતીભાઈ બાઈક જીજે ૩૬ ડી ૧૬૮૧ લઈને નવા નાગડાવાસ ગામ નજીકથી જતા હતા ત્યારે પાછળથી ટ્રક ચાલકે ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના ભાઈ મનસુખભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી પોતાનું વાહન મૂકી નાસી ગયો હતો બીજા બનાવમાં…

Read More

New Delhi,તા.૧૧ જર્મન સ્ટાર એલેક્ઝાન્ડર ઝ્‌વેરેવે વિમ્બલ્ડન ૨૦૨૬ની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ઇતિહાસ રચ્યો. છેલ્લા ૧૦ વર્ષથી ગ્રાન્ડ સ્લેમ રમી રહેલા ઝ્‌વેરેવે પોતાની કારકિર્દીમાં પહેલી વાર વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે, તે ૧૯૯૫ પછી વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ જર્મન પુરુષ ખેલાડી બન્યો. ૩૧ વર્ષ પછી કોઈ જર્મન ખેલાડી વિમ્બલ્ડનની ફાઇનલમાં રમશે. અગાઉની ફાઇનલ ૧૯૯૫માં જર્મનીના બોરિસ બેકર દ્વારા રમાઈ હતી. ઝ્‌વેરેવે સેમિફાઇનલ મેચમાં બ્રિટનના આર્થર ફેરીને સતત ત્રણ સેટ, ૭-૬, ૬-૨, ૬-૪ થી સરળતાથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. ઝ્‌વેરેવને કાર્લોસ અલ્કારાઝ જેવા અગ્રણી ખેલાડીઓના પ્રારંભિક આઉટ થવાથી ફાયદો થયો. આ વર્ષની શરૂઆતમાં (૨૦૨૬) ફ્રેન્ચ ઓપન જીત્યા પછી,…

Read More

Jamnagar તા.૧૧ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, જામનગર તાજેતરમાં શનિવાર, રવિવાર અને બુધવારની રાત્રિના સમયે શંકર ટેકરી ઉદ્યોગ વિસ્તાર, દરેક- જીઆઇડીસી, અને ચેલા ચંગા રોડ પર આવેલા ઔદ્યોગિક એકમોની તપાસ ખાસ કરીને ઇલેક્ટ્રોપ્લેટીંગના એકમોથી થતા પ્રદૂષણ બાબતની તપાસ કરવા આવેલ જે પૈકી બે એકમો બોર્ડના નિયતધારા ધોરણનું પાલન કરતાં ન હોવાથી તેમની સામે જરૂરી કાર્યવાહી કરવા અંગેનો રિપોર્ટ જીપીસીબી ની વડી કચેરી ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે.છેલ્લા ત્રણ માસ દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૨૧-કારણદર્શક નોટિસ, ૧૦ એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન અને ૧૩ એકમોને બંધ કરવાના હુકમો પાઠવેલ છે. ફિલ્ડ ઇન્સ્પેક્ટર એ કહ્યું કે એક કારખાનેદારે અમારી નજર…

Read More

New Delhi,તા.૧૧ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે ટી ૨૦ શ્રેણી રમાઈ રહી છે. આ ટી ૨૦ શ્રેણી દરમિયાન ભારતના નેપાળ પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય પુરુષ એ ક્રિકેટ ટીમ આ વર્ષના અંતમાં, ડિસેમ્બરમાં નેપાળનો પ્રવાસ કરશે. નેપાળ ક્રિકેટ એસોસિએશનએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી રમાશે.બીસીસીઆઇ અને ક્રિકેટ એસોસિએશન ઓફ નેપાળના અધિકારીઓ વચ્ચે ચર્ચા બાદ એડિનબર્ગમાં આઇસીસી ના વાર્ષિક પરિષદ દરમિયાન શ્રેણીની પુષ્ટિ કરવામાં આવી હતી. નિર્ધારિત સમયપત્રક મુજબ, પ્રથમ ટી ૨૦ મેચ ૯ ડિસેમ્બરે રમાશે, ત્યારબાદ બીજી મેચ ૧૧ ડિસેમ્બરે અને ત્રીજી મેચ ૧૩…

Read More

Junagadh તા.૧૧ જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે ૧૨ વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. સિંહ બાળકને મોંમાં દબાવીને જંગલ તરફ ભાગી ગયો હતો. ભારે શોધખોળ બાદ જંગલમાંથી બાળકના માત્ર કપડાં અને શરીરના અવશેષો જ મળી આવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે વન વિભાગ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે. મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી એક પરિવાર ગિરનારની યાત્રાએ આવ્યો હતો. વહેલી સવારે જ્યારે પરિવાર ગિરનારના પગથિયાં ચડી રહ્યો હતો ત્યારે આ ભયાનક ઘટના ઘટી હતી. બાળકના કુટુંબી કાકા અનિલકુમારસિંહ ચૌહાણના જણાવ્યાનુસાર, ’પરિવાર ગિરનારના મુખ્ય ગેટથી અંદર આશરે ૫૦ જેટલા પગથિયાં ઉપર…

Read More

હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, આઈસીયુ, ઓપીડી, લેબોરેટરી, એક્સ-રે, રિકવરી વોર્ડ, હાઈડ્રોલિક એમ્બ્યુલન્સ, વેટરનરી સ્ટાફ, સીસીટીવી સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ Rajkot તા.૧૧ શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા જીવદયા અને માનવ સેવાના કાર્યોને વેગ આપવા માટે એક ભવ્ય પ્રોજેક્ટ હાથ ધરાયો છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના બાલસર ગામ મુકામે ગૌપ્રેમી દાતા શ્રી રણજીતસિંહ નટવરસિંહ જાડેજા (ગામ-વાગુદડ) તરફથી સેવાના કાર્ય માટે મળેલ ૨ એકર જગ્યામાં દિવ્ય ગૌ તીર્થનું નિર્માણ થશે. સંસ્થાનો મુખ્ય સંકલ્પ ૧૦૦૦થી વધુ ગૌવંશની સારવાર અને સેવા કરવાનો છે. હાલમાં ૨૦૦ જેટલી ગૌમાતાની નિસ્વાર્થ ભાવે સેવા થઈ રહી છે, જેને એક વર્ષમાં વધારીને ૧૦૦૦ સુધી લઈ જવામાં આવશે. આ પ્રોજેક્ટને માત્ર…

Read More

સરકારે આખરે સ્પષ્ટતા કરી છે કે ઈ-૨૦ બળતણ, એટલે કે, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ, વાહનના માઇલેજમાં થોડો ઘટાડો કરી શકે છે, પરંતુ તે ઉર્જા સુરક્ષા, સ્વચ્છ પર્યાવરણ અને ખેડૂતો માટે ફાયદાકારક છે. વધુમાં, તે વિદેશી હૂંડિયામણ બચાવવામાં મદદ કરે છે. જો આ સ્પષ્ટતા પહેલા આવી હોત તો વધુ સારું થાત, કારણ કે ડિજિટલ મીડિયા પર ઘણા સમયથી અપ્રમાણિત અહેવાલો ફરતા થયા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦ ટકા ઇથેનોલ ધરાવતું પેટ્રોલ ઇંધણના માઇલેજને નોંધપાત્ર રીતે ઘટાડે છે અને વાહનોના એન્જિનને નુકસાન પહોંચાડે છે. કેટલાક લોકોએ નકલી વિડિઓઝ પણ શેર કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈ-૨૦ પેટ્રોલને…

Read More

આશિકી ટુ બાદ નિર્માતા ભૂષણ કુમાર, આદિત્ય રોય કપૂર અને મિલાપ ઝવેરીનું ફરી કોલબરેશન Mumbai, તા.૧૧ આદિત્ય રોય કપૂર વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરીમાં દેખાશે. ટી સીરિઝનાં બેનર હેઠળ મિલાપ ઝવેરી આ ફિલ્મ બનાવી રહ્યા હોવાની સત્તાવાર જાહેરાત આજે કરાઈ હતી. બોલિવુડ વર્તુળોમાં છેલ્લા કેટલાય સમયથી ‘આશિકી થ્રી’ બની રહ્યાની ચર્ચાઓ હતી. પરંતુ, નિર્માતા મુકેશ ભટ્ટે ‘આશિકી’ ટાઈટલના હક્કો પોતાની પાસે જ હોવાનો દાવો કર્યા બાદ હવે આ નવી ફિલ્મને ‘આશિકી થ્રી’ને બદલે અલગ નામ આપવામાં આવશે તેમ મનાય છે. તાજેતરમાં ‘એક દિવાને કી દિવાનીયત’ જેવી અણધારી સફળતા મેળવનારી ફિલ્મ આપી ચૂકેલા નિર્દેશક મિલાપ ઝવેરીએ પોતાની આગામી ફિલ્મ હિંસક મ્યુઝિકલ…

Read More

સાંગાણીએ સર્ચ દરમિયાન મુંબઈની એક ઇમારતના ૧૩મા માળેથી પોતાનો મોબાઇલ ફોન ફેંકી દીધો હતો Mumbai, તા.૧૧ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મુંબઈ સ્થિત ફિલ્મ નિર્માતા અને પીઢ અભિનેતા શેખર સુમનના વ્યવસાયિક સહયોગી ધર્મેશ નરેન્દ્ર સાંગાણી અને તેની કંપની કલાની ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડના પરિસરમાં દરોડા પાડ્યા હતા. તપાસમાં કથિત રીતે યુનાઈટેડ સ્ટેટ્‌સ ઓફ અમેરિકા (યુએસએ), કેનેડા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં અનેક અઘોષિત વિદેશી સંપત્તિઓ અને ઓફશોર બેન્ક ખાતાઓ અને અવાસ્તવિક વિદેશી રેમિટન્સનો ખુલાસો થયો છે.શેખર સુમન ફિલ્મ એકેડેમી (એસએસએફએ)ની સહ-સ્થાપના ધર્મેશ સાંગાણી દ્વારા કરવામાં આવી છે અને શેખર સુમન દ્વારા પ્રમોટ કરવામાં આવી છે. જોકે, કલાની ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ એક વૈશ્વિક ટ્રેડિંગ…

Read More

શોમાં એના વિન્ટોર, ઈશા અંબાણી, કરણ જોહર અને ચીની અભિનેત્રી ફાન બિંગબિંગ સહિતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી Mumbai તા.૧૧ ભારતના જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પેરિસ ફેશન વીકમાં ડેબ્યુ કર્યું છે. આ ડેબ્યુ શો દરમિયાન તેણે ‘મા’ નામનું કલેક્શન રજુ કર્યું, જે તેની સ્વર્ગસ્થ માતા સુદર્શન મલ્હોત્રાને સમર્પિત ભાવુક શ્રદ્ધાંજલિ છે. આ શોમાં તેણે પોતાનાં નવા હાઈ જ્વેલરી કલેક્શનને પણ લોંચ કર્યું. મનીષ મલ્હોત્રાએ આ કલેક્શન વિશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેની માતાના નિધન બાદ તેમની યાદો જ આ કલેક્શનની પ્રેરણા બની. તેણે કહ્યું કે તેમની માતાએ બાળપણથી જ સિનેમા અને કાપડ પ્રત્યેના તેના રસને પ્રોત્સાહન આપ્યું હતું અને…

Read More