- સમસ્યાઓનું નિરાકરણ યુદ્ધના મેદાનમાંથી આવી શકતું નથી. ,PM Narendra Modi
- Akshay Kumar’s ‘Kesari 2’ ના નિર્માતાઓ સામે એફઆઇઆર નોંધાઈ
- ગર્ભવતી Kiara માટે યશે મોટું પગલું ભર્યું, ટોક્સિકના શૂટિંગમાં મોટા ફેરફારો કર્યા
- હૈદરાબાદમાં કાશી, દિગ્દર્શકે Mahesh Babuની ફિલ્મ માટે નવું બનારસ બનાવ્યું
- અભિષેક બચ્ચનની વિચિત્ર પોસ્ટ, મેં મારા પ્રિયજનોને બધું આપ્યું
- ગાવસ્કર પછી હવે કપિલ દેવે Pataudi Trophy નું નામ બદલવા પર સવાલ ઉઠાવ્યા
- Tilak Verma ઇંગ્લેન્ડમાં ચમકવા માટે તૈયાર, ચાર મેચ રમવા માટે હેમ્પશાયરની ટીમમાં જોડાયો
- મે સ્વિંગનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે,Rishabh Pant
Author: Vikram Raval
Surat, તા.૧૨ સુરતના પાલથી યુવકની માતાનું કારમાં અપહરણ કરી રાંદેરની અંબિકા નગરમાં લઈ જઈ ક્રુરતા આચરાઈ હતી. પાલ પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. રાંદેરના યુવાને રાજસ્થાની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને જણાં ભાગી ગયા હતા. એક વર્ષ બાદ પોતાના ઘરે યુગલ પરત ફર્યું હતું. પરંતુ યુવતીના પરિવારજનો આ વાત ભૂલ્યા ન હતા. જેનો બદલો લેવા માટે અધીરા બન્યા હતા. યુવક મળતો નહીં હોય તેની માતાને ટાર્ગેટ કરાઈ હતી. માતાનું અપહરણ કરી તેને લાકડાના ડંડા પ્લાસ્ટિકની પાઇપ અને ઈંટ વડે સોસાયટીમાં જાહેરમાં ઉભી રાખી તેને માર મારવામાં આવી હતી. આ ક્રુરતામાં ઘરની મહિલાઓ પણ સામેલ હતી.…
વડોદરાના ગોત્રી હોસ્પિટલમાં ૬૫ વર્ષીય વૃદ્ધના અન્નનળીમાંથી સફળતાપૂર્વક કેરીનો ગોટલો દૂર કરાયો Vadodara, તા.૧૨ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી મોટી ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ દર્દી છોટાઉદેપુરના ૬૫ વર્ષીય વૃદ્ધ માટે કેરીનો સ્વાદ ભારે પડ્યો જ્યારે અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો તેમની અન્નનળીમાં ફસાઈ ગયો. આ ઘટના બાદ દર્દી કંઈપણ ગળી શકવામાં અસમર્થ બન્યા હતા, જેના કારણે તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડી. દર્દીને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ બજાવતા ડો. હિરેન સોની એ આ પડકારજનક કેસ હાથ ધર્યો. ડો. હિરેન સોનીએ કોઈપણ પ્રકારના ચીરા કે ટાંકા વગર એન્ડોસ્કોપી પદ્ધતિનો ઉપયોગ કરીને અન્નનળીમાં ફસાયેલા કેરીના ગોટલાને સફળતાપૂર્વક બહાર…
૧૫ ઓક્ટોબર સુધી રાજ્યના તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે Gandhinagar, તા.૧૨ ગુજરાતમાં ચોમાસા દરમિયાન આગામી તા. ૧૫ જૂનથી ચાર માસ માટે એટલે કે તારીખ ૧૫ ઓક્ટોબર-૨૦૨૫ સુધી રાજ્યના તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની જોગવાઇ મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર, ચક્રવાત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. વધુમાં આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તનપ્રાણીઓ, સરીસૃપ વિગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોવાથી તેમાં અવરોધ થવાની શકયતાને ધ્યાનમાં લેતાં, વન વિભાગ દ્વારા ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો…
ગેસ્ટ હાઉસના માલિક રજત ચૌહાણ (૩૧) અને મેનેજર મન્સૂર પીર (૩૫)ની ધરપકડ કરવામાં આવી છે Goa , તા.૧૨ દેશમાં સતત દુષ્કર્મના કેસ સામે આવતા રહે છે. આ વચ્ચે હવે ગોવાથી એક મામલો સામે આવ્યો છે, પોલીસે ગોવામાંથી એક ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની ધરપકડ કરી છે. આ ગેસ્ટ હાઉસમાં ત્રણ સગીર છોકરીઓ સાથે બે પુરુષોએ કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું. અધિકારીએ આ મામલે જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલે અત્યાર સુધીમાં ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ૧૧, ૧૩ અને ૧૫ વર્ષની આ છોકરીઓ એક જ બિલ્ડિંગમાં રહેતી હતી. આ છોકરીઓ સાથે ૭ અને ૮ જૂનના રોજ કલંગુટ…
Washington, તા.૧૨ મહિલાઓ માટે કોઈપણ ફિલ્ડમાં કરિયર બનાવવું સરળ નથી. તેમણે ઘણા પડકારોમાંથી પસાર થવું પડે છે. જ્યારે કોઈ મહિલા ખેલાડી માતા બનવા ઇચ્છતી હોય, ત્યારે પણ તેની કારકિર્દી પર અસર પડે છે. પરંતુ હવે મહિલા ટેનિસ એસોસિએશન (ઉ્છ) એ એક મોટું પગલું ભર્યું છે, જેનાથી ઉ્છ રેન્કિંગમાં ટોપ ૭૫૦ મહિલા પ્લેયર્સને રાહત મળશે. ઉ્છના જણાવ્યા પ્રમાણે કોઈપણ મહિલા ખેલાડી માતા બનવા માંગતી હોય અથવા ભવિષ્યમાં માતા બનવાના હેતુથી એગ ફ્રીઝ (બીજ સાચવવાની પ્રક્રિયા) કરાવવા માંગતી હોય તેને થોડા સમય માટે રમતથી દૂર રહેવાની અને સુરક્ષિત રેન્કિંગ સાથે વાપસી કરવાની તક આપવામાં આવશે. ઉ્છએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ખેલાડીઓ…
આ દુર્ઘટનામાં બાંસવાડાના રહેવાસી પ્રતીક જોશી પોતાના આખા પરિવારની સાથે ફ્લાઇટમાં સવાર હતા Ahmedabad, તા.૧૨ અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં બાંસવાડા જિલ્લા સાથે સંબંધિત એક દુઃખદ મામલો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં બાંસવાડાના રહેવાસી પ્રતીક જોશી પોતાના આખા પરિવાર સાથે ફ્લાઇટમાં સવાર હતા. પ્રતીક જોશી આશરે છ વર્ષ પહેલાં લંડન શિફ્ટ થઈ ગયા હતા. હવે તે પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે સ્થાયી રીતે વસવાટ માટે લંડન જઈ રહ્યા હતા. પ્રતીક જોશીની પત્નીનું નામ ડો. કોમી વ્યાસ છે. તે એક ડોક્ટર હતી અને તેણે બે દિવસ પહેલાં જ પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું, જેથી તે લંડનમાં નવી શરૂઆત…
ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને કહ્યું એર ઇન્ડિયા ફ્લાઇટ સાથે જોડાયેલી દુઃખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ New Delhi, તા.૧૨ રુંવાડા ઉભા કરી દે તેવી હચમચાવી દેતી દુર્ઘટનાનું સાક્ષી અમદાવાદ બન્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશમા સવાર તમામ ૨૪૦ મુસાફરોના મોત નિપજ્યા છે. તો આ દુર્ઘટનામાં બે મુસાફરોનો બચાવ થયો છે. તો બીજી તરફ, ટાટા ગ્રુપે તમામ મૃતકોના પરિવારજનોને ૧ કરોડની સહાયની જાહેરાત કરી છે. ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને આ માહિતી આપતા જણાવ્યું કે, એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ સાથે જોડાયેલી દુઃખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આ ક્ષણે આપણે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી.…
વિમાન દુર્ઘટનાને લઈ પોર્ટુગલ દૂતાવાસે દુઃખ વ્યક્ત કર્યું New Delhi, તા.૧૨ એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર- AI171 અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની સાથે જ થોડે દૂર ક્રેશ થઈ ગઈ છે. આ ભયાનક ઘટનાને લઈ દેશ-વિદેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. વિમાનમાં કુલ ૨૪૨ લોકો સવાર હતા. તેમાં ૧૬૯ ભારતીય મુસાફરો, ૫૩ બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને ૧૨ ક્રૂ મેમ્બર સવાર હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે અમદાવાદ વિમાન દુર્ઘટના પર ઊંડુ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં જે ઘટના બની, તે ખૂબ જ દુઃખદ દુર્ઘટના છે. તેમાં આપણે અનેક લોકોને…
અકસ્માતમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર ઘાયલ થયા હતા, પોલીસે કારમાં સવાર બે શખસોની અટકાયત કરી છે Bihar , તા.૧૨ બિહારના પટણામાં મોડી રાત્રે વાહન ચેકિંગ દરમિયાન એક કારે ત્રણ પોલીસકર્મીઓને અડફેટે લીધા હતા. જેમાંથી એક મહિલા કોન્સ્ટેબલનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બે પોલીસ ઇન્સ્પેક્ટર ઘાયલ થયા હતા. હાલ પોલીસે કારમાં સવાર બે શખસોની અટકાયત કરી છે. આ કાર પર ભાજપનો ઝંડો લગાવેલો હતો. જેના કારણે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. અહેવાલો અનુસાર, પટણાના એસકે પુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અટલ પથ પર પોલીસના વાહન ચેકિંગ દરમિયાન એક કારે ત્રણ પોલીસકર્મીઓ ટક્કર મારી હતી. આ ઘટનામાં એસકે પુરી પોલીસ સ્ટેશનના એસઆઈ દીપક…
મને દુઃખ છે કે વિરાટ કોહલી ગયો : મારા મતે તે જે રીતે ગયો, તેને વધુ સારી રીતે સંભાળી શકાયું હોત : શાસ્ત્રી New Delhi, તા.૧૨ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડમાં છે, જ્યાં ટીમ ઈન્ડિયા શુભમન ગીલની કેપ્ટનશીપમાં ૫ મેચની ટેસ્ટ સીરીઝ રમશે. વિરાટ કોહલીના ટેસ્ટમાંથી નિવૃત્તિ પછી ટીમ ઈન્ડિયાની આ પહેલી સીરીઝ છે. આ દરમિયાન, ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. તેમનું માનવું છે કે આને વધુ સારી રીતે સંભાળી શકાયું હોત. તેમણે એ પણ જણાવ્યું કે જો તેમની પાસે કોઈ ભૂમિકા હોત તો તેઓ શું કરતા. વિરાટ કોહલીએ ૧૨ મેના…