Author: Vikram Raval

હાઈવે-સ્ટેટ હાઈવે પર પસાર થતા વાહનો ઉપર પોલીસની બાજ નજર Junagadh તા.11 ગત સાંજે 6-52 કલાકે દિલ્હી લાલકિલ્લા નજીક કારમાં થયેલા વિસ્ફોટના પગલે જુનાગઢ સહિતના સોરઠના વિવિધ સ્થળો માર્ગો પર રાતભર કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તમામ વાહનો, હોટલ, ભવનાથ- માંગરોળ બંદર સહિતના વિવિધ સ્થળોએ ચેકીંગ હાથ ધરાયું હતું. સમગ્ર જુનાગઢ જીલ્લામાં એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન નીચે પોલીસને એલર્ટ કરવામાં આવી છે. શહેરમાં પણ વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. રોડ, હાઈવે, હોટલો, ધર્મશાળાઓ સહિતના સ્થળોએ ચેકીંગ કરવામાં આવ્યું છે. આજે પણ આ ચેકીંગ વધારવામાં આવશે જે રાત દિવસ ચેકીંગની કામગીરી સમગ્ર સોરઠ…

Read More

Rajkot, તા. 11 રાજધાની દિલ્હીમાં ગઇકાલે થયેલા બોમ્બ ધડાકાના પગલે પુરા ગુજરાતમાં પોલીસ એલર્ટ થઇ છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સુરક્ષા તંત્ર સાબદુ બન્યું છે. સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ યાત્રાધામો દ્વારકા, સોમનાથ સહિતના જિલ્લાઓમાં  હાઇવેથી માંડી હોટલો સુધી સઘન ચેકીંગ શરૂ કરાયું છે. તો મંદિરોની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. દ્વારકા શહેર અને હાઇવે પર, સમુદ્ર કાંઠે, રેલવે અને બસ સ્ટેશન પર શંકાસ્પદ વાહનો અને શખ્સોની ઝડતી લેવાઇ રહી છે. રાજકોટ રેન્જ આઇ.જી. અશોક યાદવે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ સહિતની એજન્સીઓ સતર્ક છે. થોડા દિવસોમાં જ્યાં ધર્મ સ્થળો સહિતના જે ગેરકાયદે દબાણો હટાવાયા છે. તે શહેરો વિસ્તારો, લાગુ…

Read More

Srinagar, તા.11 ભારતમાં શિયાળો શરૂ થયો છે અને પર્વતીય રાજયોમાં હિમવર્ષા પણ થવા લાગી છે., ત્યારે પહાડી ક્ષેત્રોમાં છુપાઈને બેઠેલા આતંકવાદીઓ મેદાની ભાગોમાં સુરક્ષીત અડ્ડા શોધવાની ફિરાકમાં હોવાનું ગુપ્તચર બાતમી મળતા સુરક્ષા એજન્સીઓ સાવધ થઈ છે. ગુપ્તચર રિપોર્ટ પ્રમાણે શિયાળામાં હવે આતંકવાદીઓ માટે પર્વતીય ક્ષેત્રોમાં છુપાવવાનું સરળ નથી એટલે મેદાની ભાગોમાં સુરક્ષીત સ્થાન શોધવા માટે સહાયકોની મદદ લેવા લાગ્યા છે. આતંકવાદીઓનાં ઈરાદા નાકામીયાબ બનાવવા માટે જમ્મુ તથા સમગ્ર કાશ્મીર ક્ષેત્રમાં મોટાપાયે તલાસી અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. ત્રાસવાદીઓના લોકલ સપોર્ટનું નેટવર્ક ભેદવા માટે શંકાસ્પદ લોકોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. લોકલ યુવાનોના બે્રશનવોશ કરીને સ્લીપર સેલમાં સમાવતા આતંકવાદી સંગઠનોની…

Read More

New Delhi,તા.11 પુલવામા અને પહેલગામ જેવા ઘાતક ત્રાસવાદી હુમલામાં કાશ્મીર ખીણ વિસ્તાર નિશાન પર હતું અને તેમાં સલામતી દળોના જવાનો અને નિર્દોષ સહેલાણીઓ ત્રાસવાદના નિશાન પર આવ્યા હતા પણ હવે ખીણથી ત્રાસવાદ ફરી કાશ્મીર બહાર નિકળ્યો હોવાનું તથા દિલ્હી-ઉતરપ્રદેશ આપોઆપ કેન્દ્રીત થયો હોવાનું ગઈકાલે હરિયાણાના ફરિદાબાદમાં જે વિસ્ફોટકો તથા હથિયારોનો જથ્થો મળ્યો તેનાથી નિશ્ચિત થયું. દિલ્હી બ્લાસ્ટ એ ત્રાસવાદી હુમલો જ હતો તે હવે સાબીત થતા ફરી એક વખત દેશના મહાનગરો ત્રાસવાદના ટાર્ગેટ પર હોવાનું નિશ્ચિત થઈ રહ્યું છે. વાસ્તવમાં હવે ત્રાસવાદ એ `વ્હાઈટ કોલર ક્રાઈમ’ જેવો બનવા લાગ્યો છે તે પણ ચિંતા છે અને જમ્મુ-કાશ્મીરથી છેક ઉતરપ્રદેશ-ફરિદાબાદના તબીબોની તેમાં…

Read More

New Delhi,તા.11 પાટનગર-દિલ્હીમાં ગઈકાલે 3.52 મિનિટે લાલ કિલ્લા પાસે થયેલા કાર-બોમ્બ વિસ્ફોટ એ એક ફિદાયીન- આત્મઘાતી હુમલો હતો તે નિશ્ચિત થયુ છે અને તેના તાર ગઈકાલે જ ફરિદાબાદમાં જે રીતે એમોનીયમ નાઈટ્રેટ સહિતના વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપાયો તેની સાથે સીધું કનેકશન જોવા મળ્યુ છે તથા આઈ-20 કાર જેનો આ હુમલામાં ઉપયોગ થયો તે પુલવામા કનેકશન ધરાવતા ડો. ઉમર મોહમ્મદ ચલાવતો હતો. તે ખુદને આ હુમલામાં ફિદાયીન તરીકે ઉપયોગ કરી જે વિસ્ફોટ કર્યો તેમાં નવ લોકોના મૃત્યુ થયા છે અને અનેક ઘાયલ થયા છે. જેમાં હવે આ ટેરર-મોડયુલ છેક કાશ્મીર સાથે જોડાયેલું હોવાનું અને પાકિસ્તાન સાથે પણ તેનું કનેકશન ખુલતા હવે…

Read More

New Delhi,તા.11 દિલ્હી બોમ્બ વિસ્ફોટો બાદ, પાકિસ્તાન ગભરાઈ ગયું અને રાજસ્થાન સાથેની સરહદ પર વાયુસેના પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. તેના ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓએ એક તાકીદની બેઠક યોજી હતી. વડાપ્રધાન શાહબાઝ શરીફે મોડી રાત સુધી NSA અને ISIના ડિરેક્ટર જનરલ સાથે પણ બેઠકો કરી. દરમિયાન, યુકે વિદેશ કાર્યાલય (FCDO) એ વિસ્ફોટ બાદ ભારતના અમુક વિસ્તારો માટે મુસાફરી સલાહ જારી કરી છે. બ્રિટિશ સરકારે તેના નાગરિકોને ભારત-પાકિસ્તાન સરહદથી 10 કિલોમીટરની અંદર અને જમ્મુ-કાશ્મીર અને મણિપુર રાજ્યોમાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે. દિલ્હી બોમ્બ વિસ્ફોટોમાં 11 લોકોના મોત થયા હતા, પરંતુ ત્રણ કલાક પછી, ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી કે…

Read More

Ahmedabad,તા.10 ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) સમક્ષ અમદાવાદના સાઉથ બોપલ ખાતે આવેલા “શાયપ્રમ” પ્રોજેક્ટની સોસાયટી દ્વારા બિલ્ડર વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદનો અંશતઃ સ્વીકાર કરવામાં આવ્યો છે. ગુજરેરાએ બિલ્ડર ઇન્ફ્રા અને અન્ય પક્ષકારોને પ્રોજેક્ટના કોમન એરિયામાં દેખાયેલી તિરાડો અને લિકેજની સમસ્યાનું 60 દિવસમાં નિરાકરણ લાવવાનો હુકમ કર્યો છે. શાયપ્રમ કો.ઓ.હા.સર્વિસ સોસાયટી લી. દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં બિલ્ડર પર ઘણા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સોસાયટીની મુખ્ય દલીલોમાં બ્રોશરમાં દર્શાવ્યા મુજબની સુવિધાઓ આપવામાં આવી નથી. બાંધકામની ગુણવત્તા નબળી છે, અને ફોયર એરિયામાં પાણીના સીપેજની સમસ્યા છે. બિલ્ડરે રેસીડેન્સીયલ અને કોમર્શિયલ યુનિટ માટે અલગ-અલગ સોસાયટી રજીસ્ટર કરી આપવાનો વાયદો કર્યો હતો,…

Read More

Prabhas Patan,તા.11 સોમનાથ પ્રભાસ પાટણ ખાતે આજે વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો વિરુદ્ધ ફરી એકવાર લાલ આંખ કરીને મેગા ડીમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સરકારી જમીન પર લાંબા સમયથી ઉભા થયેલા દબાણોને દૂર કરવા માટે તંત્રએ ભારે મશીનરી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કામગીરી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ વેરાવળ મામલતદારની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તંત્રએ પ્રભાસ પાટણના સર્વે નંબર 831 પૈકી 1ની સરકારી જમીન પરના દબાણોને નિશાન બનાવ્યા હતા. રહેણાક, વાણિજ્ય અને ધાર્મિક દબાણો હટાવાયા આ મેગા ઓપરેશન દરમિયાન, તંત્રએ કુલ 11 જેટલા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કર્યા હતા.…

Read More

New Delhi, તા.11 નવેમ્બર મહિનાના પહેલા વીકમાં અમેરિકાથી આવેલી વધુ એક ડિપોર્ટેશન ફ્લાઈટમાં 25 જેટલા ગુજરાતી પાછા આવ્યા હોવાના અહેવાલ છે. આ મામલે સરકારે કોઈ ખુલાસો નથી કર્યો પરંતુ આ જ રિમૂવલ ફ્લાઈટમાં ઈન્ડિયા મોકલવામાં આવેલા ઉત્તર ગુજરાતના એક શખસના પરિચિતે સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે આવેલી ફ્લાઈટમાં 100થી વધુ ઈન્ડિયન્સ હતા જેમાં 25 જેટલા ગુજરાતી હોવાનો અંદાજ છે. જે ગુજરાતીઓ નવેમ્બરમાં આવેલી ફ્લાઈટમાં રિટર્ન થયા છે તેમાં બોર્ડર પરથી પકડાયેલા લોકોની સાથે-સાથે અમેરિકાની અંદરથી અરેસ્ટ થયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. યુએસમાં નાના-મોટા ક્રાઈમ કરતા પકડાયેલા લોકોને પણ હાલ ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં અસાયલમનો…

Read More

Rajkot,તા.11 રાજકોટ, અમરેલી, નલિયા અને ગાંધીનગરમાં ફરી આજે ઠંડીનાં પ્રમાણમાં વધારો થયો હતો.અને ગાંધીનગર 13.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ રહેવા પામ્યુ હતું.તેમજ રાજકોટ શહેરમાં 14-8, અમરેલીમાં-14, અને નલિયા ખાતે 14.8 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું. જયારે આજે સવારે અમદાવાદમાં-15.2 વડોદરામાં પણ 15.2, ભાવનગરમાં-17 ભુજમાં 17.8, દમણ માં 17.8, તથા ડિસામાં 16.1, અને દિવમાં 16 ડિગ્રી તેમજ કંડલામાં-18, પોરબંદરમાં 16.7, સુરતમાં 18.2, અને વેરાવળ ખાતે 19.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. ઉપરાંત જામનગરમાં ધીરે ધીરે લઘુતમ અને મહતમ તાપમાનમાં ક્રમશ ઘટાડા સાથે ગુલાબી ઠંડીનુ સામ્રાજય છવાઈ રહયુ છે.સતત બે દિવસથી 17.5 ડિગ્રી આસપાસ રાત્રીના તાપમાનના પગલે સવાર સુધી…

Read More