Author: Vikram Raval

Ahmedabad,તા.૨૯ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં કૌટુંબિક અને સગાઈ બાબતે થયેલી તકરારમાં ૨૭ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ચકચારી ઘટનામાં અમરાઈવાડી પોલીસે ચાર પૈકી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, અમરાઈવાડી વિસ્તારમાં રહેતા રણજિત આહિરવાલ (ઉં.વ. ૨૭)ના લગ્ન સ્વાતિ સાથે થયા હતા. દંપતીને પાંચ વર્ષની પુત્રી છે. વૈવાહિક વિવાદના કારણે છેલ્લા ત્રણ મહિનાથી સ્વાતિ તેના પિતા રવિશ જાટવના ઘરે અમરાઈવાડીના પ્રગતિનગર વિસ્તારમાં રહેતી હતી. ૨૮મી ઓગસ્ટના રોજ બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવા માટે પ્રગતિનગર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન અગાઉ રણજીતના નાના ભાઈ કરણ…

Read More

(મહેશ રાવલ દ્વારા) Surendranagar તા.૨૯ સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બ્રહ્મકુમારી સર્કલ નજીકથી તીનપત્તીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને ગંજીપાનાં સહિત કુલ રૂ. ૬૯,૨૫૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના તથા / નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા તેમજ પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢવા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એચ. જાડેજાએ અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ અને ગુનાખોરી…

Read More

New Delhi,તા.૨૯ કોંગ્રેસ પાર્ટી માટે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. સોનિયા ગાંધીના પુસ્તક, ’બિલોંગિંગઃ અ જર્ની ઓફ લવ’ અંગે વિવાદ ઉભો થયો છે. પ્રકાશક પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ સોનિયા ગાંધીના પુસ્તક પ્રકાશિત કરવાનો ઇનકાર કર્યો છે. અહેવાલ છે કે પેંગ્વિનએ પુસ્તકના એક ભાગમાંથી કેટલાક સંપાદકીય ફેરફારો અને ચોક્કસ ફકરા દૂર કરવાની માંગ કરી હતી. સોનિયા ગાંધીએ આ માંગણી ફગાવી દીધી, જેના પછી પેંગ્વિન રેન્ડમ હાઉસે પુસ્તક પ્રકાશિત કરવાનો ઇનકાર કર્યો. પુસ્તકની પ્રકાશન તારીખ મૂળ ૧૦ નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. આ પહેલા પણ, પુસ્તકના પ્રકાશન પર વિવાદ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસ હવે પ્રશ્ન કરી રહી છે કે પેંગ્વિન બુક્સ…

Read More

વન્યજીવોની અવરજવરવાળા વિસ્તારોમાં ઇલેક્ટ્રિક શોક ન મુકવા તથા ખુલ્લા કૂવા સુરક્ષિત કરવા ખેડૂતોને અનુરોધ Junagadh તા.૨૯ વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસસ્થાન ‘‘ગીર’’ છે. ગુજરાતના ગૌરવ સમા એશિયાઈ સિંહો સૌરાષ્ટ્રના ૩૫૦૦૦૦ ચોરસ કી.મી. વિસ્તારમાં મુક્તપણે વિહરતા રહે છે. એશિયાઈ સિંહોના સંરક્ષણમાં વન વિભાગની સાથે સાથે સૌરાષ્ટ્રના લોકોનો પણ ખૂબ જ મોટો ફાળો રહેલો છે. સ્થાનિક લોકોના સહકારને કારણે આજે ગીર સંરક્ષિત વિસ્તાર, સિંહોની વસ્તીના સંરક્ષણ અને માનવીય પ્રભુત્વ ધરાવતી જમીન ઉપર પણ સિંહોના સહઅસ્તિત્વમાં વધારો દર્શાવતું અદભુત ઉદાહરણ બની ગયું છે. આ અવિરત પ્રયાસોનો લાભ લઈને સિંહો હવે જોખમની બહાર આવી ગયા છે અને અગાઉ જ્યાંથી તેઓ નામશેષ થઈ ગયા હતા…

Read More

New Delhi,તા.૨૯ મોદી સરકાર સપ્ટેમ્બરના મધ્યમાં સીમાંકન અને મહિલા અનામત અંગે ચર્ચા કરવા માટે બે દિવસનું ખાસ સત્ર બોલાવવાની તૈયારી કરી રહી છે. સરકાર ખાસ સત્ર પહેલાં કેબિનેટ વિસ્તરણ દ્વારા એનડીએમાં જોડાવા માંગતા પક્ષોને આકર્ષવાની યોજના ધરાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના મધ્ય એશિયા પ્રવાસ પરથી પાછા ફર્યા પછી ખાસ સત્ર અને મંત્રીમંડળના વિસ્તરણ અંગે અંતિમ ચર્ચા શરૂ થશે. ખાસ સત્રનો વિકલ્પ ખુલ્લો રાખવા માટે, ૧૫ દિવસ વીતી ગયા હોવા છતાં ચોમાસુ સત્ર મુલતવી રાખવામાં આવ્યું નથી. સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર, ખાસ સત્ર અને મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે બે મુખ્ય અવરોધો છે. સરકાર ઇચ્છે છે કે વિસ્તરણ પહેલાં એનસીપીના બંને…

Read More

(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૯ હંમેશા કામનું કૌશલ્ય અને હુન્નર પોતાની આગવી ઓળખ ઊભી કરતું હોય છે. ત્યારે અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના ખોબા જેવડા ગામ ‘‘તાજપર‘‘ ગામની હાથ બનાવટના ગોદડાની માંગ સાત દેશોમાં બોલબાલા થઈ છે. ઇન્ટરનેટ વિહોણા ગામ તાજપર ગામમાં સોશિયલ મિડીયાના માધ્યમથી વિદેશમાં ગોદડાનો વ્યવસાય વિકસાવીને આ હાથ બનાવટના ગોદડા અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઓમાન પહોંચ્યા છે. જ્યારે ૬ મહિના પહેલા શરૂ કરેલો ગોદડા સિવવાના વ્યવસાયે દેશના સીમાડાઓ વટાવીને હુન્નર સાથેની ગુણવતાની નવી મિસાલ કાયમ કરી અને સંગાથે ગોદડા બનાવવાના વ્યવસાયને રોજગારી બનાવીને સ્વરોજગાર સાથે આત્મનિર્ભર ભારતમાં મહિલાઓને પણ રોજગારીઓ પૂરી પાડવામા આવી રહી છે. ત્યારે ગોદડા બનાવવાની પરંપરાગત…

Read More

કંટ્રોલરૂમ, ફરિયાદ નોંધણી, ઇમરજન્સી કોરીડોર અને ગ્રાઉન્ડમાં દબાણ ન થાય તે માટેની ફરજ બજાવશે Rajkot તા. ૨૯ રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજિત કરાયેલ વિરાસતથી વિકાસ-૨૦૨૬ લોકમેળો સુચારૂરૂપથી યોજાય અને મેળાને મહાલવા આવતા લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે માઇક્રો પ્લાનીંગ સાથે તખ્તો તૈયારી કરી દેવામાં આવેલ છે. આ માટે કલેકટર તંત્ર ૧૭૩ અધિકારીઓ-કર્મચારીઓના ઓર્ડરો ઇશ્યુ કરી દેવામાં આવેલ છે. તેની સાથોસાથ કંટ્રોલ રૂમોના ફોન નંબર પણ જાહેર કરી દેવામાં આવેલ છે. જેમાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમનાનો ફોન નં. ૦૨૮૧-૨૯૯૦૪૯૫ પોલીસ કંટ્રોલ (ફનવર્લ્ડ ગેઇટ પાસે)નો ફોન નં. ૦૨૮૧-૨૯૯૦૪૩૭, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન (હેડકવાર્ટર ગેઇટ પાસે)નો…

Read More

Srinagar,તા.૨૯ કલમ ૩૭૦ પુનઃસ્થાપિત કરવાના મુદ્દા પર નેશનલ કોન્ફરન્સના વલણથી નારાજ, શ્રીનગરના સાંસદ આગા રુહુલ્લાહ મેહદી પાર્ટી છોડી દેશે. ફારૂક અબ્દુલ્લાના રાજીનામું આપવા અને ફરીથી ચૂંટણી લડવાના ખુલ્લા પડકારને સીધો સ્વીકારીને, રુહુલ્લાહે જાહેરાત કરી કે તેઓ ૩ નવેમ્બરે સંસદ અને પાર્ટી બંને છોડી દેશે. તેમણે કલમ ૩૭૦ પર પાર્ટીના બદલાતા વલણ અંગે પાર્ટી નેતૃત્વ પાસેથી જવાબો પણ માંગ્યા. તેમણે કહ્યું, “હું જૂઠાણા અને છેતરપિંડીનો ભાગ બની શકતો નથી.” ડૉ. ફારૂકને લખેલા બે પાનાના પત્રમાં, રુહુલ્લાહે બળવાખોર સ્વરમાં જણાવ્યું હતું કે તેઓ કોઈપણ દબાણ વિના પોતાના દમ પર રાજીનામું આપશે, પરંતુ તે પહેલાં, પાર્ટીએ તેમને તેમના રાજકીય વલણ અને વચનો માટે…

Read More

અમદાવાદ કોર્પો.ના પગલે રાજકોટમાં પણ નિર્ણય,  તુરંતમાં સૂચના અપાશેઃ મેયર નેહલ શુકલ,  બે બોર્ડ પહેલા કોર્પોરેટર જાનકીબેન કાટોળીયાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો Rajkot તા. ૨૯ તાજેતરમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને નવા બનતા ડામર રોડના કામ માટેની જવાબદારી લોકો સમક્ષ પણ પારદર્શક રીતે જાહેર રહે તે માટે રોડની બંને તરફ કોન્ટ્રાકટર કંપનીના નામ, સરનામા, ફોન નંબર, કામની મુદત સહિતની વિગત સાથેના બોર્ડ મુકવા નિર્ણય જાહેર કર્યો હતો જેના પગલે રાજકોટ મહાપાલિકા પણ આ દિશામાં આગળ વધી રહી છે. આગામી દિવસોમાં મનપાના ડામર રોડ હોય કે બ્રીજ જેવા કોઇ પણ બાંધકામ પ્રોજેકટ, સાઇટ પર કોન્ટ્રાકટરની તમામ વિગતો મુકવા નિયમો લાગુ કરવામાં આવશે તેમ મેયર…

Read More

કોળી સમાજના મહિલા સભ્યને જવાબદારી , દુષિત પાણીથી લોકોનું આરોગ્ય ચિંતામાં  બોર્ડ ગાજતું રહેશે Rajkot તા.૨૯ રાજકોટ મહાનગરપાલિકામાં ગત મે મહિનામાં શરૂ થયેલી નવી ટર્મમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા તરીકે વોર્ડ નં. ૧૬ના મહિલા કોર્પોરેટર દિપ્તીબેન સોલંકીની નિમણુંક કરવામાં આવી છે. રાજકોટની પ્રજાના પ્રશ્ને જનરલ બોર્ડમાં સતત પડઘો પાડતા કોર્પોરેટરે શહેરના પાણી, મનપામાં ભ્રષ્ટાચાર સહિતના મામલે લોકો વતી લડત ચાલુ રાખવા  તૈયારી દર્શાવી છે. રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ તેમજ વોર્ડ નં. ૧૬ના કોર્પોરેટર અને કોળી સમાજનું ગૌરવ દીપ્તિબેન સોલંકીની રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ નિયુકિત કરી છે. ગત ટર્મમાં ભાજપને ૬૮ અને કોંગ્રેસને ૪…

Read More