- 17 જુલાઈનું પંચાંગ
- 17 જુલાઈનું રાશિફળ
- ISRO કેમ છોડી રહ્યા છે વૈજ્ઞાનિકો? રાજીનામા રોકવા સરકારે લીધો મોટો નિર્ણય
- Shri Nandkishore Goenkaji ના નિધનને PM મોદીએ ગણાવી અપૂરણીય ક્ષતિ
- આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ
- Puri માં Jagannath Rath Yatra માં નાસભાગ, એક શ્રદ્ધાળુનું મોત થયું, અનેકને ઈજા
- હું ફક્ત દેશનું ભલું ઇચ્છું છું, હું રાષ્ટ્રવિરોધી નથી, Actress Sonakshi Sinha
- Congress President Mallikarjun Kharge એ ચોમાસુ સત્ર પહેલા પીએમ મોદીને પત્ર લખ્યો
Author: Vikram Raval
Mumbai,તા.16 ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપ 2026ની રોમાંચક સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી પરાજય આપીને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કરી ઇતિહાસ રચવા તરફ મજબૂત કદમ વધાર્યા છે. એક સમયે હારની અણી પર રહેલી આર્જેન્ટિનાની ટીમને 39 વર્ષના ફૂટબોલના જાદુગર લિયોનેલ મેસ્સીએ પોતાની અદ્ભુત રમતથી જીત અપાવી હતી. મેચના 55મા મિનિટમાં એન્થોની ગોર્ડનના ગોલની મદદથી ઇંગ્લેન્ડ 1-0થી લીડ મેળવીને જીત તરફ આગળ વધી રહ્યું હતું. પરંતુ મેચની 85મી મિનિટમાં મેસ્સીએ લીધેલા શોર્ટ કોર્નર અને એન્ઝો ફર્નાન્ડીઝને આપેલા સચોટ પાસથી સ્કોર 1-1ની બરાબરી પર આવી ગયો હતો. અસલી રોમાંચ ઇન્જરી ટાઇમના સ્ટોપેજ ટાઇમની બીજી મિનિટમાં જોવા મળ્યો જ્યારે મેસ્સીના શાનદાર ક્રોસ…
Mumbai,તા.16 ફિફા વર્લ્ડ કપ 2026 ના બીજા સેમિ ફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડને 2-1 થી હરાવીને અર્જેન્ટીનાએ સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પરંતુ, આ હાર બાદ ઇંગ્લેન્ડની ટીમ અને તેમના સ્ટાર મિડફિલ્ડર જૂડ બેલિંગહામ એક મોટા વિવાદમાં ફસાયા છે. મેચ ખતમ થયા બાદ મેદાન પર ખેલાડીઓ વચ્ચે થયેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા અને વિવાદે મેચના પરિણામ કરતાં પણ વધુ ચર્ચાઓ જગાવી છે. મેચ પૂરી થયાની અંતિમ વ્હીસલ વાગ્યા બાદ, જ્યારે અર્જેન્ટીનાની ટીમ જીતની ઉજવણી કરી રહી હતી, ત્યારે ઇંગ્લેન્ડનો સ્ટાર ખેલાડી જૂડ બેલિંગહામ ભારે ગુસ્સામાં જોવા મળ્યો હતો. તે કેમેરામાં અર્જેન્ટીનાના સબસ્ટિટ્યૂટ ખેલાડી વેલેન્ટિન બાર્કોના માથાના પાછળના ભાગે થપ્પડ મારતો સ્પષ્ટ…
Mumbai,તા.16 અર્જેન્ટીનાએ સેમિફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને ફિફા વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. અર્જેન્ટીનાની આ જીતનો હિરો કેપ્ટન લિયોનેલ મેસી રહ્યો, જેણે ટીમ તરફથી થયેલા બંને ગોલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. અર્જેન્ટીનાની જીતની સાથે જ મેસીએ એક એવું સ્થાન હાસલ કરી લીધું છે, જ્યાં સુધી અત્યાર સુધી દુનિયાનો કોઈ ખેલાડી પહોંચી શક્યો નથી.સેમિફાઇનલમાં કરેલા બે આસિસ્ટ (ગોલ કરવામાં મદદ)ની સાથે જ મેસીના નામે હવે વર્લ્ડ કપમાં કુલ 12 આસિસ્ટ થઈ ગયા છે. આમાંથી 10 આસિસ્ટ મેસીએ ટૂર્નામેન્ટના નોકઆઉટ મુકાબલાઓમાં કર્યા છે. આંકડાઓ અનુસાર, મેસી આ મુકામ સુધી પહોંચનારો પ્રથમ ખેલાડી બન્યો છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં અન્ય કોઈ ખેલાડી…
Mumbai,તા.16 ફૂટબોલ ઇતિહાસની સૌથી મોટી પ્રતિદ્વંદ્વિત્તામાં આજે એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ 2026ના બીજા સેમિફાઇનલ મુકાબલામાં લિયોનેલ મેસીની આગેવાની હેઠળના આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1 થી પરાજય આપી સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મેચના પ્રથમ હાફમાં બંને ટીમો વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો હતો અને ફાઉલના કારણે રમત વારંવાર અટકી હતી, જેના લીધે પ્રથમ હાફ 0-0 ની બરાબરી પર રહ્યો હતો. ઇંગ્લેન્ડની લીડ અને આર્જેન્ટિના પર દબાણબીજા હાફમાં મેચનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો હતો. મેચની 55મી મિનિટે ઇંગ્લેન્ડના મોર્ગન રોજર્સના શાનદાર પાસ પર એન્થની ગોર્ડને ગોલ ફટકારીને ઇંગ્લેન્ડને 1-0 ની લીડ અપાવી દીધી હતી.…
Mumbai,તા.16 ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC દ્વારા વનડે અને ટી20 વર્લ્ડ કપના ફોર્મેટમાં મોટા ફેરફારો મંજૂર કરવામાં આવ્યા છે. એડિનબર્ગમાં આયોજિત બેઠકમાં લેવાયેલા આ નિર્ણયોનો મુખ્ય હેતુ રમતને દર્શકો અને ખેલાડીઓ માટે વધુ રોમાંચક બનાવવાનો છે. ICCના જણાવ્યા અનુસાર ‘આ ફેરફારોનો ઉદ્દેશ્ય ટૂર્નામેન્ટની દરેક મેચને વધુ સ્પર્ધાત્મક, વધુ અર્થપૂર્ણ અને વધુ રોમાંચક બનાવવાનો છે’. આ નવા નિયમો લાગુ થવાથી શરૂઆતની મેચોથી લઈને ફાઈનલ સુધી દરેક મુકાબલાનું મહત્વ અને રોમાંચ ખૂબ વધી જશે. નવા ફોર્મેટ હેઠળ વનડે વર્લ્ડ કપમાં પહેલાની જેમ 14 ટીમો જ ભાગ લેશે પરંતુ હવે આખી રમત 3 અલગ-અલગ તબક્કામાં રમાશે.1… પ્રથમ તબક્કામાં ટૂર્નામેન્ટની શરૂઆતમાં આઈસીસી રેન્કિંગમાં…
Mumbai,તા.16 બર્મિંગહામ ખાતે રમાયેલી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે ભવ્ય વિજય મેળવીને 3 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોની વાપસી પર સૌની નજર હતી, પરંતુ ભારતીય કેપ્ટન શુભમન ગિલે પોતાની શાનદાર બેટિંગથી મુખ્ય આકર્ષણ જમાવ્યું હતું. મુશ્કેલ પરિસ્થિતિમાં માત્ર 75 બોલમાં 80 રનની કેપ્ટનશીપ ઇનિંગ્સ રમીને તેણે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી, જોકે કમનસીબે તે રિટાયર્ડ હર્ટ થવાને કારણે સદી ચૂક્યો હતો. જોકે આ શાનદાર ઇનિંગ્સનો મોટો ફાયદો શુભમન ગિલને તાજેતરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા ODI બેટિંગ રેન્કિંગમાં મળ્યો છે, જ્યાં તે વિશ્વનો નંબર-1 બેટ્સમેન…
Mumbai,તા.16 જાણિતા સિંગર અને અભિનેતા દિલજીત દોસાંજની વિવાદિત ફિલ્મ સતલુજનું સેન્સર સર્ટિફિકેટ વગર જ સ્ક્રીનિંગ કરી દેવામાં આવ્યું છે. એવામાં ગમે ત્યારે રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર આ ફિલ્મનું સ્ક્રીનિંગ રોકવા આદેશ આપી શકે છે. આ સાથે જ ફિલ્મને સર્ટિફિકેટ વગર જ સ્ટ્રીમ કરનાર ઇંટરમીડિયરી એટલે કે ઝી-૫ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાનું કેન્દ્ર સરકાર વિચારી રહી હોવાના અહેવાલો છે. ઓટીટી પર ફિલ્મો કે કોન્ટેન્ટ સ્ટ્રીમ કરતા પહેલા સીબીએફસી સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ લેવુ ફરજિયાત કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે જે માટે આઇટી નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. દિલજીતની ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો છે. પંજાબમાં ખાલિસ્તાનીઓની આડમાં નિર્દોશ નાગરિકો પર…
Mumbai,તા.16 દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર સફળતાના વાવટાં લહેરાવનારી આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ જાપાનમાં સુપરફલોપ નીવડી છે. જોરશોરથી પ્રમોશન કરી જાપાનમાં ૮૦ સ્ક્રિન્સ પર આ ફિલ્મને મોટાપાયે રજૂ કરવામાં આવી હતી. પણ દસ જુલાઇએ રજૂ થયેલી આ ફિલ્મને પહેલાં દિવસે ૯૦૦ દર્શકો પણ માંડ મળ્યા હતા.જાપાનમાં સૌથી નબળું ઓપનિંગ કરનારી ભારતીય ફિલ્મોમાં હવે તેનો સમાવેશ થાય છે. ફિલ્મ જાપાનમાં પહેલાં દિવસે ટોપ ભારતીય પચ્ચીસ ફિલ્મોમાં પણ તેનું સ્થાન મેળવી શકી નહોતી. ફિલ્મને જાપાનીમાં ડબ કરીને નહીં પણ જાપાની સબટાઇટલ્સ સાથે રજૂ કરવામાં આવી હતી.ડિસેમ્બર ૨૦૨૫માં ભારતમાં રજૂ થયેલી ‘ધુરંધર’ અને માર્ચ ૨૦૨૬માં રજૂ થયેલી તેની સિક્વલ ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ એમ બંને…
Mumbai,તા.16 ‘ઇઠા’ ફિલ્મના નિર્માતાઓ મેડોક ફિલ્મ્સ હવે યશની ફિલ્મ ‘ટોક્સિકઃએ ફેરી ટેલ ફોર ગ્રોન અપ્સ’ સાથે ટક્કર નિવારવા માટે પોતાની ફિલ્મને વહેલી કાં મોડી રજૂ કરવા માટે વિચારી રહ્યા છે. યશની ફિલ્મ ૨૮ ઓગસ્ટે દુનિયાભરના થિયેટર્સમાં રજૂ થવાની છે. આમ તો બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પરફોર્મ કરી શકે એવી છે પણ બંને ફિલ્મો ટકરાશે તો નુકશાન થઇ શકે છે. મહારાષ્ટ્રની લાવણી કળાકાર વિઠાબાઇની જિંદગી પર આધારીત ફિલ્મ ‘ઇઠા’માં મુખ્ય ભૂમિકા શ્રદ્ધા કપૂરે નિભાવી છે. ફિલ્મ મરાઠી લોકથિયેટરની મશહુર લાવણી ડાન્સર વિશે છે એટલે તેને મહારાષ્ટ્રમાં જબરદસ્ત સફળતા મળે એ સ્વાભાવિક છે પણ અન્યત્ર ‘ટોક્સિક’ સાથેની ટક્કરમાં તેને માર…
Mumbai,તા.16 ટેલિવિઝન અને OTTની જાણીતી અભિનેત્રી જેનિફર વિંગેટ પોતાની જિંદગીનું એક નવું પ્રકરણ શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મીડિયા અહેવાલો અનુસાર, ‘બેહદ’ સિરિયલ ફેમ જેનિફર ખૂબ જ ટૂંક સમયમાં UKમાં તેના બોયફ્રેન્ડ વિલિયમ ઇશ્માએલ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. આ લગ્ન ગુરુવારે એક ખાનગી અને ખૂબ જ નાના સમારોહમાં યોજાશે. એક અહેવાલ મુજબ, આ લગ્નને સંપૂર્ણપણે સિક્રેટ રાખવામાં આવ્યા છે અને આ ખાસ પ્રસંગે માત્ર પરિવારના સભ્યો અને કેટલાક ખૂબ જ નજીકના મિત્રો જ હાજર રહેશે. જેનિફર અને વિલિયમના અફેરની ચર્ચાઓ લાંબા સમયથી મીડિયામાં ચાલી રહી હતી અને હવે બંને પોતાના સંબંધોને એક ડગલું આગળ લઈ જઈ…
