Author: Vikram Raval

રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે  જેમાં એક દિવસ શાળાઓ બંધ કરીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે Rajkot તા.૧૩ અમદાવાદમાં ગતરોજ ૧૨ જૂનના રોજ જે પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી હતી તેમાં મોટી સંખ્યામાં મુસાફરોનાં મોત થયાં છે. સાથે જ આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. જેથી તેમના નિધનને લઈને રાજકોટમાં શાળા સંચાલકો દ્વારા સ્વેચ્છાએ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે. જેમાં એક દિવસ શાળાઓ બંધ કરીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આજે રાજકોટની ૬૦૦થી વધારે સ્કૂલો બંધ રહેવાની છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે…

Read More

Ahmedabad, તા.૧૩ અમદાવાદ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ કોટાના એક પરિવારના હૃદયના ધબકારા વધારી દીધા હતા. અકસ્માત સમયે કોટાનો એક યુવાન પણ ત્યાં હાજર હતો. એર ઈન્ડિયાનું આ વિમાન જે બિલ્ડિંગ પર પડ્યું હતું, ત્યાથી માત્ર ૨૦ મિનિટ પહેલા જ નીકળ્યો હતો આ યુવક. આ યુવક કોટોના દિગોડનો નિવાસી છે અને અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. દુર્ઘટનાના થોડા સમય પહેલા મયંક આ જ બિલ્ડિંગની કેન્ટિનમાંથી ભોજન લઈ રહ્યો હતો કે જ્યાં થોડા સમય પછી વિમાન ક્રેશ થયું હતું. પરંતુ માત્ર ૨૦ મિનિટ પહેલા મયંક ત્યાથી નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો. મયંકે કહ્યું કે, હું ૧૨…

Read More

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા  લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાને લઈને ખાસ વ્યવસ્થા Ahmedabad, તા.૧૩ ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની ૧૨૪૭૨ જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર (PSI)ની ૪૭૨ જગ્યા માટે કુલ ૧,૦૨,૯૩૫ ઉમેદવારોએ ૧૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ લેખિત પરીક્ષા આપી હતી. જ્યારે હવે લોકરક્ષક કેડરની ૧૨ હજાર જગ્યા પરની ભરતી માટે આગામી ૧૫ જૂન ૨૦૨૫ના રોજ ૨.૪૭ લાખથી વધુ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. રાજ્યમાં લોકરક્ષક સંવર્ગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પો.કો., જેલ સિપાઈ, SRPF સહિતની ૧૨૦૦૦ જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા…

Read More

ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી કહ્યું છે કે, અમે વિમાન દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ New Delhi, તા.૧૩ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરૂવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા ૨૪૨ લોકો સહિત ૨૬૫ લોકોના મોત થયા છે, ત્યારે આ દુઃખ ઘટનાને ધ્યાને રાખી દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (ન્ૈંઝ્ર)એ આજે મહત્ત્વની જાહેરાત કરી છે. એલઆઈસીએ કહ્યું છે કે, ‘અમે વિમાન અકસ્માતમાં સામેલ પીડિતોના સંબંધીઓને દાવાની પતાવટ પ્રક્રિયામાં રાહત આપી છે અને આ પ્રક્રિયાને ઝડપી કરી દીધી છે. કંપનીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી કહ્યું છે કે, અમે વિમાન દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ…

Read More

ભારતની વિમેન્સ ટીમ ૨૮મી જૂને નોટ્ટિંગહામ ખાતેની ટી૨૦ સાથે આ પ્રવાસનો પ્રારંભ કરશે અને તેની બીજી મેચ પહેલી જુલાઈએ રમાશે મુંબઈ, તા.૧૩ ઇંગ્લેન્ડમાં પાંચ ટી૨૦ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવા જનારી ભારતીય વિમેન્સ ટીમમાં ગુરુવારે ઇજાગ્રસ્ત સૂચિ ઉપાધ્યાયને સ્થાને અનુભવી લેફ્ટ આર્મ સ્પિનર રાધા યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ ૨૮મી જૂનથી ઇંગ્લેન્ડ સામે ટી૨૦ સિરીઝનો પ્રારંભ કરશે. બીસીસીઆઈએ માહિતી આપી હતી કે ૨૦ વર્ષીય સ્પિનર સૂચિ ઉપાધ્યાયે ગયા મહિને શ્રીલંકા સામેની સિરીઝ સાથે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો પરંતુ હવે તે ઇજાને કારણે ઇંગ્લેન્ડ સામે રમી શકે તેમ નથી.ભારતીય ક્રિકેટ બોર્ડની મહિલા ટીમની પસંદગી સમિતિએ સૂચિને સ્થાને રાધા…

Read More

બીજી કેટલીક કંપનીઓ પણ પેઈન્ટ ક્ષેત્રે પ્રવેશી છે, તેને કારણે માર્જિન પર પણ અસર જોવા મળી રહરી છે Mumbai, તા.૧૩ બિલિયોનેર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગુરુવારે એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪% હિસ્સો વેચ્યો છે જેનું મૂલ્ય રૂ.૭૭૦૩ કરોડ થાય છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે આ હિસ્સો ખરીદ્યો છે. ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શનથી આ લે-વેચ થઈ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જના બ્લોક ડીલ ડેટા મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેની એફિલિયેટ સિદ્ધાંત કોમર્શિયલ્સ પ્રાઈવેટ લિમિટેડ મારતે એશિયન પેઈન્ટ્‌સના ૩.૫૦ કરોડ શેર (૩.૬૪%) વેચ્યા હતા. સરેરાશ શેરદીઠ રૂ.૨૨૦૧ના ભાવથી રિલાયન્સે આ શેર વેચ્યા છે જેનું મૂલ્ય રૂ.૭૭૦૩.૫૦ કરોડ થાય છે.આ હિસ્સો વેચ્યા બાદ સિદ્ધાંત કોમર્શિયલ્સનું એશિયન પેઈન્ટ્‌સમાં હોલ્ડિંગ…

Read More

કુલ આયાતમાં પામ ઓઈલનો હિસ્સો સાત મહિનામાં ૫૮ ટકાથી ઘટીને ૪૨ ટકા થયો છે New Delhi, તા.૧૩ દેશમાં વેજિટેબલ ઓઈલની આયાત સતત છઠ્ઠા મહિને ઘટી છે. મે મહિનામાં આયાત ૨૨.૩૬ ટકા ઘટીને ૧૧.૮૭ લાખ ટન થઈ હતી. સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશનંએ ગુરુવારે કહ્યું હતું. તેણે કહ્યું કે તાજેતરમાં આયાત ડ્યૂટીમાં ઘટાડો કરાયો તેનાથી કુલ વોલ્યૂમ પર ખાસ અસર નહીં થાય. ખાદ્યતેલ અને બિનખાદ્યતેલ બન્ને મળીને કુલ વેજિટેબલ ઓઈલની આયાત મે મહિનામાં ૧૧.૮૭ લાખ ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં ૧૫.૨૯ લાખ ટન હતી. ઓઈલ માર્કેટિંગ વર્ષ (નવેમ્બરથી ઓક્ટોબર)ના પ્રથમ સાત મહિનામાં વેજિટેબલ ઓઈલની કુલ આયાત ઘટીને ૭૮.૮૪ લાખ ટન…

Read More

Ahmedabad,તા.૧૩ અમદાવાદમાં ૧૨ જૂને બપોરે એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન લગભગ સમાપ્ત થઈ ગયું છે. આ દુ્‌ર્ઘટનામાં ૨૪૧ લોકોના મોત થયા જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ છે. આ ભીષણ દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિનો જીવ બચ્યો છે. રેસ્ક્યુ ઓપરેશન રમિયાન સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ધમાકા બાદ આગના ગોળાએ વિમાન અને આસપાસની વસ્તુને કઈ રીતે નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક ભગવત ગીતા મળી આવી છે. સંભવતઃ કોઈ યાત્રી આ પવિત્ર ગ્રંથને સાથે રાખી અમદાવાદથી લંડનની યાત્રા કરી રહ્યો હશે. જ્યાં બધા સામાન સળગીને રાખ થઈ ગયો છે, ત્યાં…

Read More

Ahmedabad,તા.૧૩ એવું કહેવાય છે કે જે કંઈ થાય છે તે સારા માટે થાય છે. અમદાવાદની રહેવાસી ભૂમિ ચૌહાણની વાર્તા આ કહેવતને સાચી સાબિત કરે છે. ગુરુવાર, ૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ, અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરવાની એર ઇન્ડિયાની ફ્લાઇટ છૈં-૧૭૧, ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી મેઘની નગર નજીક ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં ૨૪૨ મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી ૨૪૧ લોકોના મોત થયા હતા, પરંતુ ભૂમિ ચૌહાણનું નસીબ તેના પર સાથ આપ્યો. માત્ર ૧૦ મિનિટના વિલંબને કારણે તે આ ફ્લાઇટ ચૂકી ગઈ, અને આ વિલંબ તેના જીવનનો સૌથી મોટો ’વરદાન’ બની ગયો. ભૂમિ ચૌહાણ, જે…

Read More

Ahmedabad,તા.૧૩ પીએમ મોદી અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પીએમ મોદી હોસ્પિટલ પહોંચ્યા પછી ઘાયલોને પણ મળ્યા. અકસ્માત સ્થળ પર ચાર ઇમારતોમાં રહેતા રેસિડેન્ટ ડોકટરો રહેતા હતા. શુક્રવારે, તેઓ પોતાનો સામાન લેવા માટે સ્થળ પર પાછા ફર્યા. જોકે, સુરક્ષા કારણોસર તેમને અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. આ રેસિડેન્ટ ડોકટરો સાથે વાત કર્યા પછી જાણવા મળ્યું કે આ કમ્પાઉન્ડમાં ૪ રહેણાંક ઇમારતો છે. તેમાં ૮૦ ફ્લેટ છે. રેસિડેન્ટ ડોકટરનો પરિવાર આ ફ્લેટમાં રહેતો હતો. ૮૦ ફ્લેટમાંથી, રેસિડેન્ટ ડોકટરો લગભગ ૫૦-૬૦ ફ્લેટમાં રહેતા હતા. ઇમારતોના નામ અતુલ્યમ એક, બે, ત્રણ અને ચાર છે. આ બધા…

Read More