- Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો
- 3 ડિસેમ્બર 2026ના રોજ Prabhas ની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે જોરદાર ટક્કર
- હું ચૂપ નહીં રહું’ – સોનમ વાંગચુકના સમર્થનમાં ઉતરી બોલિવૂડ અભિનેત્રી Sonakshi Sinha
- પોતાના દીકરાનું નામ ‘રામ ખાન’ રાખવા માંગતો હતો Sohail Khan
- હું મરી જઈશ ત્યાં સુધી Salman Khan મારો પીછો નહીં છોડે…, એક્સ-ગર્લફ્રેન્ડ Somi Ali
- BCCI સચિવ સૈકિયા ICC સમીક્ષા સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત
- જ્યાં સુધી મેદાન પર Lionel Messi હાજર છે, આર્જેન્ટિનાની આશા જીવંત છે
- ‘Falkland અમારૂં છે’: Argentinaએ લહેરાવ્યું બેનર, થયો વિવાદ
Author: Vikram Raval
Rajkot,તા.૧૫ જિલ્લાના ગોંડલ શહેરમાંથી એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. ગોંડલ ડિવિઝનની ડીવાય એસપી કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના પોતાના રહેણાંક મકાનમાં જ મોટાપાયે જુગારધામ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાયની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને લાખોની રોકડ સાથે ૧૩ મહિલાઓને જુગાર રમતા ઝડપી પાડી છે, જ્યારે આરોપી હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો છે. આ ઘટના બાદ એસપી દ્વારા કડક પગલાં ભરીને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ડી-સ્ટાફના ૬ કર્મચારીઓની બદલી કરી દેવાતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર મામલાની વિગત એવી છે કે, રાજકોટ રેન્જ…
Ahmedabad,તા.૧૫ CM Bhupendra Patel આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જેમાં તેમના જન્મદિવસના અવસરે ગુજરાતના વડા તરીકેની જવાબદારીઓ વચ્ચે પણ આધ્યાત્મિકતા માટે સમય કાઢ્યો હતો. જેમાં તેઓ અડાલજ ત્રિમંદિર પહોંચ્યા હતા અને મંદિરમાં શીશ ઝુકાવ્યુ હતું. જન્મદિવસ પર મંદિર પહોંચેલા ભૂપેન્દ્ર પટેલે અહીંયા તેમને ગુજરાતના વિકાસની ગતિને વેગ આપવાના સંકલ્પ સાથે પ્રાર્થના કરી હતી. તેમના જન્મદિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સહિત રાજકીય નેતાઓ તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. જેમાં પીએમ મોદીએ શુભેચ્છા પાઠવતા લખ્યું કે,- “ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેઓ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવામાં અને લોકોની…
Ahmedabad,તા.૧૫ ઈસનપુર વિસ્તારમાં વર્ષ ૨૦૨૨માં બનેલા ચકચારી એસિડ એટેક કેસમાં સિટી સિવિલ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પાડોશમાં રહેતી મહિલાએ સોનાની ચેઈન લૂંટવાના ઈરાદે ૫૯ વર્ષીય મહિલા પર હાઈડ્રોક્લોરિક એસિડ ફેંકી જીવલેણ હુમલો કર્યો હોવાનો ગુનો સાબિત થતાં કોર્ટે ૬૪ વર્ષીય મહિલા આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. સાથે જ ભોગ બનેલી મહિલાને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ. ૩ લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે. પ્રિન્સિપાલ જજ હેમાંગ રાજેન્દ્ર રાવલે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, એસિડ હુમલાના કારણે પીડિત મહિલાની આંખોની દૃષ્ટિ પર ગંભીર અસર થઈ હતી અને તેમને શારીરિક તેમજ માનસિક રીતે ભારે નુકસાન સહન કરવું…
Junagadh ,તા.૧૫ લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલ જૂનાગઢના ભવનાથની પવિત્ર તળેટીમાં એવી ઘટના બની છે, જેણે સૌને ચોંકાવી દીધા છે. વર્ષોથી સાધુ વેશમાં એકલવાયું જીવન જીવતા એક આધેડની વાઘેશ્વરી માતાજીના મંદિરના ગેટ પાસે જાહેરમાં બેરહેમીથી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી છે. ઘટનાના પગલે ત્વરિત આરોપીઓને પોલીસે ઝડપીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. વિગતે વાત કરીએ તો, પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ઈશ્વરીયા ગામના વતની ૫૦ વર્ષીય ભરત જીવાભાઈ મકવાણા છેલ્લા ૧૨ વર્ષથી ઘર છોડીને ભવનાથમાં સાધુ તરીકે રહેતા હતા. છેલ્લા ઘણા વર્ષોથી તે ભવનાથ પોલીસ સ્ટેશનની સામે જ રહેતા અને એકલવાયું જીવન જીવતા હતા. બાર વર્ષ પહેલા પોતાના ઘરે હું…
Junagadh,તા.૧૫ લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજે સવારથી જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં કાળા વાદળો છવાઈ ગયા છે અને અનેક સ્થળોએ વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં લાંબી રાહ બાદ મેઘરાજાએ મહેર વરસાવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો હતો. વરસાદના આગમનથી છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી કાળઝાળ ગરમી અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે. વરસાદ બાદ સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ છે…
ઘરઘાટીએ વિદેશી ચલણ, સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતની મતા ચોરી કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી Ahmedabad, તા.૧૫ શહેરના પાલડીમાં આવેલા સુવિધા શોપિંગ સેન્ટર સામેની ગૌતમબાગ સોસાયટીમાં ચોરીની ઘટના બની છે. ન્યુ ક્લોથ માર્કેટના વેપારીના ઘરમાં જ કામ કરતા ઘરઘાટીએ નોકરીએ લાગ્યાના પાંચ માસમાં જ હાથ સાફ કરીને રાજસ્થાન ભેગો થઇ ગયો છે. ઘરઘાટીએ વિદેશી ચલણ, સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૪૯.૬૨ લાખની મતા ચોરી કરતા પાલડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાલડીમાં આવેલા સુવિધા શોપિંગ સેન્ટર સામે આવેલી ગૌતમબાગ સોસાયટીમાં રહેતા કરણ શાહ ન્યુ ક્લોથ માર્કેમાં દુકાન ધરાવીને કાપડનો વેપાર કરે છે. ગત તા.૯…
કોર્ટે ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ૩ લાખ ચુકવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ-મહેસાણાને દરખાસ્ત કરી Mehsana, તા.૧૫ વડનગર તાલુકાની એક સગીરાનું અપહરણ કરી સુરતમાં ભાડાની રૂમમાં રાખી દુષ્કર્મ ગુજારવાના કેસમાં વિસનગરના ગોઠવા ગામના આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે વિવિધ કલમો હેઠળ ૨૦ વર્ષ સખત કેદ અને કુલ રૂ.૨૫ હજાર દંડ ફટકાર્યો હતો.વિસનગર તાલુકાના ગોઠવા ઓખાજીપુરામાં રહેતો વિશાલજી ઉર્ફે જતીન હમરાજજી ઠાકોર તા.૧૬-૧૨-૨૪ના રોજ વડનગર તાલુકાની એક સગીરાને લગ્નની લાલચ આપીને તેણીનું અપહરણ કરીને સુરત લઈ ગયો હતો. સુરતમાં ભાડેથી રૂમ રાખીને વિશાલજીએ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે વિશાલજી ઠાકોર સામે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ સહિતની…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૫ઃ વાંકાનેર રેલ્વે કોલોની વિસ્તારમાં નવા પંપ હાઉસ પાસેથી રેલવેના ૪.૮૧ લાખની કિમતના ઇલેક્ટ્રિક કેબલના ૩ ડ્રમની ચોરી સામે આવી હતી ચોરીની ઘટના મામલે મુંબઈ હેડ ક્વાર્ટરથી તપાસના આદેશ છુટ્ટા છઙઋ ટીમે તપાસ હાથ ધરી રેલ્વે કર્મચારી સહીત ચાર ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે ગત તા. ૧૧ જુલાઈના ૨૫ ચોરસ મીમી ક્ષમતાનો ૫૧૭ મીટર લાંબો એક કેબલ અને ૩૫ ચોરસ મીમીના ૪૯૪ અને ૫૦૨ મીટર લાંબા કેબલ રાત્રીના અજાણ્યા ઇસમોએ ક્રેઇન જેવા ભારે મશીનનો ઉપયોગ કરીને કેબલના ૩ ડ્રમ ઊંચકી મીની ટ્રકમાં લઇ જઈને ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરોએ કુલ ૧૫૦૮ મીટર લાંબો…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૫ મોરબી જીલ્લામાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને પોલીસ ટીમો નાસતા ફરતા અને પેરોલ ફર્લો રજા પરથી જમ્પ થયેલ આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમીયાન ત્રિપલ મર્ડર ગુનામાં પેરોલ જંપ કરી ફરાર થયેલ ઈસમને ઝડપી લેવામાં ટીમને સફળતા મળી છે મોરબી એ ડીવીઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ મથકમાં ત્રિપલ મર્ડર ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપી પૈકી ભરત નારણભાઈ ડાભી રહે મોરબી કેનાલ રોડ વાડી વિસ્તાર વાળો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૧૪ દિવસની ફર્લો રજા મંજુર થઇ હતી અને તા. ૨૮-૧૦-૨૦૨૫ ના રોજ ફર્લો રજા પૂર્ણ થતા રાજકોટ જીલ્લા જેલ ખાતે હાજર નહિ…
માલપૂઆ -દિવ્ય સાયં શણગાર -ધ્વજારોહણ ધૂન -પાઠના વિવિધ કાર્યક્રમો (મીનાક્ષી ભાસ્કર દ્વારા) Prabhas Patan તા.૧૫ સોમનાથ- પ્રભાસ -પાટણ ખાતે નાના કોળીવાડામાં શ્રી રામદેવજી મહારાજના મંદિરે વહેલી સવારથી જ ભગવાનના મહાપ્રસાદ અર્થે પરંપરાગત રીતે માલપુડા બનાવવા શરૂ થઈ જશે જેમાં ૧૦૦થી વધુ કોળી સમાજના ભાઈબહેનો જોડાઈ સેવાઓ આપશે સાંજે શ્રી રામદેવજી મહારાજને બનેલા એ માલપુડા અર્પણ કરી થાળ ધરાવવામાં આવશે અને મહા આરતીમાં સૌ જોડાશે આ અગાઉ સવારે મંદિરે ધ્વજારોહણ કરાશે અને સાંજે મંદિર સંકુલમાં આશરે ચાર હજારથી ઉપર સંખ્યાના ભાવિકો સમૂહ પ્રસાદી આરોગશે તેમ નાના કોળીવાડાના પટેલ પ્રવીણભાઈ તથા સેક્રેટરી જગદીશ વાજાએ જણાવ્યું હતું પ્રભાસના સુપ્રસિદ્ધ દૈત્યસુદન મંદિરે જે અક્ષય…
