- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
- યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi
- Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત
- Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન
- American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે
- ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’
- આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી
- એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું
Author: Vikram Raval
Mumbai, તા.૮ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રવિવારે કટકમાં યોજાનાર બીજી વનડેમાં કેપ્ટન રોહિત શર્માના ફોર્મની સાથે સાથે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની ફિટનેસ પર પણ નજર રહેશે. કોહલી જમણાં ઘુંટણમાં સોજાને કારણે મેચ રમી શક્યો નહોતો. તેથી ૧૯ ફેબ્રુઆરીએ શરૂ થનાર ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેની ફિટનેસને લઈને ચિંતાના વાદળો ઘેરાયેલા છે. ભારતે નાગપુરમાં રમાયેલી પહેલી વનડેમાં ચાર વિકેટથી જીત નોંધાવીને ૩ મેચની સિરિઝમાં લીડ મેળવી લીધી છે અને તેનું લક્ષ્ય પોતાનું વિજય અભિયાન યથાવત રાખી સિરીઝ જીતવાનું રહેશે. કોહલી જો ફિટ થઈને ટીમમાં વાપસી કરે છે, તો તેના ફોર્મ પર પણ નજર હશે. કેમ કે તે છેલ્લા કેટલાક સમયથી રન બનાવવા…
૧૯ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બાદ રોહિત શર્માના ભવિષ્ય પર નિર્ણય થઈ શકે Mumbai, તા.૮ ચેમ્પિયન્સ ટ્રોફીનું પરિણામ રોહિત શર્માના ભવિષ્ય પર નિર્ણય કરી શકે છે. ટીમ ઈન્ડિયામાં એક વિસ્ફોટક ખેલાડી એવો છે, જે રોહિત શર્મા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો વનડે કેપ્ટન બની શકે છે. એક રિપોર્ટ અનુસાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા જલ્દી ભારતીય ટીમનો વનડે કેપ્ટન બની શકે છે. લાંબા સમયથી હાર્દિક પંડ્યાને રોહિત શર્માનો ઉત્તરાધિકારી જોવામાં આવી રહ્યો છે. હાર્દિક પંડ્યા આ પહેલા સ્ટેન્ડઈન કેપ્ટન રહી ચૂક્યો છે. પરંતુ પાછલા વર્ષે ટી૨૦ વિશ્વકપ બાદ બીસીસીઆઈએ અચાનક સૂર્યકુમાર યાદવને ભારતનો ફુલ ટાઈમ ટી૨૦ કેપ્ટન બનાવી દીધો…
Bharuch,તા.૮ ગુજરાત અને દેશભરમાંથી દર વર્ષે હજારો યુવાનો અને યુવતીઓ અભ્યાસ અને નોકરી માટે વિદેશ જાય છે, ત્યારે ગુજરાતના ભરૂચના ત્રણ યુવાનો રોજગારની શોધમાં દક્ષિણ આફ્રિકા ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ત્રણ યુવાનો કામ પર જઈ રહ્યા હતા ત્યારે દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક તેમની કાર એક મિનિબસ સાથે અથડાઈ હતી. આ સમગ્ર ઘટનામાં કારમાં અચાનક આગ લાગી ગઈ અને ભરૂચના ત્રણ યુવાનો દાઝી જવાથી મૃત્યુ પામ્યા. ભરૂચના ત્રાલસા કોઠી ગામના યુવાનો શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. તેઓ કારમાં અન્ય ત્રણ યુવાનો સાથેકામ અર્થે જઇ રહ્યા હતા ત્યારે દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ…
Vadodara ,તા.૮ વડોદરા જીલ્લાના કરજણ નગરપાલિકાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપે ૮ હોદ્દેદારોને સસ્પેન્ડ કરાતા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં પાદરાની વડુ, શિનોર તાલુકાની સાઘલી-૨, વડોદરા તાલુકાની કોયલી-૧, દશરથ-૧ અને નંદેસરી બેઠકનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં, પાલિકા, નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે કરજણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ કામગીરી કરનાર ૮ હોદ્દેદારોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરા જીલ્લા ભાજપ સંગઠન છોડી ભાજપ વિરૂદ્ધ કામગીરી કરતા પક્ષે આકરી કાર્યવાહી કરી છે. વડોદરાની કરજણ નગરપાલિકામાં કુલ ૭ વોર્ડમાં ચૂંટણી યોજાશે. ભાજપ દ્વારા વોર્ડ…
Lucknow,તા.૮ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. દિલ્હીની ૭૦ વિધાનસભા બેઠકો માટે ૫ ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, જેના પરિણામો આજે શનિવાર, ૮ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી છે. તે જ સમયે, દિલ્હીમાં ૧૦ વર્ષથી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને સત્તા પરથી દૂર કરવામાં આવી છે. હવે સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે આમ આદમી પાર્ટીની હાર પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સપાએ આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો હતો. સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામો પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું…
Junagadh,તા.૮ કેશોદ ફાગડી રોડ ઉપર આવેલા તોરણીયા આશ્રમમાં શંકરદાસ ગુરુ નિર્ભયદાસજી ઘણા વર્ષોથી સંચાલન કરી રહ્યા છે.છ મહિના પહેલા સિધ્ધરાજ મુનિ નામના એક સાધુ અહીં આવ્યા હતા અને શંકરદાસ બાપુ એ તેમને તોરણીયા આશ્રમમાં આશરો આપ્યો હતો.છ મહિના સુધી આ સાધુનું વર્તન ખૂબ જ સારું રહ્યું હતું પરંતુ ત્યારબાદ આ સાધુએ તેના અન્ય જાણીતા સાધુને તોરણીયા આશ્રમમાં બોલાવ્યા હતા અને આ બંને સાધુએ મળીને આશ્રમમાં જ દારૂ ચરસ ગાંજા જેવી ચીજ વસ્તુઓ લાવી મહેફિલો માણતા હતા અને ગેર પ્રવૃતિ શરૂ થઈ હતી. ત્યારે આશ્રમ ના મહંત શંકર દાસ બાપુએ ધાર્મિક જગ્યામાં આવી પ્રવૃત્તિ ન કરવાની મનાઈ કરી અને ઠપકો આપ્યો…
Ahmedabad,તા.૮ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘બેક ટુ બેઝિક’ના મંત્ર દ્વારા સ્વસ્થ જીવનનો રાહ દેશ અને દુનિયાને બતાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અમદાવાદ જિલ્લાના ૩ અને જામનગર જિલ્લાના ૧ ગોડાઉન કોમ્પલેક્ષનું ઈ – લોકાર્પણ પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને હંમેશા સ્વાસ્થ્ય માટે જાગૃત થવા પ્રેરણા આપે છે. તેમના વિઝનરી…
આપણાં પુરાણોમાં બધા જ રોગોનો ઉપચાર છે જ, આજે ટેક્નોલૉજીની મદદથી તેને ઉજાગર કરવાનો સમય છે Ahmedabad ,તા.૮ અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ-૨૦૨૫નો શુભારંભ કરાવ્યો હતો તેમજ પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું હતું. આ તકે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ મંત્રને યાદ કરતાં કહ્યું કે આજે આપણને ટેક્નોલૉજીની દૃષ્ટિએ જે નવીન લાગે છે એવી અનેક વિરાસત આપણી પાસે, આપણાં પુરાણોમાં પડેલી છે. આ માટે તેમણે ગણેશજીનું ઉદાહરણ આપતાં કહ્યું કે પુરાણોમાં દર્શાવેલી આ ઘટના પણ ટ્રાન્સપ્લાન્ટેશનનું જ ઉદાહરણ છે. આપણે આ…
Ahmedabad,તા.૮ સ્વસ્થ નાગરિક- સ્વસ્થ દેશ’નું નિર્માણ કરે છે. જ્યારે, ગુજરાત ટી.બી., પોલીયો જેવા વિવિધ પ્રકારના ગંભીર રોગોને જડમૂળથી નાશ કરવા રાજ્ય સરકાર હરહંમેશ ખડેપગે રહે છે. તેવી જ રીતે, ફાઈલેરિયા એટલે કે, ‘હાથીપગા રોગ’ને નાબૂદ કરવા આગામી તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ‘માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશન’ એટલે કે સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો બીજો તબક્કો હાથ ધરવામાં આવશે. તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરા આયોજન કરવામાં આવી રહ્યા છે. ‘હાથીપગા રોગ મુક્ત ગુજરાત’નું નિર્માણ કરવા કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધીનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં કેન્દ્રના આ લક્ષ્યાંકને હાંસલ…
આજનો ઐતિહાસિક વિજય કોઈ સામાન્ય વિજય નથી. દિલ્હીના લોકોએ આપત્તિ ટાળી,વડાપ્રધાન મોદી રાજકારણમાં શોર્ટકટ, જૂઠાણું અને કપટ માટે કોઈ સ્થાન નથી. જનતાએ શોર્ટકટ રાજકારણને શોર્ટ સર્કિટ કર્યું. New Delhi,તા.૮ દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતીને, ભાજપે ૨૭ વર્ષનો દુષ્કાળ સમાપ્ત કર્યો છે. ચૂંટણીમાં ભારે બહુમતીથી જીત મેળવ્યા બાદ ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વિજય ઉજવણીમાં જોડાઈ ગયા હતાં અને તેઓ કાર્યકરોને સંબોધવા માટે ભાજપ મુખ્યાલય પહોંચ્યા હતાં અહીં તેઓએ દિલ્હીના કાર્યકરો અને લોકોને જીત માટે અભિનંદન આપ્યા હતાં પીએમ મોદીએ કહ્યું કે આજે દિલ્હીના લોકોમાં ઉત્સાહ અને શાંતિ છે. મેં દિલ્હીમાં દરેકને ભાજપને સેવા કરવાની તક આપવાની અપીલ…
