- યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi
- Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત
- Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન
- American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે
- ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’
- આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી
- એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું
- રશિયા સાથેના યુદ્ધ વચ્ચે, યુક્રેનના વડા પ્રધાનને બદલવામાં આવ્યા છે.Serhiy Koretskyને હવે પીએમ પદની જવાબદારી
Author: Vikram Raval
Morbi,તા.10 મકનસર (પ્રેમજીનગર) ગામે રહેતી ૨૨ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવી લીધું હતું આપઘાતના બનાવ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે મોરબી તાલુકાના મકનસર (પ્રેમજીનગર) ના રહેવાસી જયશ્રીબેન કિશનભાઈ જોષી (ઉ.વ.૨૨) નામની પરિણીતાએ ગત તા. ૦૮ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મૃતકનો લગ્નગાળો ૩ વર્ષનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે
આજે આપણે ભગવાન પરશુરામ ઋષિના જીવનચરીત્ર વિશે ચિંતન કરીશું.બ્રહ્માજીના પૂત્ર રાજા કુશના ચાર પૂત્રોમાં કુશનાભ બીજા નંબરના પૂત્ર હતા.રાજા કુશનાભે પૂત્ર પ્રાપ્તિ માટે પૂત્રેષ્ટિ યજ્ઞ કર્યો જેના ફળ સ્વરૂપે ગાધિ નામના પરમ ધર્માત્મા પૂત્ર થયા.રાજા ગાધિની સત્યવતી નામની એક કન્યા હતી જેને ભૃગુકુળના મહર્ષિ ઋચિક મુનિ સાથે પરણાવી હતી. “તમામ લોકો લગ્ન કરીને સાંસારીક સુખ ભોગવતા હોય છે પરંતુ ઋચિક લગ્ન પછી પણ પોતાની પત્ની સત્યવતીને સાથે રાખીને પ્રભુ ભક્તિ અને તપમાં લાગેલા રહે છે.એકવાર સત્યવતી કહે છે કે મારે સાંસારીક સુખ ભોગવવું છે ત્યારે ઋચિક કહે છે તમે સુંદરતાની મૂર્તિ છો,તમારૂં રૂપ જોઇને હું ગાંડો થયો હતો. હું સૌદર્યનો ઉપાસક છું ભક્ષક નથી. ત્યારે સત્યવતી વિનંતી કરે છે કે…
કેવડાવાદી, આકાશદીપ સોસાયટી, શક્તિ સોસાયટી, શીતલ પાર્ક અને નવાગામ મળી રૂ ૧.૦૩ લાખનો મુદ્દામાલ કબ્જે Rajkot,તા.08 શહેર પોલીસે બુટલેગરો પર ધોંસ બોલાવી, કેવડાવાડીમાં , નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં , કુવાડવા ગામે અને શીતલ પાર્ક નજીક વિદેશી દારૂના દરોડા પાડી,વિદેશી દારૂની ૨૩૭ બોટલ અને ૨૪ બિયર ના ટીન મળી રૂ.૧.૦૩ લાખાના મુદ્દામાલ સાથે ચાર બુટલેગરોને ઝડપી લીધા છે.બનાવવાની પ્રાપ્ત વિગત મુજબ શહેરના કેવડાવાડી શેરી નંબર ૪/ ૨૨ માં રહેતો છત્રસિંહ પથુભા ઝાલા નામનો શખ્સે તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની ક્રાઈમ બ્રાન્ચ ને મળેલી બાતમીના આધારે ટીમે મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની ૧૧૫ બોટલ અને મોબાઈલ મળી, રૂ ૮૨ હજારના…
ખેડૂત પ્રમાણપત્ર નો દાખલો કાઢી આપવા બાબતે લાંચ લેતા ગ્રામ પંચાયતના કર્મચારી એસીબી ના છટકામાં સપડાયો Morbi,તા.08 મોરબી પંથકના વજેપર (માધાપર) ના ખેડૂતને ખાતેદારનું પ્રમાણપત્ર આપવા ના મુદ્દે રૂપિયા પાંચ હજારની લાંચ લેતા ઝડપાયેલા જયદીપસિંહ જાડેજા ને કોર્ટે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ મોરબી પંથકમાં રહેતા અજય મનજી જાદવ એ ખેડૂત ખાતેદારનો પ્રમાણપત્ર મેળવવા માટે વકીલ પ્રદીપ કુમાર ધનજીભાઈ કનજારિયા એ અરજી કરી હતી. છે ખેડૂત પ્રમાણે પત્રમાં અભિપ્રાય આપવાના બહાને જયદીપસિંહ જાડેજાએ ₹5,000 ની માગણી કરી હતી.તેમજ ગામ નમુના 2માં નોંધ કરાવવા અને વારસાઈ આંબો મેળવવા વાતચીત બાબતે તેઓએ અગાઉ આપેલ અભિપ્રાય પેટે 5…
લગ્નમાં હાજર બુટલેગર લખન મેરુ ચાવડાને પકડવા ગયેલ પોલીસ પર હુમલાની ઘટનામાં તાલુકા પોલીસમાં નવ શખ્સોં વિરુદ્ધ ફરિયાદ Junagadh,તા.08 જૂનાગઢમાં બુટલેગરને પકડવા ગયેલા પીઆઈ પર હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામો છે. દારૂના ગુનામાં ફરાર બુટલેગર લખન મેરુ ચાવડા લગ્ન પ્રસંગમાં હાજર બુટલેગરને પકડવા ગયેલા પીઆઈ પર નવેક શખ્સોંએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પીઆઈ વત્સલ સાવજને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જયારે બીજી બાજુ નવ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. મામલામાં જૂનાગઢ સીટી સી ડિવિઝન પોલીસમાં પીઆઈ વત્સલકુમાર જયંતીલાલ સાવજએ સરકારી હોસ્પિટલના બિછાનેથી નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે હું તથા…
ત્રણ ફાયર ફાઈટરો એ પાણીનો મારો ચલાવી ત્રણ કલાકના અંતે આગને કાબુમાં લીધી મોટા પ્રમાણમાં કેમિકલ નો જથ્થો બળીને ખાખ શ્રમિકો સમયસર બહાર નીકળી જતા જાનહાની ટળી આગનું કારણ અકબંધ Rajkot,તા.08 શહેરના મોરબી રોડ પર આવેલા કાગદળી ગામ નજીક કોઠારીયા રોડ પર આવેલા અર્થવિલ ફોર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં આજે આશરે 11:00 વાગ્યાના સુમારે આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા રામાપીર ચોકડી અને રેલવે ફાયર સ્ટેશન દ્વારા ફાયર ફાઈટરને દોડાવી ત્રણ કલાકના અંતે આગ પર કાબુ મેળવ્યો હતો અર્થ વિલ ફોર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ફોર્મના ગાદલા બનાવે છે અને છેલ્લા પાચક દિવસમાં મોટા પ્રમાણમાં કેમિકલ નો જથ્થો આવ્યો…
New Delhi, તા.૮ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી સીટ પરથી ભાજપના પ્રવેશ વર્માએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલને કરારી ધોબીપછાડ આપી છે. પ્રવેશ વર્માએ આ સીટ પર ભવ્ય જીત મેળવતા ભગવો લહેરાવી દીધો છે. પ્રવેશ વર્મા અવારનવાર તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે આજે પણ ભાજપની જીત પર તેમણે એક મોટુ નિવેદન આપ્યુ છે. પ્રવેશ વર્માએ દિલ્હીમાં ભાજપની જીત પર જણાવ્યુ છે કે દિલ્હીમાં પણ યમુના રિવરફ્રન્ટ બનશે. ગુજરાત મોડલ દિલ્હીમાં લાગુ કરાશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ જેવો દિલ્હીમાં પણ યમુના રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. વર્ષ ૨૦૧૩માં પ્રવેશ વર્માએ મહરૌલી વિધાનસભા સીટથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા યોગાનંદ…
તેમણે કહ્યું, કોંગ્રેસને આ ચૂંટણીમાં સારા પ્રદર્શનની આશા હતી : જોકે, પાર્ટીએ પોતાનો વોટ હિસ્સો વધાર્યો છે New Delhi, તા.૮ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન આપતાં કહ્યું કે, ૨૦૨૫ની દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર લોકમત સિવાય બીજું કંઈ નથી. તેમણે કહ્યું કે, ૨૦૧૫ અને ૨૦૨૦ માં જ્યારે વડાપ્રધાનની લોકપ્રિયતા ચરમસીમાએ હતી, ત્યારે પણ છછઁ એ દિલ્હીમાં નિર્ણાયક જીત મેળવી હતી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, ’દિલ્હી ચૂંટણી પરિણામો વડાપ્રધાનની નીતિઓ પર મહોર નથી, પરંતુ, આ જનાદેશ અરવિંદ કેજરીવાલના કપટ, છેતરપિંડી અને સિદ્ધિઓના અતિશયોક્તિપૂર્ણ દાવાઓની રાજનીતિને નકારી કાઢે છે.…
Mumbai, તા.૮ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રવિવારે કટકમાં યોજાનાર બીજી વનડેમાં કેપ્ટન રોહિત શર્માના ફોર્મની સાથે સાથે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની ફિટનેસ પર પણ નજર રહેશે. કોહલી જમણાં ઘુંટણમાં સોજાને કારણે મેચ રમી શક્યો નહોતો. તેથી ૧૯ ફેબ્રુઆરીએ શરૂ થનાર ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેની ફિટનેસને લઈને ચિંતાના વાદળો ઘેરાયેલા છે. ભારતે નાગપુરમાં રમાયેલી પહેલી વનડેમાં ચાર વિકેટથી જીત નોંધાવીને ૩ મેચની સિરિઝમાં લીડ મેળવી લીધી છે અને તેનું લક્ષ્ય પોતાનું વિજય અભિયાન યથાવત રાખી સિરીઝ જીતવાનું રહેશે. કોહલી જો ફિટ થઈને ટીમમાં વાપસી કરે છે, તો તેના ફોર્મ પર પણ નજર હશે. કેમ કે તે છેલ્લા કેટલાક સમયથી રન બનાવવા…
