Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
    • Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
    • Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
    • રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
    • વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
    • 18 જુલાઈનું પંચાંગ
    • 18 જુલાઈનું રાશિફળ
    • PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Bhupendra Patel ના હસ્તે અમદાવાદમાં એચસીજી આસ્થા’ કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન
    અમદાવાદ

    Bhupendra Patel ના હસ્તે અમદાવાદમાં એચસીજી આસ્થા’ કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન

    Vikram RavalBy Vikram RavalApril 19, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૯

    એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલની ટીમને શુભેચ્છા પાઠવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને સરળતાએ સ્વાસ્થ્ય અંગેની ઉત્તમ સેવાઓ આપવા રાજ્ય સરકાર હંમેશાં તત્પર છે. સરકારને સહયોગ આપવા રાજ્યની અનેક હોસ્પિટલ દ્વારા પણ જરૂરિયાતમંદ દર્દીઓની મદદ માટે ટ્રસ્ટ ઊભું કરવામાં આવે છે એવું જ એક ટ્રસ્ટ એચસીજી આસ્થા હોસ્પિટલમાં દ્વારા પણ ઊભું કરવામાં આવ્યું છે, જે કેન્સરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

    એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલની વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓની સારવાર માટે અનુભવી ડોક્ટર્સની ટીમ કાર્યરત છે, જેનો લાભ કેન્સરના દર્દીઓએ મળશે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે ‘એચસીજી આસ્થા’ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે ખૂબ સારી સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. સાથોસાથ કેન્સરની સારવાર માટે વિશ્વસ્તરનું ઓપરેશન થિએટર પણ અહીં ઊભું કરવામાં આવ્યું છે, જેનાથી કેન્સરની સારવાર વધુ અસરકારક રીતે કરી શકાશે.

    નાગરિકોની જીવનશૈલી અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગથી લઈને આયુષ્માન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ત્યારે સૌ કોઈએ રોજિંદા વ્યવહારમાં પોતાની જીવનશૈલીનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ, જેનાથી શરીરની સ્વસ્થતા જળવાઈ રહે તેમ તેમણે ઉમેર્યું હતું.

    આ તકે હોસ્પિટલના રિજનલ ડાયરેક્ટર ભરત ગઢવીએ જણાવ્યું કે એચસીજી આસ્થા હોસ્પિટલ ખાતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ટેકનોલોજી આધારિત સર્વાંગી મોડલ છે. જેનાથી અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને આસપાસનાં રાજ્યોના દર્દીઓને ઉચ્ચ કક્ષાની અને અસરકારક કેન્સરની સારવાર મળી રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલ ૨૧૭ બેડની ક્ષમતા ધરાવે છે. જેમાં ૨૩ સર્જિકલ આઇસીયુ બેડ, ૧૦ મેડિકલ આઇસીયુ બેડ, ૨૩ ડે-કેર બેડ, ૧૬ પ્રી અને પોસ્ટ-ઓપરેટિવ બેડ અને ૬ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટનો સમાવેશ થાય છે. આ નવા યુનિટથી ૩૦ થી ૪૦ ટકા જેટલી સંખ્યામાં વધારે દર્દીઓને સારવાર મળી શકશે. જેનાથી વાર્ષિક ૫૫ હજારથી વધુ બહારના અને ૭ હજાર જેટલા સ્થાનિક દર્દીઓને સારવાર આપી શકાશે. ૧૦૦થી વધુ ઘરેલુ અને મલ્ટિટેલેન્ટેડ ડોક્ટરોની ટીમ દ્વારા સર્જિકલ, મેડિકલ અને રેડિયેશન ઓન્કોલોજી, ન્યુક્લિયર મેડિસિન, પીડિયાટ્રિક હેમેટો-ઓન્કોલોજી અને એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક્સમાં સરળતાથી અને પ્રાથમિક સારવારથી લઈ છેલ્લે સુધીની સારવાર પ્રદાન કરે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

    આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન અજયકુમાર, હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના સીઇઓ રાજગોરે તેમજ એચસીજી  આસ્થા કેન્સર સેન્ટરના તબીબોની સમગ્ર ટીમ તેમજ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

    July 17, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

    July 17, 2026
    અમદાવાદ

    Ahmedabad: રથયાત્રામાં ૧૦૮ ઈમરજન્સી સેવાની ત્વરિત કામગીરી, ૫૩ મેડિકલ કેસ નોંધાયા

    July 17, 2026
    અમદાવાદ

    Ahmedabad: અબુધાબીથી આવેલી મહિલા પાસેથી ૩૪.૨૯ લાખના બે ગોલ્ડ બિસ્કિટ જપ્ત

    July 17, 2026
    અમદાવાદ

    સૌથી વધુ પ્લેટફોર્મ મામલે Ahmedabad નુ રેલવે સ્ટેશન દેશમાં 6ઠ્ઠા ક્રમે

    July 17, 2026
    અમદાવાદ

    Gujarat પર આતંકી `ડોળો’?! વધુ પાંચ શકમંદ ત્રાસવાદી ઝબ્બે : ATS નુ ઓપરેશન

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026

    રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬

    July 17, 2026

    વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!

    July 17, 2026

    18 જુલાઈનું પંચાંગ

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.