Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat માં સરકારી પ્રમાણપત્રમાં QR કોડ ફરજીયાત

    July 18, 2025

    Lok Mela માં રાઈડ્સ માટે માર્ગ ખુલ્યો! SOP માં છુટ્ટછાટ

    July 18, 2025

    Gandhinagar ના છત્રાલમાં 3 હોમગાર્ડ પર ‘એસિડ એટેક’ : એક મહિલા જવાન દાઝી

    July 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat માં સરકારી પ્રમાણપત્રમાં QR કોડ ફરજીયાત
    • Lok Mela માં રાઈડ્સ માટે માર્ગ ખુલ્યો! SOP માં છુટ્ટછાટ
    • Gandhinagar ના છત્રાલમાં 3 હોમગાર્ડ પર ‘એસિડ એટેક’ : એક મહિલા જવાન દાઝી
    • China પાણીમાં બનાવશે ડેટા સેન્ટર, સર્વરને હંમેશા ઠંડુ રાખવા
    • શરીરને સુંદર,આકર્ષક અને ચુસ્ત બનાવવા માટેનો શ્રેષ્ઠ અને સરળ માર્ગ Aerobics
    • Maharashtra માં હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના તમામ અનુસૂચીત જાતિના પ્રમાણપત્રો રદ થશે
    • અણુશસ્ત્ર વહન કરી શકતાAgni-1 and Prithvi-2 missiles નું સફળ પરિક્ષણ
    • Fire Cash Scandal : જસ્ટીસ વર્મા સુપ્રીમમાં : તપાસ સામે પ્રશ્ન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…જો સરદાર પટેલની સલાહ માની લેવાઈ હોત
    લેખ

    તંત્રી લેખ…જો સરદાર પટેલની સલાહ માની લેવાઈ હોત

    Vikram RavalBy Vikram RavalMay 30, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભારતની આઝાદી બ ાદથી જ કાશ્મીરનો મુદ્દો દેશ માટે એક મોટી સમસ્યા બની ગયો છે. કાશ્મીરને લઈને ત્રણ યુદ્ઘ ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ ચૂક્યાં છે અને ૯૦ના દાયકાથી પાકિસ્તાને કાશ્મીરને આતંકવાદ દ્વારા અશાંત કર્યું છે. હંમેશાં એ વાત કહેવામાં આવે છે કે પંડિત નેહરુ જ કાશ્મીર સમસ્યા માટે જવાબદાર છે, જો તેમણે કાશ્મીરના ભારતમાં વિલય સમયે દિલથી નહીં દિમાગથી વિચાર્યું હોત તો આજે સ્થિતિ કંઇક જુદી હોત. પીએમ મોદીએ હાલમાં જ આ વાતને ઉખેડી છે અને કહ્યું કે આઝાદી બાદ પંડિત નેહરુએ સરદાર પટેલનું ન સાંભળ્યું, જો સાંભળ્યું હોત તો કાશ્મીરની આ હાલત ન હોત.

    ભારતના ભાગલા બાદથી જ પાકિસ્તાને કાશ્મીરને પડાવી લેવા માટે ખોટા પ્રયાસ કર્યા છે. આઝાદીના તરત બાદ જ તેણે કબીલાઇઓ દ્વારા જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે જમ્મુ-કાશ્મીરના કેટલાક હિસ્સા પર પાકિસ્તાનનો કબ્જો છે. એ જ પાક અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાન આતંકવાદીઓને શરણ આપે છે, તેમના માટે ટ્રેનિંગની વ્યવસ્થા કરે છે અને ભારતને આતંકવાદની આગમાં બાળતું રહે છે. ૧૯૪૮માં જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ઘ થઈ રહ્યું હતું તો પંડિત નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચે કાશ્મીર મુદ્દે કેટલાક મતભેદો હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે જો એ સમયે સરદાર પટેલની સલાહ માની લેવાઇ હોત તો આપણે પહેલગામ હુમલો ન જોવો પડ્યો હોત. વડાપ્રધાનના આ નિવેદનનો અર્થ એ છે કે કાશ્મીરને લઈને તત્કાલીન વડાપ્રધાન નેહરુથી કેટલીક ભૂલો થઈ, જેનું નુક્સાન આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ. તેઓ એમ પણ કહેવા માગે છે કે સરદાર પટેલ એ સમયે સાચા હતા, જો તેમની વાત માની લીધી હોત તો આજે પરિસ્થિતિઓ અલગ હોત.

    પંડિત નેહરુ અને સરદાર પટેલ બંને એ વાતે સહમત હતા કે કાશ્મીરને ભારતનું અંગ હોવું જોઇએ. જ્યારે આઝાદી સમયે કાશ્મીરે વિલય પત્ર પર હસ્તાક્ષર ન કર્યા અને સ્વતંત્ર રહેવાની ઇચ્છા વ્યક્ત કરી તો નેહરુ અને પટેલ બંનેને આ વાત પસંદ નહોતી પડી. ભારતીય વિદેશ સેવાના અધિકારી સી.દાસગુપ્તાએ પોતાના પુસ્તક ‘વોરએન્ડ ડિપ્લોમસી ઇન કાશ્મીર, ૧૯૪૭-૪૮’માં એ સ્પષ્ટ લખ્યું છે કે પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ બંને કાશ્મીર સ્વતંત્ર કે તટસ્ત રહેવાના પક્ષમાં ન હતા. બંનેનું માનવું હતું કે કાશ્મીરનું સ્વતંત્ર રહેવું ભાતની સુરક્ષા અને સંપ્રભુતા માટે ખતરો બનશે. હા, એ પણ એક સચ્ચાઈ છે કે કાશ્મીરના મુદ્દાને સરદાર પટેલ સૈન્ય કાર્યવાહીથી હલ કરવા માગતા હતા, જ્યારે નેહરુ કૂટનીતિક રીતે.

    કાશ્મીરને લાલચુ નજરોથી જોનારું પાકિસ્તાન કોઇપણ સ્થિતિમાં કાશ્મીરને હડપવા માગતું હતું. આ માનસિકતાને કારણે જ્યારે ભારતના ભાગલા થયા અને દેશના ત્રણ ટુકડા થયા તો પાકિસ્તાન કાશ્મીરને પડાવી લેવા માગતું હતું, કારણ કે આઝાદી સમયે કાશ્મીરે સ્વતંત્ર રહેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. તે ના તો ભારત સાથે હતું અને ના પાકિસ્તાન સાથે. આ જ વાતનો ફાયદો ઉઠાવતાં પાકિસ્તાને કબીલાઇઓની મદદથી ત્યાંના રાજા હરિસિંહ પર હુમલો કરી દીધો. હુમલા બાદ રાજા હરિસિંહે ભારત પાસે મદદ માગી. નેહરુ અને પટેલ ંબને એ સમયે કાશ્મીરને સૈન્ય મદદ આપવાના પક્ષધર હતા, પરંતુ અંગ્રેજોએ તેમને રોક્યા. તેમનું માનવું હતું કે જો ભારત એક સ્વતંત્ર રાષ્ટ્રની મદદ કરશે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ઘ છેડાઈ જશે. તેમણે વિલય પત્ર વિના કાશ્મીરને મદદ કરવાથી રોક્યું હતું. કાશ્મીરે જ્યારે વિલયપત્ર પર હસ્તાક્ષર કર્યા, ત્યારે જઈને ભારત કાશ્મીરમાં સૈન્ય કાર્યવાહી કરી શક્યું. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે સરદાર પટેલ કાશ્મીર મુદ્દા પર નિર્ણાયક સૈન્ય કાર્યવાહીના પક્ષધર હતા, જ્યારે નેહરુ વધારે કૂટનીતિક દૃષ્ટિકોણ અપનાવવા માગતા હતા. કાશ્મીર મુદ્દો બ્રિટિશ અધિકારીઓની ભૂમિકા અને નેહરુ-પેટલ વચ્ચે મતભેદોને કારણે ઘણું જટિલ થઈ ગયું હતું.

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…અમેરિકાની નકામી ધમકી, ભારતે પોતાની રણનીતિ બદલવી પડશે

    July 17, 2025
    લેખ

    વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ૧૭ જુલાઈ ૨૦૨૫

    July 16, 2025
    ધાર્મિક

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-11/12

    July 16, 2025
    લેખ

    તંત્રી લેખ…અભિવ્યક્તિની સ્વતંત્રતા, વાંધાજનક પોસ્ટ માટે સુપ્રીમ કોર્ટની ચેતવણી

    July 16, 2025
    લેખ

    ગુજરાતમાં માર્ગ સલામતી અને માર્ગ સંરક્ષણ માટે એક મહત્ત્વપૂર્ણ એપ્લિકેશન એટલે GujMarg

    July 15, 2025
    લેખ

    ભારતભરમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન થશે

    July 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat માં સરકારી પ્રમાણપત્રમાં QR કોડ ફરજીયાત

    July 18, 2025

    Lok Mela માં રાઈડ્સ માટે માર્ગ ખુલ્યો! SOP માં છુટ્ટછાટ

    July 18, 2025

    Gandhinagar ના છત્રાલમાં 3 હોમગાર્ડ પર ‘એસિડ એટેક’ : એક મહિલા જવાન દાઝી

    July 18, 2025

    China પાણીમાં બનાવશે ડેટા સેન્ટર, સર્વરને હંમેશા ઠંડુ રાખવા

    July 18, 2025

    શરીરને સુંદર,આકર્ષક અને ચુસ્ત બનાવવા માટેનો શ્રેષ્ઠ અને સરળ માર્ગ Aerobics

    July 18, 2025

    Maharashtra માં હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના તમામ અનુસૂચીત જાતિના પ્રમાણપત્રો રદ થશે

    July 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat માં સરકારી પ્રમાણપત્રમાં QR કોડ ફરજીયાત

    July 18, 2025

    Lok Mela માં રાઈડ્સ માટે માર્ગ ખુલ્યો! SOP માં છુટ્ટછાટ

    July 18, 2025

    Gandhinagar ના છત્રાલમાં 3 હોમગાર્ડ પર ‘એસિડ એટેક’ : એક મહિલા જવાન દાઝી

    July 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.