New Delhi,તા.01
કદાચ તેમાં આ આંકડો ગણી પણ શકશો નહી પણ કામ કરતી સરકાર હોય કે નેરેટીવ પર ચાલતી કોઈ સરકાર હોય સરકારની યોજનાઓ પ્રોજેકટ જે વિલંબથી ચાલી રહ્યા છે. તેના કારણે અરબોનો વધારાનો બોજો જનતા પર થાય છે.
હવે તે કહેવી ફેશન બની ગઈ છે કે કોઈ યોજનાનું ખાતમુર્હુત અમો કરીએ છીએ અને ઉદઘાટન પણ આમ જશ ખાટવામાં આવશે પણ એ જાહેર કરાતુ નથી કે છતા પણ યોજનામાં જે વિલંબ થયો તેના કારણે બજેટ કેટલા વધી ગયા છે.
હાલમાં જ એક રિપોર્ટ મુજબ સરકારી મળતા પ્રોજેકટ જેવો જમીન સંપાદનથી ટેન્ડર, બાંધકામ, મશીનરી અને કાર્યાન્વીત કરવાની પ્રક્રિયા છે અને તેના લાભ લોકોને મળવાનું શરૂ થાય તેવા કુલ 1981 પ્રોજેકટ હાલ દેશમાં ચાલી રહ્યા છે તેથી પ્રોજેકટમાં વિલંબથી રૂા.5.65 લાખ કરોડનો ખર્ચ-બજેટ વધી ગયુ છે છતા કોઈ તેની ચિંતા કરતું નથી. આ પૈસા તો જનતાના નાણાનો વેડફાટ જ છે.
ખુદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નવ રાજયોમાં ફેલાયેલા સાત પ્રોજેકટની સમીક્ષા કરી તેમાં તેઓએ જે રીતે વિલંબ થઈ રહ્યો છે તેના પર ચિંતા કરી વાસ્તવમાં આ પ્રકારનો વિલંબ એ ફકત ખર્ચ નહી આ યોજનાના લાભો જે મળવાના હોય તેમાં પણ વિલંબથી તે નુકશાની તો આંકડામાં ગણતરી થાય નહી. તેવી મોટી હોય છે.
આ પ્રોજેકટમાં સ્કુલ, હોસ્પીટલો જેવી સુવિધા છે જેનું નુકશાન તો ગણી જ શકાતુ નથી. હવે વેસ્ટર્ન કોરીડોરનો જ દાખલો લો આ માટે રૂા.51101 કરોડનું બજેટ ફાળવાયુ જે 2022 સુધી પુરો થઈ જવો જોઈતો હતો પણ તે 2026માં પુરો થયો ખર્ચ થયો રૂા.1.24 લાખ કરોડ મતલબ કે ડબલ થયો. ઉદઘાટનમાં ખુદની પીઠ થાબડવામાં આવી પણ એ કહેવાયુ નહી કે ચાર વર્ષ મોડુ થયુ.
પ્રજાના ડબલ નાણા વેડફાયા તેના માટે પણ અમોજ જવાબદાર છીએ. ગંભીર બાબત તો એવી છે કે દેશમાં કુલ આવા 1981 પ્રોજેકટ વિલંબથી ચાલી રહ્યા છે. જેના માટે રૂા.6712262 કરોડનું બજેટ હતું. રૂા.4278402 કરોડે પહોંચી ગયુ છે. છતા હજુ પુરા થયા નથી.
હાલમાં જયાં આગ લાગી અને ઉદઘાટન મોકુફ રાખવું પડયું તે પ્રોજેકટ અગાઉથી જ પુરો વિલંબથી ચાલતો હતો અને 2022માં પુરો થવાનો હતો જે માટે રૂા.43129 કરોડનું બજેટ ફાળવાયુ છે. જે વધીને રૂા.79459 કરોડ થયુ છે.
હવે આગ લાગતા તેમાં પણ વધારો થશે. વાસ્તવમાં એક સમયે કોરોના કાળ તે જવાબદાર ગણાવાતો હતો પણ ગંભીરતા દર્શાવાઈ નહી કે જે સમય ગુમાવ્યા છે તેનાથી પ્રોજેકટને ફરી વધુ ઝડપી આગળ વધારવામાં આવે અને પ્રજાના પૈસાનો વેડફાટ થતો રહ્યો છે.

