Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Mahakumbh આ મંત્રો સાથે કરો સ્નાન,ઘર બની જશે પ્રયાગરાજ!
    ધાર્મિક

    Mahakumbh આ મંત્રો સાથે કરો સ્નાન,ઘર બની જશે પ્રયાગરાજ!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 18, 2025No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યાં શ્રદ્ધાળુઓનો મેળાવડો લાગ્યો છે. આ પૌરાણિક પ્રાચીન ઘટનાનો અદ્ભુત વૈભવ સંગમના પવિત્ર કિનારા પર ફેલાયેલો છે. આગામી પ્રમુખ સ્નાન તિથિઓ પર મોટી ભીડ ત્યાં ઉમટી પડશે. બીજી તરફ સરકારી આંકડાઓનો અંદાજ છે કે આ વખતે મહાકુંભમાં લગભગ 45 કરોડ લોકો સામેલ થશે. 144 વર્ષ પછી બનેલા આ અદ્ભુત સંયોગમાં દરેક વ્યક્તિ આ ઘટનાનો ભાગ બનવા અને ત્રિવેણીના પાણીમાં સ્નાન કરીને પોતાને પવિત્ર કરવાની ઈચ્છા રાખે છે.

    જોકે, દરેક લોકો માટે ત્યાં પહોંચવું શક્ય નથી અને મોટી સંખ્યામાં એવા લોકો છે જે ઈચ્છા હોવા છતાં પવિત્ર ઘાટ સુધી પહોંચી શકશે નહીં. જો તમે પણ આ લોકોમાં સામેલ છો તો નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. જો તમારી પણ મહાકુંભમાં ડૂબકી લગાવવાની ઈચ્છા હોય અને તે પૂર્ણ ન થઈ રહી હોય, તો શાસ્ત્રોમાં તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પુરાણો અને શાસ્ત્રોમાં ગંગા નદીની સ્તુતિ અને આહવાન કરવા માટે કેટલાક એવા મંત્રો છે, જેના ઉચ્ચારણ અને પાઠ કરવાથી દરેક સ્થાન ગંગા તીર્થ બની જાય છે અને દરેક પાણી ગંગા જળ બની જાય છે.

    ગંગા માતાએ ખુદ એ વચન આપ્યું છે કે જ્યારે પણ કોઈ શુભ કાર્ય માટે મારું આહવાન કરવામાં આવશે ત્યારે હું દરેક વ્યક્તિના કલ્યાણ માટે જરૂર આવીશ. આવી સ્થિતિમાં અમૃત સ્નાનની ખાસ તિથિ પર ગંગા સ્નાન કરવાના દિવ્ય લાભોથી તમે વંચિત નહીં રહેશો. માત્ર આ મંત્રોનો જાપ કરો અને તમે ઘરમાં જ ગંગા સ્નાનનો લાભ લઈ શકો છો.

    નદીઓના આહવાનનો મંત્ર

    ગંગા નદી તો પવિત્ર છે જ પણ તેની સાથે તેની સહાયક નદીઓ યમુના અને સરસ્વતીનો પણ ખૂબ મહિમા છે. આ ઉપરાંત ગોદાવરી, કાવેરી, સિંધુ અને નર્મદાને પણ પોતપોતાના સ્થાનો પર ગંગાના અવતાર કહેવામાં આવે છે. સંગમ તીર્થ ક્ષેત્રમાં ગંગા-યમુના અને સરસ્વતીનો સંગમ છે. એટલા માટે તીર્થરાજ પ્રયાગનો મહિમા પણ છે. આ ઉપરાંત ગંગાની જેમ જ આ બધી નદીઓ અલગ-અલગ કાળમાં ભગવાન બ્રહ્મદેવના કમંડળમાંથી ઉદ્ભવી છે અને તેમને સપ્ત ધારા કહેવામાં આવે છે.

    આ બધી નદીઓના ધ્યાનનો મંત્ર ખૂબ જ પ્રભાવી છે જે સ્નાનના પાણીને ગંગાજળ અને ત્રિવેણીમાં પરિવર્તિત કરી દે છે. તેથી સ્નાન કરતા પહેલા આ મંત્રનો જાપ કરવો. આ મંત્રથી તમારા પોતાના ઘરનું આંગણું કુંભ સ્થળ જેવું તીર્થસ્થળ બની જશે.

    ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી ।

    નર્મદે સિન્ધુ કાવેરી જલડેસ્મિન સન્નિધિં કુરુ ॥ 

    ગંગા માતાને કરો પ્રાર્થના

    આવી જ રીતે ગંગાના સ્ત્રોતમાંથી લેવામાં આવેલ ગંગેય શ્લોક પણ ખૂબ જ પવિત્ર છે. આ શ્લોક મંત્રમાં માતા ગંગાની પવિત્રતાનું વર્ણન કરવામાં આવ્યું છે અને પાપોથી મુક્તિ માટે તેમને પ્રાર્થના કરવામાં આવી છે. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે ગંગા જળ મનોહારી છે જે મુરારી એટલે કે ભગવાન વિષ્ણુના ચરણોમાંથી નીકળ્યું છે અને ત્રિપુરારી એટલે કે ભગવાન શિવ દ્વારા તેને માથા પર ધારણ કરવામાં આવ્યું છે.

    ગંગા વારિ મનોહારી મુરારિચરણચ્યુતં ।

    ત્રિપુરારિશિરશ્ચારિ પાપહારિ પુનાતુ માં ।।

    જે બધા પાપોનો નાશ કરનાર છે. એ માતા ગંગા મારા પાપો પણ દૂર કરો. આ મંત્રનો જાપ કરીને સ્નાન કરવાથી માતા ગંગા તમને શીતળ કરવા માટે તામરી નજીકના જળસ્ત્રોતમાં સામેલ થઈ જશે.

    ગંગાથી દૂર મનુષ્ય પણ કરી શકે છે સ્નાન

    ગંગા નદીના મહિમાનું વર્ણન કરતા એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ સો યોજન દૂરથી પણ ગંગાજીનું સ્મરણ કરે છે, તો તેના બધા પાપ દૂર થઈ જાય છે અને તે અંતે વિષ્ણુ લોકમાં જાય છે.

    આ શ્લોક દ્વારા એ જણાવવામાં આવ્યું છે કે, માતા ગંગા એટલા દયાળુ છે જે પોતાના પુત્ર અને ભક્તો દ્વારા એક વાર સ્મરણ કરવાથી તેમની પાસે પહોંચી જાય છે. 

    ગંગા ગંગેતિ યો બ્રૂયાત, યોજનાનાં શતૈરપિ । 

    મુચ્યતે સર્વપાપેભ્યો, વિષ્ણુલોકે સ ગચ્છતિ ॥

    જો તમે ગંગા તટ પર જવા માટે સક્ષમ નથી તો માતા ગંગા તામરી પાસે આવે છે અને તમને પાપમુક્ત કરીને શીતળતા પ્રદાન કરે છે. આ શ્લોક મંત્ર સ્નાન કરતી વખતે જરૂર વાંચવો.

    ગંગા નદી હૈ મુક્તિ કા માર્ગ

    ગંગા નદીનું દર્શન જ મુક્તિનો માર્ગ છે. સ્નાન કરવું એ તો કર્મના બધા બંધનો તોડી નાખવા જેવું છે. માતા ગંગાનું સ્મરણ કરવાથી જ વ્યક્તિ અનેક પુણ્યનો ભાગી બની જાય છે.

    ગંગા તવ દર્શનાત મુક્તિ

    જો સ્નાન કરતી વખતે મા ગંગાનો સૌથી નાનો અને સૌથી મહત્વપૂર્ણ મંત્ર જાપ કરવામાં આવે, તો તમારા પાણીના પાત્રમાં રહેલું પાણી જ ગંગાજળ બની જાય છે અને તેમાં સ્નાન કરવાથી કુંભ સ્નાન જેવું જ ફળ મળે છે. બસ મન શુદ્ધ હોવું જોઈએ અને લાગણીઓમાં ભક્તિ હોવી જોઈએ.

    એવી જ રીતે યમુના નદી પણ પૌરાણિક નદી છે અને તેમાં સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. યમુના નદી સૂર્યદેવની પુત્રી છે અને ભગવાન કૃષ્ણની લીલાની સાક્ષી છે. આ નદીના કિનારે ઘણા પ્રાચીન તીર્થસ્થળો સ્થાપિત છે. ભગવાન શ્રીકૃષ્ણે પોતે આ પાણીમાં સ્નાન કર્યું હોવાથી આ નદીનું પાણી પણ ગંગા જેટલું જ પવિત્ર માનવામાં આવે છે. તેથી સ્નાન કરતી વખતે આ નદીનું પણ આહવાન કરવામાં આવે છે. તેનો મંત્ર કંઈક આવો છે.

    ॐ કાલિન્દિ યમુને જય શ્રીકૃષ્ણપ્રિયાડ્કુરે ।

    વ્રજવાસિનિ વિશ્વજનિ પુણ્યતોયે નમોડસ્તુતે ।

    ઓ કાલિંદી યમુના નદી તમારી જય હો! તમે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય છો, તમે વ્રજભૂમિ (મથુરા-વૃંદાવન)માં નિવાસ કરો છો. તમે સંપૂર્ણ વિશ્વ માટે આદરણીય અને પૂજનીય છો. તમારા પવિત્ર જળ દ્વારા વિશ્વના જીવો શુદ્ધ અને પાપોથી મુક્ત બની જાય છે. હું તમને નમન કરું છું, હું તમને પ્રણામ કરું છું. તમે કૃપા કરીને મને દર્શન આપીને કૃતાર્થ કરો.

    જ્યારે તમે સ્નાન કરવા જાઓ ત્યારે તીર્થસ્થાનોના રાજા પ્રયાગ અને તેના મહિમાનું ચોક્કસ સ્મરણ કરવું. તીર્થરાજ પ્રયાગ બધા તીર્થસ્થાનોનો રાજા છે અને ત્રિવેણી દેવી જે સંગમ ક્ષેત્રની દેવી છે તેમની પવિત્રતાનું પણ ધ્યાન ધરો. આનાથી તમારા ઘરમાં પવિત્ર સ્થળ પ્રયાગની આભા ઉત્પન્ન થશે અને તમને પ્રયાગમાં સ્નાન કરવા જેવા જ ફાયદા મળશે. ઘરમાં હવન-યજ્ઞ વગેરે કરતા પહેલા પુજારી પણ ઘરના વાતાવરણને આધ્યાત્મિક બનાવવા માટે આ મંત્રનો ઉપયોગ કરે છે.

    ॐ ત્રિવેણી સંગમે દેવિ સંગમેશ્વરમ પૂજિતે ।

    સ્નાનકાલે કુરુ કૃપા પાપક્ષય કરો ભવેત્ ॥

    હે ત્રિવેણી સંગમમાં નિવાસ કરનારી દેવી! તમે સંગમેશ્વર (સંગમના ઈશ્વર) દ્વારા પૂજિત છો. સ્નાન કરતી વખતે કૃપા કરો અને અમને તમારા આશીર્વાદથી કૃતાર્થ કરો. કૃપા કરીને અમારા પાપોનો નાશ કરો અને અમને પવિત્ર અને શુદ્ધ કરો. આ મંત્ર ત્રિવેણી સંગમની દેવીનું આહવાન કરે છે. આ મંત્ર ભક્તિ, શ્રદ્ધા અને આત્મશુદ્ધિનું પ્રતીક છે.

    માત્ર ગંગા-યમુના જ નહીં પરંતુ પુરાણોમાં વર્ણિત એવી સાત નદીઓ છે જે પવિત્રતાની સાક્ષી છે અવે તન-મન અને આત્માને પવિત્ર કરે છે. સ્નાન કરતી વખતે આ નદીઓનું સ્મરણ દરેક રીતે તમને તેમની કૃપાપાત્ર બનાવે છે. તેના માટે એક મંત્ર આવો છે…

    ॐ ગંગે ચ યમુને ચૈવ, કાવેરી સરસ્વતિ।

    શતદ્રુશ્ચ મહાનદ્યા, ગોદાવરી મહાબલા।

    સર્વે તીર્થા: સમુદ્ભુતા, હેમકૂટનિવાસિન:।

    સ્નાનેન પ્રીયતાં નિત્યં, સર્વેપાપપ્રણાશિન:॥

    આ ઉપરાંત જ્યારે તમે સ્નાન કરવા જાઓ છો ત્યારે પવિત્રતા અને ગંગા સ્નાનનું પુણ્ય મેળવવા માટે તમે ભગવાન વિષ્ણુનું પણ સ્મરણ કરી શકો છો. ભગવાન વિષ્ણુનું સ્મરણ એ પોતાનામાં જ શુદ્ધિકરણનું એક સાધન છે. તે જીવનના દરેક ક્ષણે શરણાગતિને પ્રોત્સાહન આપે છે અને આત્માની શુદ્ધતા અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. તેમના આ મંત્રનો વિશેષ રૂપે સ્નાન, ધ્યાન, પૂજા અથવા કોઈપણ ધાર્મિક વિધિ પહેલાં જાપ કરવામાં આવે છે. 

    ॐ અપવિત્ર: પવિત્રો વા સર્વાવસ્થાં ગતોડપિ વા ।

    ય: સ્મરેત પુણ્ડરીકાક્ષં સ બાહ્યાભ્યન્તર: શુચિ: ॥

    ભલે કોઈ અપવિત્ર હોય કે પવિત્ર હોય. ભલે તો કોઈ પણ સ્થિતિમાં કેમ ન હોય. જે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે તે બાહ્ય અને આતંરિક રીતે શુદ્ધ થઈ જાય છે. તેને શુચિતા મંત્ર પણ કહે છે, તેનો પ્રયોગ પણ ઘરમાં પૂજા-પાઠ પહેલા પવિત્રીકરણ માટે કરવામાં આવે છે. 

    તેથી જો તમારું મન શુદ્ધ છે અને તમે તમારા કર્મ અને કર્તવ્યનું પ્રામાણિકપણે પાલન કરો છો. જો તમે કોઈનું ખરાબ ન વિચારો અને માનવતાના કલ્યાણમાં રોકાયેલા રહો, તો તમે તમારા ઘરમાં પણ સ્નાન કરીને પવિત્ર તીર્થનગરી પ્રયાગમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો. આ માટે સંત રવિદાસે પણ કહ્યું છે કે – ‘મન ચંગાતો કઠૌતી મેં ગંગા.’

    Mahakumbh 2025
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    ભગવાનને સર્વથા શરણ થવાવાળાને ભક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે.

    May 1, 2026
    ધાર્મિક

    પરમાત્માથી વિમુખ થતાં નાશવાન પદાર્થોમાં ‘રાગ’ થઇ જાય છે

    May 1, 2026
    ધાર્મિક

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026
    ધાર્મિક

    શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં, પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી

    April 29, 2026
    લેખ

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે, એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026
    ધાર્મિક

    ધર્મનાં ચાર ચરણ છેઃ સત્ય, પવિત્રતા(શૌચ), દયા અને દાન

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.