ઉલુબેરિયા પૂર્વના ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથે સત્તાવાર જાહેરાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૨૨
તૃણમૂલ કોંગ્રેસ TMC માં ચાલી રહેલી રાજકીય સંકટ વચ્ચે સોમવારે એક બહુ મોટો વળાંક આવ્યો છે.
ઉલુબેરિયા પૂર્વના ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથે મમતા બેનર્જીને પાર્ટીના ચેરપર્સન પદેથી હટાવવાની અને અભિષેક બેનર્જીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ જૂથે પોતાને જ અસલી તૃણમૂલ કોંગ્રેસ ગણાવી નવી સંગઠનાત્મક સમિતિની રચના કરી છે, અને હાવડા મધ્યના વરિષ્ઠ ધારાસભ્ય અરૂપ રોયને પોતાના નવા ચેરમેન નિયુક્ત કર્યા છે.
ત્રણ ભાગમાં વહેંચાઈ પાર્ટીઃ આ રાજકીય ભૂકંપ બાદTMC હવે ત્રણ જૂથમાં વહેંચાયેલી જોવા મળી રહી છે. પહેલું મમતા બેનર્જીનું જૂથ, બીજું ઋતબ્રત બેનર્જીનું બળવાખોર જૂથ (જે હવે બંગાળ વિધાનસભામાં વિપક્ષની ભૂમિકા ભજવશે), અને ત્રીજું કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં આશરે બે ડઝન લોકસભા સાંસદોનું જૂથ, જેમણે નેશનલ સિટીઝન્સ પાર્ટી માં વિલીનીકરણ કરીને સંસદમાં દ્ગડ્ઢછ સરકારને ટેકો આપ્યો છે.
બેંક ખાતા સીલ અને સિમ્બોલ પર દાવોઃ બળવાખોર જૂથે પક્ષના નામ અને ચૂંટણી ચિહ્ન (સિમ્બોલ) પર પોતાનો હક સાબિત કરવા સુપ્રીમ કોર્ટમાં જવાના સંકેત આપ્યા છે. આ દરમિયાન, બળવાખોર ધારાસભ્યોની પોલીસ ફરિયાદ બાદ ્સ્ઝ્રના ત્રણ બેંક ખાતામાં જમા આશરે ?૪૪૦ કરોડના ફંડ પર ડેબિટ ફ્રીઝ (રોક) લગાવી દેવામાં આવી છે.
બળવાખોર જૂથનો દાવો છે કે, પાર્ટીના બંધારણ મુજબ દર ત્રણ વર્ષે રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિની પુનઃરચના કરવી જરૂરી છે, જે ફેબ્રુઆરી ૨૦૨૨ પછી કરવામાં આવી નથી. ન્યૂ ટાઉનની એક હોટલમાં યોજાયેલી આ બેઠકમાં બળવાખોર ધારાસભ્યો સહિત કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (દ્ભસ્ઝ્ર) અને અન્ય ૩ જિલ્લાના ૭૦ કાઉન્સિલરોએ ભાગ લીધો હતો.

