Himachal Pradesh,તા.11
પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ચોમાસું આફત બનીને તૂટી પડ્યું છે. સતત થઈ રહેલા ભારે વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ, પૂર અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં ભારે વિનાશ સર્જાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટરના તાજેતરના અહેવાલ મુજબ, 30 જૂનથી 9 ઓગસ્ટ વચ્ચેના સમયગાળામાં રાજ્યમાં 157 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 257 લોકો હજુ પણ ગુમ છે.જ્યમાં લગભગ 900 સરકારી તથા ખાનગી મિલકતો અને જાહેર કામોને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે અત્યાર સુધીમાં અંદાજે રૂ. 886 કરોડનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.ભારે વરસાદના કારણે પહાડો પરથી પથ્થરો અને કાટમાળ રસ્તાઓ પર ધસી આવતા રાજ્યભરમાં 259 જેટલા નાના-મોટા રસ્તાઓ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ એવો મંડી-કુલ્લુ હાઈવે પણ ઠપ થઈ ગયો છે.
કુલ્લુ અને મંડી જિલ્લામાં નદી-નાળાઓની જળસપાટીમાં ભયજનક વધારો થયો છે. પહાડોની વચ્ચેથી પસાર થતી નદીઓ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.તંત્ર દ્વારા તમામ સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓને નદી-નાળાઓથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરી ન કરવા માટે સખત સૂચના આપવામાં આવી છે.

