New Delhi,તા,18
વીઆઇપી અને આમ જનતાની ટ્રેનો વચ્ચેનો ભેદભાવ જલ્દી ખતમ થઇ જશે. હજુ પણ વીઆઇપી ટ્રેનોને રસ્તો આપવા માટે સામાન્ય ટ્રેનોને લૂપ લાઇન પર રોકી દેવામાં આવે છે. આથી સામાન્ય ટ્રેન નિશ્ચિત સમયે પોતાના નિશ્ચિત સ્થળે પહોંચી નથી શકતી. નવી વ્યવસ્થા અંતર્ગત બન્ને શ્રેણીઓની ટ્રેનોનો સમય એવી રીતે વ્યવસ્થિત કરવામાં આવે કે તે એક બીજાના રસ્તામાં વિઘ્ન ન બને અને બન્નેને નિર્ધારિત સમયાંતરે ચલાવી શકાય.
રેલવે બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે રેલવેનું ટાઇમ ટેબલ હજુ પ્રાથમિકતા પર આધારિત છે. તેમાં વંદે ભારત, રાજધાની, શતાબ્દી જેવી ટ્રેનોને પહેલા રસ્તો આપવામાં આવે છે. રેલવે મંત્રાલયના નવા પ્રસ્તાવ મુજબ પ્રીમીયમ ટ્રેનોનો સમુહ (કમ્બાઇન્ડ સ્લોટ)માં ચલાવવામાં આવશે. આથી વીઆઇપી ટ્રેનો વિના વિઘ્ને દોડશે.
જ્યારે સામાન્ય ટ્રેનના લેટ થવાનો સમય પણ એકથી બે કલાકથી ઘટીને 10 મિનિટ સુધી રહી જશે. તેમણે જણાવ્યું હતું કે, આ વ્યવસ્થાને લાગુ કરવા માટે નવું ટાઇમ ટેબલ બનાવવામાં આવી રહ્યું છે.
130થી 160 કિલો મીટર દર કલાકની ઝડપે દોડતી ટ્રેનોને 5 થી 10 મીનીટના અંતરાલ (સેફટી ગેપ) પર ચલાવવામાં આવશે. 110 કિલો મીટર દર કલાકે દોડતી ટ્રેનોને બીજા સ્લોટમાં ચલાવવામાં આવશે.
સમાન ગતિ પર આ ટ્રેન આખા રસ્તે આગળ-પાછળ ચાલશે. આથી કોઇ સ્લોટમાં ચલાવવામાં આવશે. સમાન ગતિ પર આ ટ્રેન આખા રસ્તે આગળ-પાછળ ચાલશે. આથી કોઇ ટ્રેનને લૂપ લાઇન પર ઉભા નહીં રહેવું પડે.
દિલ્હી-હાવરા માર્ગ પર અઢી કલાક સુધીનો સમય ઘટશે
હાલ દિલ્હી-હાવરા પર રોજની સરેરાશ 120થી વધુ ટ્રેનો દોડે છે. આ માર્ગ પર સુપર ફાસ્ટ ટ્રેન સરેરાશ દોઢથી ત્રણ કલાક લેટ હોય છે. નવી વ્યવસ્થામાં આ વિલંબ ઘટીને 15 થી 20 મીનીટ રહી જશે. દિલ્હી-મુંબઇ રૂટ પર કોમન રનીંગ ટાઇમથી અહીં 24 કલાકમાં આઠ વધારાના ટ્રેન સ્લોટ નીકળશે.

