Rajkot , તા. 7
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂા. બે લાખની કિંમતવાળા અને એલઆઈજી, એમઆઈજી આવાસ વેંચાણ માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા બાદ આજ સુધીમાં 2361 ફોર્મ 2 બીએચકેના 724 તથા 3 બીએચકેના 693 સહિત કુલ 3778 ફોર્મ જમા થયા છે. કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ બાદ ડ્રોથી ફાળવણી કરવામાં આવશે તેમ વિભાગે જણાવ્યું હતું.
મહાપાલિકા દ્વારા 16 વર્ષ પહેલા પોપટપરા અને બીશપ હાઉસ પાછળ 1 બીએચકે 2-લાખના 1057 કવાર્ટર બનાવવામાં આવ્યા હતા. દરમ્યાન હવે રૂા. બે-બે લાખમાં આ ફલેટ વેંચવા લાયકાતના ધોરણે અરજીઓ મંગાવવામાં આવતા અંતિમ દિવસ સુધીમાં 1057 ફલેટ સામે 2300થી વધુ અરજી આવી છે.
જયારે મવડી પાળ રોડ પર આવેલ 2 બીએચકેના ખાલી 6 સામે 724 તથા નાના મવા રોડ, વિમલનગર, દાકાધીશ હાઇસની સામે, મવડી પાળ રોડ પર આવેલ 3 બીએચકેના 17 સામે 693 અરજીઓ આવી છે. આમ કુલ 3778 ફોર્મ ઓનલાઈન કાલે અંતિમ દિવસ સુધીમાં આવ્યા છે.
અરજદારોના ફોર્મની ચકાસણી બાદ ફોર્મમાંથી ટુંક સમયમાં ડ્રો કરવામાં આવશે તેમ તેમ સુત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કુલ આવાસની ખાલી સંખ્યા 10પ7 છે. જેમાં અલગ અલગ કેટેગરીમાં 3778 અરજી છેલ્લી મુદત દરમ્યાન જમા થઇ છે.

