Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jetpur માં શાકભાજીના ધંધાર્થી પરિવાર પર હુમલો

    September 7, 2025

    Gondal પાસે ટ્રકની ઠોકરે દેવકીગાલોલના યુવાનનું મોત

    September 7, 2025

    રાજ્ય ભરમાંવિરોધ વંટોળ વચ્ચે તા.08 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજીયાત

    September 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jetpur માં શાકભાજીના ધંધાર્થી પરિવાર પર હુમલો
    • Gondal પાસે ટ્રકની ઠોકરે દેવકીગાલોલના યુવાનનું મોત
    • રાજ્ય ભરમાંવિરોધ વંટોળ વચ્ચે તા.08 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજીયાત
    • Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા
    • 07 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 07 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Tusshar Kapoor પ્રકાશ ઝાની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘જનાદેશ’માં જોડાયો
    • ‘Love and War’ના વ્યસ્ત સમયપત્રક વચ્ચે આલિયાએ રાહાના ઉછેર વિશે વાત કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Manavadar પંથકમાં 14-15 ઇંચ વરસાદ ખાબકતાં જળપ્રલય જેવી સ્થિતિ, 1100 લોકોને સ્થળાંતર કરાયા
    સૌરાષ્ટ્ર

    Manavadar પંથકમાં 14-15 ઇંચ વરસાદ ખાબકતાં જળપ્રલય જેવી સ્થિતિ, 1100 લોકોને સ્થળાંતર કરાયા

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    માણાવદર પંથકમાં જળપ્રલય જેવી હાલત : પાણી ટ્રાન્સફોર્મર સુધી પહોંચી ગયું : ગામડાંમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં નુકસાન, 378  લોકોનું સ્થળાંતર : 8 દિવસની બાળકી સહિત 10 લોકોનું રેસ્ક્યુ કરાયા

    Manavadar ,તા.23

    માણાવદર શહેરમાં 10 તેમજ જીંજરી, શેરડી, સરદારગઢ, ગણા સહિતના ગામડાઓમાં 14-15 ઇંચ તેમજ લીંબુડા, સરાડીયા, પાજોદ, વેકરી, મરમઠ સહિતના ગામડાઓમાં નવથી દસ ઇંચ વરસાદ પડતાં ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું.  માણાવદર શહેરમાં વીજ ટ્રાન્સફોર્મર સુધી પાણી પહોંચી ગયું હતું.

    નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘુસી જતા 378 લોકોને સ્થળાંતર કરવું પડયું હતું. જ્યારે આઠ દિવસની એક બાળકી સહિત 10 લોકોનું રેસ્ક્યુ કરવા પડયું હતું. માણાવદર પંથકમાં જળપ્રલય જેવી હાલતથી લોકોમાં ચિંતા વ્યાપી છે અને હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.

    માણાવદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. ગત રાત્રિથી મૂશળધાર વરસાદ વરસ્યો હતો. રવિવારે માણાવદર શહેરમાં 10 ઈંચ તેમજ જીંજરી, સરદારગઢ, ગણા, શેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં 14થી 15 ઈંચ વરસાદ થયો હતો. જ્યારે લીંબુડા, પાજોદ, સરાડીયા, વેકરી, મરમઠ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 9થી 10 ઈંચ પાણી વરસ્યું હતું. ભારે વરસાદના કારણે ચારે તરફ જળબંબાકાર સ્થિતિ થઈ ગઈ હતી.

    માણાવદર શહેરમાં ગાયત્રી મંદિર, ગિરીરાજનગર, ગોકુલનગર, બાવાવાડી, સ્ટેશન પ્લોટ, મફતીયાપરા, બસ સ્ટેન્ડ સામે તેમજ પાછળના વિસ્તારમાં, શાક માર્કેટ ગલી, બાગ દરવાજા સહિતના વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા. અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. ગાયત્રી મંદિર તથા તેના કાંઠા વિસ્તારમાં તો પુર જેવી સ્થિતિ થઈ ગઈ હતી. ઘરમાં પાણી ઘુસી ગયું હતું. રોડ પર વીજ ટ્રાન્સફોર્મર સુધી પાણી ભરાઈ ગયું હતું.

    પોલીસે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. આ વિસ્તારમાંથી આઠ દિવસના બાળક તેમજ તેના માતા અને 10 લોકોનું પોલીસે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડયા હતા. આ ઉપરાંત ગાયત્રી મંદિર, બસ સ્ટેશન સામે તેમજ મહાદેવીયા પાસેના વિસ્તારમાંથી 378 તેમજ તાલુકામાંથી કુલ 1100 જેટલા લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે રાખવામાં આવ્યા છે.

    મામલતદારે જણાવ્યું હતું કે, આ લોકોને બ્રહ્મ સમાજ તેમજ સતવારા સમાજમાં આશરો આપી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રસાલા ડેમમાં ઘોડાપુર આવ્યું હતું. રિવરફ્રન્ટ સુધી પાણી પહોંચ્યું હતું. મેઘરાજાના આ સ્વરૂપને જોઈ શહેરીજનોમાં ગભરાટ ફેલાયો હતો.

    જ્યારે માણાવદર તાલુકાના જીંજરી, સરદારગઢ, લીંબુડા, થાનીયાણા, રોણકી, જાંબુડા, ગણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 14થી 15 ઈંચ તેમજ સરાડીયા, બાંટવા, પાજોદ, વેકરી, મરમઠ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 9થી 10  ઈંચ વરસાદ પડતા જળબંબાકાર  સ્થિતિ થઈ ગઈ હતી.

    ખેતરો પાણીમાં ગરકાવ બની જતા વ્યાપક નુકસાનની ભીતિ સર્જાઈ છે. શેરડી ગામ નજીક 66  કેવીમાં પાણી ભરાઈ ગયું હતું. આ ઉપરાંત ઈન્દ્રા નજીક આવેલા પ્રસિધ્ધ પંજુરી હનુમાન મંદિરના પટાંગણ સુધી પાણી પહોંચી ગયું હતું. ભારે વરસાદ તેમજ પુરના લીધે તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના રસ્તા બંધ થઈ ગયા હતા. સદનસીબે બપોરે વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

    સરદારગઢ ગામનું સ્મશાન પાણીમાં ગરક

    રવિવારે સરદારગઢ તેમજ આસપાસના વિસ્તારમાં 15 ઈંચ જેટલો વરસાદ થયો હતો. જેના કારણે ચારે તરફ જળબંબાકાર સ્થિતિ થઈ ગઈ હતી. રસ્તાઓ તેમજ ખેતરો પાણીમાં ગરક થયા હતા. સરદારગઢ ગામનું સ્મશાન પણ પાણીમાં ડુબી ગયું હતું. ભારે વરસાદ બાદ થયેલી આ સ્થિતિથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભય ફેલાયો હતો.

    10-inches-in-Manavdar Junagadh Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Jetpur માં શાકભાજીના ધંધાર્થી પરિવાર પર હુમલો

    September 7, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal પાસે ટ્રકની ઠોકરે દેવકીગાલોલના યુવાનનું મોત

    September 7, 2025
    રાજકોટ

    રાજ્ય ભરમાંવિરોધ વંટોળ વચ્ચે તા.08 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજીયાત

    September 7, 2025
    રાજકોટ

    Rajkot: આટકોટ નજીક ભયાનક કાર અકસ્માત, આર.કે. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓના મોત

    September 6, 2025
    રાજકોટ

    Rajkot: ક્રેટા કારમાંથી ૪.૧૦ લાખના એમડી ડ્રગ્સ સાથે ૨ની ધરપકડ

    September 6, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ૨૧ વર્ષના યુવકને ૫૦૦ની નકલી નોટો સાથે પોલીસે દબોચ્યો

    September 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jetpur માં શાકભાજીના ધંધાર્થી પરિવાર પર હુમલો

    September 7, 2025

    Gondal પાસે ટ્રકની ઠોકરે દેવકીગાલોલના યુવાનનું મોત

    September 7, 2025

    રાજ્ય ભરમાંવિરોધ વંટોળ વચ્ચે તા.08 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજીયાત

    September 7, 2025

    Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jetpur માં શાકભાજીના ધંધાર્થી પરિવાર પર હુમલો

    September 7, 2025

    Gondal પાસે ટ્રકની ઠોકરે દેવકીગાલોલના યુવાનનું મોત

    September 7, 2025

    રાજ્ય ભરમાંવિરોધ વંટોળ વચ્ચે તા.08 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજીયાત

    September 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.