મોરબીના જેતપર ગામે ખેડૂતોને પુરા વળતરની માંગ સાથે આમરર્ણાંત ઉપવાસ આંદોલન શરુ
હાલ પાંચ ખેડૂતો આમરર્ણાંત ઉપવાસ આંદોલન પર બેઠા, ગામમાં રેલી યોજી ઉપવાસ આંદોલન
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૮
કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતી હેવી વીજ લાઈન મામલે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે મોરબી જીલ્લાના અનેક ગામોમાં વિરોધના વંટોળ વચ્ચે જેતપર ગામે ખેડૂતોએ આંદોલન શરુ કર્યું હતું સપ્તાહ સુધી ધરણા કરી બાદમાં ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી યોજી હતી જે ટ્રેક્ટર રેલીએ રાજકીય સ્વરૂપ ધારણ કરતા ખેડૂતોએ અળગા થયા હતા અને હવે જેતપર ગામે આંદોલન પાર્ટ ૨ સમાન આમરર્ણાંત ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવ્યું હતું
ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજલાઈનમાં અપૂરતા વળતરથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને જેતપર ગામમાં આજથી ખેડૂતો કૈલાશગીરી ગુરુ મહાદેવ ગીરી, રતિલાલ શિવલાલ અમૃતિયા, નેહુલ ધીરજલાલ અમૃતિયા, ભાડજા રામજીભાઈ નાનજીભાઈ અને નીલેશ એરવાડિયા એમ પાંચ ખેડૂતોએ આમરર્ણાંત ઉપવાસ આંદોલન શરુ કર્યું છે આજે આંદોલનના પ્રારંભે ગામના રામજી મંદિર ખાતેથી રેલી સ્વરૂપે ઉપવાસી છાવણીએ સૌ પહોંચ્યા હતા જેમાં ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ખેડૂતો ખેતીના સાધનો સાથે રેલીમાં જોડાયા હતા
ઉપવાસ આંદોલન મામલે મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના ભાઈ રતિલાલભાઈ અમૃતિયા ઉર્ફે કારાભાઈએ જણાવ્યું હતું કે ખેડૂતોને તકલીફ છે અને ખેડૂતો લડી રહ્યા છે હાલ ગાંધી ચિંધ્યા માર્ગૅ આંદોલન ચાલુ છે અને જરૂરત પડ્યે સરદાર પટેલના માર્ગૅ જતા ખચકાશું નહિ હાલ જેતપર જ નહિ જીલ્લાના તમામ ગામના ખેડૂતોનું સમર્થન છે સરકારને હાથ જોડી લીધા, મોબાઈલ ટાવરને ભાડું મળતું હોય તો ખેડૂતના ખેતરમાં થાંભલા નાખે એનું ભાડું કેમ નહિ આંદોલન કરનાર રતિલાલ ઉર્ફે કારાભાઈ મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના સગા ભાઈ છે અને તેના ભાઈ વિષે પૂછતાં રાજકારણ અને ખેતી અલગ અલગ છે મંત્રી કાન્તીભાઈ અમૃતિયાએ પણ પ્રયાસો કર્યા છે પરંતુ તેનાથી પ્રશ્ન ઉકેલાયો નથી અને હવે ખેડૂતો લડત કરી રહ્યા છે હાલ જેતપર ગામે આંદોલન શરુ કર્યું છે બાદમાં બધે આંદોલન થશે તેમ પણ જણાવ્યું હતું
બહેનોએ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યા
જેતપર ગામે એક તરફ ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરુ કર્યું છે તો બીજી તરફ બહેનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવાનું શરુ કર્યું છે અનેક બહેનોએ પીએમ મોદીને પત્ર લખ્યો છે બહેનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન કહેતા હોય છે બહેનો મને પત્ર લખે અડધી રાત્રે હાજર થઇ જઈશ તો બહેનો પત્ર લખી રહી છે ખેડૂતો દુખી છે બેહાલ છે ત્યારે પીએમ તેમની વાત સાંભળે તેવી માંગ કરી રહ્યા છે
૩૦૦ થી વધુ સર્વે નંબરના ખેડૂતો અસરગ્રસ્ત
ઉપવાસ આંદોલન કરી રહેલા નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને પરિપત્ર પ્રમાણે નહિ કાયદા મુજબ વળતર આપો કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં પણ પેમેન્ટ એક હપ્તામાં અને એડવાન્સ આપવાની જોગવાઈ છે જેતપર ગામમાંથી અદાણીની ૬૬૫ કેવીના ૨૦, ૮૦૦ કેવીના ૧૨ થાંભલા, તારવાળા ૧૦૦-૧૨૦ અને ૮૦૦ કેવી ૭૦-૮૦ લાઈન પસાર થઇ રહી છે અંદાજે ૩૦૦ થી વધુ ખેડૂતોના સર્વે નંબર પ્રભાવિત થશે

