Junagadh,તા.24
જુનાગઢની પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ. ઘોડાસરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગઈકાલે તા.23ના દિનવિશેષ શ્રેણી અંતર્ગત ગીજુભાઈ બધેકા શિક્ષણવિદ હતા. તેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજુઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.
‘મૂછાળી માં’નાં હુલામણા નામથી તેઓ આજે પણ ઓળખાય છે. શિક્ષણવિદ બન્યા પહેલા તેઓ હાઈકોર્ટમાં વકીલ હતા. તેમણે શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા. તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક પણ મળેલો.
બાળ સાહિત્યમાં ઈસપના પાત્રો, જંગલ સમ્રાટ ટારઝન અદભુત કથાઓ ખુબ જ લોકપ્રિય છે. તેમનો જન્મ 15 નવેમ્બર 1885માં થયેલો અને તેમના જન્મ દિવસને બાળવાર્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 23 જુન 1939ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયેલ. ગીજુભાઈ બધેકા આજે પણ પોતાના સાહિત્ય અને શિક્ષણ વિશેના વિચારોથી લોકોના હૃદયમાં જીવંત છે.
સમગ્ર આયોજન બદલ પટેલ કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી કાંતીભાઈ ફળદુ, પ્રમુખ શિરીષભાઈ સાપરીયા, તથા કોલેજ ઈન્ચાર્જ રતીભાઈ ભુવા અને ટ્રસ્ટી મંડળે શુભેચ્છા પાઠવી હતી.

