Halol,તા.27
ગુજરાત વિધાપીઠ,અમદાવાદમાંથી ૧૮૦૦ વિદ્યાર્થીઓ રાજ્ય વ્યાપી “ગાંધી ગ્રામ જીવન પદયાત્રા” અંતર્ગત ગુજરાતના તેત્રીસ જિલ્લાના અઢીસો તાલુકામાં ૧૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ તેમજ સ્વયંસેવકો જોડાયા હતા,આ ટીમ નારૂકોટ આશ્રમશાળામાં રોકાયા હતા તથા જાંબુઘોડાના આસપાસના વિસ્તારના ગામ લોકો સાથે મુલાકાત કરી હતી,જેમાં ખેડૂતોને “પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી આપી હતી.સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ,જાંબુઘોડાના મહેમાન બન્યા હતા અને વિદ્યાર્થીઓને સમજ આપી હતી કે ‘આપણે ગ્લોબલ વોર્મિગની ભયાનક અસર સામે ઝઝૂમી રહ્યા છીએ ત્યારે આપણા માટે “પ્રાકૃતિક ખેતી એ આશીર્વાદરૂપ બની રહેશે.આ કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂઆત કરી હતી.વર્ષા મકવાણા,રવિ રબારીએ ખૂબ જ ગહન અને મહત્ત્વપૂર્ણ રીતે માર્ગદર્શન આપ્યુ હતુ.પ્રાસંગિક ઉદબોધન પ્રિન્સીપાલ ડૉ.સી.બી.રાઠવાએ આશીર્વાદ અને માર્ગદર્શન આપ્યું હતું તેમજ ર્ડા.મહેશભાઈ વર્મા દ્વારા ગુજરાત વિધાપીઠ,અમદાવાદના વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું,આભારવિધિ પ્રકાશભાઈ પરમારે કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સતિષભાઈ પરમારે કર્યું હતું.