Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતનો સૌથી મોટો કમ્યુનિકેશન Satellite લોન્ચ માટે તૈયાર

    October 27, 2025

    Amreli પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનો બચાવ

    October 27, 2025

    Gujarat માં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર

    October 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતનો સૌથી મોટો કમ્યુનિકેશન Satellite લોન્ચ માટે તૈયાર
    • Amreli પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનો બચાવ
    • Gujarat માં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર
    • Bihar ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે
    • 21 વર્ષની ફોરેન્સિક સ્ટુડન્ટે બોયફ્રેન્ડની હત્યા કરી સળગાવ્યો
    • Rajkot: ભક્તિનગર સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
    • Rajkot: છરીના 12 ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો
    • Rajkot: ચોમાસુ માહોલ વચ્ચે ઝાપટા : ઠંડુ વાતાવરણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»સરકારની રહેમ નજર હેઠળ ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ બન્યા છે,Amit Chavda
    અમદાવાદ

    સરકારની રહેમ નજર હેઠળ ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ બન્યા છે,Amit Chavda

    Vikram RavalBy Vikram RavalNovember 12, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૨

    કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ દાખલ થયા હતા અને ત્યારબાદ જે દુઃખદ ઘટના બની તેના પર વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, “સેવાના નામે ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે, મેડીકલ માફિયાઓ સેવાના નામે કૌભાંડો કરી રહ્યા છે તેનો દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો આજે ગુજરાતમાં બન્યો છે. કડી તાલુકાના બોરીસણા ગામે ખ્યાતી હોસ્પીટલે જે મેડીકલ કેમ્પ કર્યો હતો, તેમાંથી ૧૯ લોકોને પોતાની હોસ્પીટલમાં અમદાવાદ લઇ આવવામાં આવે છે, કોઇપણ પરિવારજનને જાણ કર્યા વગર એન્જીયોગ્રાફી કરવામાં આવે છે અને સાત દર્દીઓને એન્જીયોપ્લાસ્ટીના ઓપરેશન કરવામાં આવે છે. આજે દુખની બાબત છે કે એ સાત પૈકી બે દર્દીઓના મૃત્યુ થયા છે અને પાંચ લોકો આજે આઈસીયુમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. મૃતકના પરિવારજનોને સંવેદના પાઠવીએ છીએ અને તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. પણ સવાલ એ છે કે ગુજરાતમાં આવું વારંવાર કેમ થાય છે?

    અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “આ જ હોસ્પિટલમાં ૨૦૨૨માં પણ આવી જ રીતે ઓપરેશનમાં મૃત્યુ થયું હતું, જો સરકારે તે વખતે કડક પગલાં લીધા હોત તો આજે વધુ બે મોત ના થયા હોત. ગુજરાતમાં અગાઉ અંધાપાકાંડ પણ થયો હતો. હાલમાં જે રીતે મેડીકલ માફિયાઓ બેફામ થયા છે અને સરકારની મિલીભગતને કારણે સરકારમાં બેઠેલા લોકોના છુપા આશીર્વાદના કારણે ગુજરાતમાં લોકો મેડીકલ સેવાના નામે લુંટાઈ તો રહ્યા છે, સાથે-સાથે સરકારની યોજનાઓ કે જેમાં માં કાર્ડની યોજના અને આયુષ્યમાન કાર્ડની યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડો થઇ રહ્યા છે.

    આ હોસ્પિટલના રજીસ્ટ્રેશનથી લઈને શરૂઆતથી આજદિન સુધીનો ઈતિહાસ જોઈએ તો તેમાં કોઈ સેવા કરનારા કે મેડીકલ લાઈનના લોકો નથી પણ ધંધાદારી લોકો દ્વારા આ સેવાના ક્ષેત્રને ધંધાનું ક્ષેત્ર બનાવી દેવામાં આવ્યું છે.”

    અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “આજની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, સરકારની- આરોગ્યક્ષેત્રની નિષ્ફળતાઓને ઉજાગર કરનારી છે.  એકતરફ જયારે ગુજરાતમાં લોકો આવા મેડીકલ માફિયાના કૌભાંડોને કારણે મોતને ભેટી રહ્યા હોય, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને બીજી તરફ રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં વ્યસ્ત છે. આરોગ્ય મંત્રીશ્રીને વિનંતી છે કે જેટલી ચિંતા મહારાષ્ટ્રમાં પોતાના પક્ષને જીતાડવા કરો છો, જેટલી મહેનત ભાજપ માટે મહારાષ્ટ્રમાં કરો છો એટલી મહેનત ગુજરાતમાં આરોગ્યક્ષેત્રે  જે બદીઓ ચાલે છે, માફિયાઓ બેફામ બન્યા છે, કૌભાંડો ચાલે છે અને લોકોના જીવ જઈ રહ્યા છે. તેના માટે એટલી ચિંતા કે મહેનત કરશો તો ગુજરાતના લોકોએ તમને સોંપેલી જવાબદારી સાચા અર્થમાં પરિપૂર્ણ કરો છો તેવું માનશે.

    આ બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. જે બે લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારજનોને પુરતું વળતર મળવું જોઈએ. પાંચ લોકો જે સારવાર હેઠળ છે તેમના જીવની ચિંતા કરી યોગ્ય સારવાર મળવી જોઈએ. આખા પ્રકરણ માટે જવાબદાર લોકો તથા ખ્યાતી હોસ્પિટલના સંચાલકો સામે તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં કોઇપણ જગ્યાએ સેવાના નામે કૌભાંડો ચાલતા હોય ત્યાં આવી ઘટના ના બને તે ધ્યાનમાં રાખતા કાર્યવાહી કરવામાં આવે. ભાજપ સરકારની “ચંદા દો ધંધા લો”ની નીતિથી લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડા બંધ કરવામાં આવે.”

    Amit Chavda
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gujarat High Court માં ચેરિટી કમિશનર સંબંધિત અરજી પાછી ખેંચવાની મંજૂરી

    October 17, 2025
    અમદાવાદ

    Ahmedabad GPCBની બેદરકારીના કારણે નરોડાના રહીશો પગ લાલ થવાની સમસ્યા

    October 16, 2025
    અમદાવાદ

    નિયમના અર્થઘટનને લઈ અસંમજસ, અમદાવાદમાં ફટાકડાના વેચાણ માટે ૧૮ અરજી તંત્રને મળી

    October 16, 2025
    અમદાવાદ

    AMTS બસમાં દિવાળી સુધી લોકો મફત મુસાફરી કરી શકશે

    October 16, 2025
    અમદાવાદ

    ગૃહિણીઓનું રોજિંદુ ઘર કામ દિવાળીના તહેવારમાં બની ગયું ‘પ્રોફેશનલ વર્ક’

    October 15, 2025
    અમદાવાદ

    રેકોર્ડબ્રેક ભાવ વચ્ચે Housing Society એ સભ્યોને 100-100 ગ્રામ ચાંદી ગીફટમાં આપી

    October 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતનો સૌથી મોટો કમ્યુનિકેશન Satellite લોન્ચ માટે તૈયાર

    October 27, 2025

    Amreli પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનો બચાવ

    October 27, 2025

    Gujarat માં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર

    October 27, 2025

    Bihar ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે

    October 27, 2025

    21 વર્ષની ફોરેન્સિક સ્ટુડન્ટે બોયફ્રેન્ડની હત્યા કરી સળગાવ્યો

    October 27, 2025

    Rajkot: ભક્તિનગર સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

    October 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતનો સૌથી મોટો કમ્યુનિકેશન Satellite લોન્ચ માટે તૈયાર

    October 27, 2025

    Amreli પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનો બચાવ

    October 27, 2025

    Gujarat માં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર

    October 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.