Bhachau તા.16
ભચાઉની દક્ષિણ દિશામાં આવેલ રેવન્યુની જમીનથી કરીને છેલ્લા 19 કિલોમીટર લાંબો પારો બાંધવામાં આવેલ તેમજ ઓરસ ચોરસ 30 થી 35 હજાર એકર જમીન પર સરસ્વતી તેમજ સોમનાથ સોલ્ટ નો કબજો ખરેખર આ બંને કારખાનાઓની તપાસ કરવામાં આવે તો મોટું જમીન કૌભાંડ બહાર આવે એમ છે કંડલા પોટ ના ભષ્ટ અધિકારીઓના કારણે મોટી જમીન પર કબજો કરવામાં આવ્યો છે.
ખરાઈ ઊંટનું ચરીયાણ ઝરીયાના જંગલોનું વિનાશ કરી નાખવામાં આવેલ છે ઓરસ ચોરસ મોટાપારા બાંધીને પાણી ભરવાથી ચેરિયા વનસ્પતિના જંગલો નષ્ટ થયા છે તેમજ સરકાર શ્રી દ્વારા મીઠા ઉદ્યોગ માટે લીઝ ની સચોટ તપાસ કરવામાં આવે તેમજ સોલ્ટની કેટલા એકરની લીઝ છે સરસ્વતી સોલ્ટ તેમજ સોમનાથની લીઝની તપાસણી થાય તે બાબતે અરજદાર શીવુભા જાડેજા દ્વારા લાગતા વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ટૂંક સમયમાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નકોર પગલા લેવા નહી આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ લેખિતમાં ઉતારી હતી હવે આ બાબતે મામલતદાર પ્રાંત અધિકારી વન વિભાગના આરએફઓ તેમજ કંડલા પોર્ટ ચેરમેન તેમજ સંબંધિત અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે