Jamnagar તા.૨૩
આઇ.ટી.આર.એ. જામનગર ખાતે શાલાક્ય વિભાગ દ્વારા તા. ૨૬-૧૧-૨૦૨૪ને મંગળવારના રોજ ડ્રાય આઇ રોગ માટે આયુર્વેદ પધ્ધતિથી નિશુલ્ક ચિકિત્સા તેમજ સારવાર માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે, આયુર્વેદ હોસ્પિટલના રૂમ નંબર ૦૩ ખાતે નિદાન તેમજ સારવાર માટે દરદીઓએ સાંજે ૪ થી ૫૩૦ દરમિયાન સંપર્ક કરવાનો રહેશે. જેનો નિશુલ્ક લાભ લેવાં માટે સંસ્થાના પ્રભારી નિયામક પ્રો. બી. જે. પાટગીરી દ્વારા યાદીમાં જણાવાયું છે.