Jamnagar તા.૨૩
જામનગર મા કૈલાશ પાર્ક વિસ્તાર માં રહેતા એક આસામી ને રૂ. પ૦ હજાર ના ચેક પરત ફરવા અંગે નાં કેસ મા અદાલતે એક વર્ષની કેદની સજા નો હુકમ કર્યો છે.જામનગરના રણજીત રોડ પર આવેલી પંજાબ બેંક પાસેની રાજગોર ફળીમાં રહેતા એન્જલભાઈ રાજેન્દ્રભાઈ પરમાર પાસે થી તેમના મિત્ર અને ગુલાબનગર રોડ પર આવેલા કૈલાશ પાર્કમાં રહેતા દિપક ચુનિલાલ ચાવડા એ સંબંધ નાં દાવે રૂ. પ૦ હજાર ઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.આ ચેક બેંકમાં રજૂ કરાતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા એન્જલ પરમારે અદાલતમાં ચેક પરત ફરવા અંગે ની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ અદાલત મા ચાલી જતાં અદાલતે ફરિયાદ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી, આરોપી દિપક ચુનિલાલ ચાવડા ને એક વર્ષ ની કેદ ની સજા ફટકારી છે. અને ચેક ની રકમ ફરિયાદીને વળતર સ્વરૂપે ચૂકવી આપવાનો તથા તે રકમ ચૂકવવામાં ના આવે તો વધુ છ મહિનાની કેદ ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ કેસ માં ફરિયાદી તરફથી વકીલ બિમલભાઈ ચોટાઈ, સુમીત સોલંકી, નીલ ચોટાઈ, મોનીલ ગુઢકા રોકાયા હતા.