Mumbai,તા.25
રણબીર કપૂરે એક ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, આલિયા ભટ્ટને ખબર નહોતી કે કિશોર કુમાર કોણ છે. તેમણે કહ્યું કે, જીવન એક ચક્ર છે કલાકારો આવે છે જુના કલાકારો જો યાદ ન કરીએ તો ભૂલાઇ જશે. રણબીરે કહ્યું કે, મૂળ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે.
રણબીર કપૂર હાલમાં જ ગોવામાં હતાં. તેમણે રાજ કપૂરની 100મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત આઇએફએફઆઇ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. ડાયરેક્ટર રાહુલ રવૈલ સાથેની વાતચીત દરમિયાન તેણે ખુલાસો કર્યો કે, 13 થી 15 ડિસેમ્બર સુધી કપૂર પરિવાર દેશભરમાં રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરશે.
આ ફિલ્મ ફેસ્ટિવલ માટે, રણબીર કપૂરનાં કાકા કુણાલ કપૂરે એનએફડીસી, એનએફએઆઇ અને ફિલ્મ હેરિટેજ ઑફ ઇન્ડિયા સાથે રાજ કપૂરની ફિલ્મોને પુન:સ્થાપિત કરવા માટે કામ કર્યું છે.
અત્યાર સુધીમાં તેણે ઓછામાં ઓછી 10 ફિલ્મો રિસ્ટોર કરી છે.પ્રોજેક્ટ વિશે વાત કરતાં રણબીરે કહ્યું, ’ઘણાં લોકો એવાં છે જેમણે તેનું કામ જોયું નથી. જેમ કે જ્યારે હું આલિયાને પહેલીવાર મળ્યો ત્યારે તેણે મને પૂછ્યું, કિશોર કુમાર કોણ છે ? તો આ જીવનનું વર્તુળ છે. કલાકારો ભૂલી જાય છે અને નવાં કલાકારો આવે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, આપણે આપણાં મૂળને યાદ રાખીએ.
રણબીરે એમ પણ કહ્યું કે, જો તેની પાસે કોઈ ફિલ્મ હોય તો તે ઈચ્છે છે કે તેનાં દાદા તેનું નિર્દેશન કરે. તેણે કહ્યું, ’કારણ કે તેણે ’બોબી’ બનાવી હતી અને તે હંમેશાં પ્રેમ કથાઓમાં સારું કામ કરતાં હતાં. તેથી હું ખરેખર તેને ’યે જવાની હૈ દીવાની’માં ડાયરેક્ટર તરીકે જોવા માંગુ છું.
આગામી ફિલ્મોની વાત કરીએ તો રણબીર ’રામાયણ: પાર્ટ 1’માં જોવા મળશે. આ સિવાય તે સંજય લીલા ભણસાલીની ’લવ એન્ડ વોર’માં પણ જોવા મળશે જે આગામી વર્ષે રિલીઝ થવાની છે. આ સિવાય તે ઘુમ 4 અને બ્રહાસ્ત્ર 2 ની શુટિંગ આગામી વર્ષે શરૂ કરશે.